#🐝મધમાખીઓએ લીધો અમ્પાયરનો જીવ😱 #📢 લેટેસ્ટ અપડેટ્સ #📖 તાજા સમાચાર🗞 #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ
ક્રિકેટ મેચ દરમિયાન મધમાખીઓનો હુમલો, અમ્પાયરનું મોત, અનેક ખેલાડી ઘાયલ
અંડર-13 મેચ દરમિયાન મધમાખીઓએ કરેલો હુમલો અમ્પાયર માણિક ગુપ્તા માટે જીવલેણ સાબિત થયો છે. ઉન્નાવના શુક્લાગંજ સ્થિત સપ્રુ સ્ટેડિયમમાં અંડર-13 ક્રિકેટ મેચ દરમિયાન મધમાખીઓના હુમલામાં 65 વર્ષીય અમ્પાયર માણિક ગુપ્તાનું મોત થઈ ગયું છે. આ ઘટનામાં બીજા અમ્પાયર અને ઘણા ખેલાડીઓ પણ ઘાયલ થયા છે. ઘાયલોની કાનપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેઓ હાલમાં ખતરાથી બહાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.