ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો .શામળા ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ ખાતે રાજ્ય સરકારની શૈક્ષણિક નીતિ અનુસાર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, જીવનકૌશલ્ય, સ્વાવલંબન તથા વ્યવહારુ જ્ઞાનના વિકાસના ઉદ્દેશ્યથી તા. 17/01/2026 (શનિવાર) ના રોજ આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આનંદમેળામાં ધોરણ બાલવાટિકા થી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ અને તમામ શિક્ષકમંડળના સહકારથી કરવામાં આવ્યું હતું.
આનંદમેળામાં કુલ 13 સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોના સ્ટોલ, રમતોના સ્ટોલ તથા મનોરંજનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિ આધારિત સ્ટોલનો સમાવેશ થતો હતો. દરેક સ્ટોલ પર વિદ્યાર્થીઓને જવાબદારી સોંપવામાં આવી હતી અને શિક્ષકો દ્વારા માર્ગદર્શન તથા દેખરેખ રાખવામાં આવી હતી.
આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ ખરીદ-વેચાણ પ્રક્રિયા, હિસાબ રાખવાની પદ્ધતિ, ગ્રાહક વ્યવહાર, ટીમવર્ક, સમય વ્યવસ્થાપન તેમજ સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા અંગે પ્રાયોગિક અનુભવ મેળવ્યો. આ સાથે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ, નિર્ણયક્ષમતા તથા સહકારભાવ જેવા ગુણો વિકસ્યા.
આનંદમેળામાં વાલીઓ તથા સ્થાનિક ગ્રામજનોની હાજરી નોંધપાત્ર રહી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્ત, સલામતી અને સ્વચ્છતાનું યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં આનંદમય તથા શૈક્ષણિક વાતાવરણ સર્જાયું હતું.
આનંદમેળાનું આયોજન નિર્ધારિત સમયમર્યાદામાં સુચારુ રીતે સંપન્ન થયું. અંતે શાળાની તરફથી કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તથા સહયોગી મહાનુભાવોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
#khergamblogger #edublogger #khergam|vansda|chikhli|Gandevi|navsari #khergamnews