*ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક અપાતી ઔષધિઓ*
અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક
👨⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ
📞 મોબાઈલ: 9925311320
📍 સરનામું
#આયુર્વેદ ભારત #🌿 આયુર્વેદ : F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર
ગ્રુપ માં જોડાવા માટે :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz
ઉનાળાની ગરમી માં શરીરને દાહ સામે રક્ષણ આપતી ઔષધિઓ ::
1. ધાણા :: ધાણા પોતાના ગુણોને લીધે શરીરને ઠંડક આપવા સાથે પાચનતંત્ર પર પણ સારુ કામ કરે છે. ધાણા ને રાત્રે પાણીમાં પલાળી ને સવારે એ પાણીને અડધું બળે ત્યાં સુધી ઉકાળો. બચેલું પાણી પીવાલાયક થાય એટલે પીવું.
2. વરિયાળી :: એસિડિટી, હાથ પગમાં બળતરા, પેશાબમાં ગરમીમાં વધતી બળતરા હોય તો વરિયાળી અને સાકર નો પાવડર બનાવી તેને પાણીમાં થોડાક સમય પડ્યું રેવા દઈ, શરબત નિ જેમ પી શકો. Dehydration સામે ખુબ જ રક્ષણ આપે છે.
જો તમને વારે વારે તરસ લગતી હોય તો વરિયાળીના બીજ ને ચાવવાંથી ફાયદો મળે છે. તેમજ વરિયાળી પેટનો વાયુ દૂર કરે છે.
3. તકમરીયા :: તકમરિયા એટલે તુલસીના કાળા બીજ. એ બેસ્ટ કૂલન્ટ જેવું કામ કરે છે. તેને પાણીમાં પલાળી પીવાથી શરીરને ઠંડક મળે છે.
4. નગરમોથા :: નગરમોથા નો ઉપયોગી ભાગ છે તેના મૂળ ( રાઈઝોમ ). જેને IBS હોય, વારે વારે ટોયલેટ જવું પડતું હોય, ખુબ જ એસિડિટી રહેતી હોય તેમજ સરખું પાચન ના થતું હોય તેમનિ માટે નગરમોથા બેસ્ટ છે.
રાત્રે 2 લિટર પાણીમાં નગરમોથા પાવડર નાખી ને સવારે તેને 1 લિટર બચે ત્યાં સુધી ઉકાળી, પીવા લાયક થાય ત્યારે બોટલમાં ભરી લેવું. આ પાણી પાચન સુધારી શરીર ના ટોકસીન પચાવવામાં મદદ કરે છે.
અગ્નિવેશ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક
👨⚕️ વૈદ્ય: જાગૃત ચૌહાણ
📞 મોબાઈલ: 9925311320
📍 સરનામું: F7, પહેલો માળ, ટાઈમ સ્કવેર કોમ્પ્લેક્સ, વન સેંટરની બાજુમાં, ડીસા હાઇવે, પાલનપુર
ગ્રુપ માં જોડાવા માટે :: https://chat.whatsapp.com/DenJSzJEPCQEd686FDGDuz
#🌞ઉનાળામાં લું થી બચવાના ઉપાય🧅 #👩ઉનાળામાં ત્વચાની કાળજી🌞 #🌞હેપી ઉનાળો😎