c.j. jadav
820 views
8 days ago
🍃🍃🌼🍃🍃 *🥀 ચૈત્ર સુદ નવમી - ૯, રામ નવમી....                  રામનવમી એ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજી અને પૂર્ણ પુરુષોત્તમ  પ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટય દિવસ છે. આ નવમીનું વ્રત મનુષ્યને મનોવાંછિત ફળ આપનારું અને સર્વ પાપોમાંથી મુક્ત કરનારું છે. કોઈ પણ દીર્ઘ રોગ થયો હોય કે આધ્યાત્મિક કે વ્યવહારિક પ્રશ્ન હોય તો પણ આ હરિનવમીનું વ્રત સર્વ દુઃખ દૂર કરીને સુખ - શાંતિ આપનારું છે.                 આ વ્રત કરનાર સ્ત્રી - પુરુષોએ હરિનવમી અને આગળ - પાછળ ના દિવસોમાં બ્રહ્મચર્ય રાખવું. રામ નવમીના દિવસે સવારે બ્રહ્મમુહૂર્તમાં જાગૃત થવું. (  વહેલી સવારે 4:00 થી 5:00 વાગ્યાનો સમય. ) કામ - ક્રોધ - રાગ - દ્વેષથી અલિપ્ત રહીને સવારે સ્નાન કરીને ભગવાનની વિધિ પૂર્વક પૂજા કરવી. શક્ય હોય તો ઉપવાસ કરવો. ઉપવાસ કરવામાં અસમર્થ હોય તેમણે ફળાહાર લઈ શકાય. આ વ્રત કરનારે કોઈની નિંદા ન કરવી કે ન સાંભળવી. દિવસ દરમિયાન ભગવાનનું ભજન - કીર્તન - કથા - માળા  - માનસીપૂજા વગેરે નવધા ભક્તિ કરીને સમય પસાર કરવો. રાત્રે જાગરણ કરવું. ને રાત્રિ પણ પ્રભુ સ્મરણમાં જ વ્યતીત કરવી. આવી રીતે એક દિવસ અને રાત પ્રભુ સ્મરણમાં  વ્યતીત કરવા.                બીજે દિવસે એટલે કે દશમના દિવસે સવારે સ્નાન - પૂજા - પાઠ કરીને સુપાત્ર બ્રાહ્મણોને ઇચ્છિત ભોજન કરાવવું. પછી યોગ્ય સત્કાર કરીને યથા શક્તિ દક્ષિણાઓ આપવી. આ રીતે હરિનવમીનું વ્રત કરવાથી  સર્વે દુઃખ દૂર થાય છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. જે કોઈ સ્ત્રી - પુરુષને જન્મ - મરણના ચક્રમાંથી છુટકારો મેળવીને મોક્ષ પ્રાપ્ત કરવો હોય તેમણે આ હરિનવમીનું વ્રત દર વર્ષે શ્રદ્ધાપૂર્વક કરવું. અને  ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રિમાં લખ્યા મુજબ પોત - પોતાના ધર્મમાં રહેવું અને પ્રભુનું ભજન - સ્મરણ કરવું. આથી આત્યંતિક કલ્યાણ થાય છે.                   સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટય પહેલા પૂર્વ કાળમાં અગસ્ત્ય મુનિએ આ પ્રમાણે રામનવમીનું વ્રત કરવાનો વિધિ જણાવ્યો છે.....             🥀સૂતીક્ષણ મુનિના પૂછવાથી અગસ્ત્ય મુનિ કહે છે :- હે મુનિશ્રેષ્ઠ ? ચૈત્ર સુદ નવમીના દિવસે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રગટ થયા. આ દિવસે જે કોઈ મનુષ્ય વ્રત કરે છે તે ગમે તેવા પાપોથી મુક્ત થાય છે. અને આ દિવસે જે મનુષ્ય ફળાહાર વિના અનાજ આદિકનું ભોજન કરે છે તેને બીજા કોઈ અન્ય વ્રતનું પણ ફળ મળતું નથી અને તેને કુંભીપાક નરકમાં દુઃખ ભોગવવું પડે છે.             આ પવિત્ર દિવસે  પ્રભુ શ્રી રામચંદ્રજી નું સ્મરણ કરતા થકા ઉપવાસ કરવો. સુવર્ણ, ચાંદી અથવા પંચ ધાતુની શ્રી રામ પ્રભુની મૂર્તિ વેદી ઉપર સ્થાપિત કરવી. શુદ્ધ જળથી ભરેલો તામ્ર ઘડો મુકવો. પંચામૃત, અક્ષત, ચંદન, કુંકમ, પુષ્પ વગેરેથી વિધિ પૂર્વક પૂજા કરવી. પછી યજ્ઞકુંડમાં ઘી, ખીર, જવ, તલ, ચંદન, અક્ષત, ફળો, પુષ્પ વગેરેથી આહુતિ આપવી. પછી પ્રભુ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરતા કરતા પવિત્ર બ્રાહ્મણને મૂર્તિ દાનમાં આપવી. ઉપરાંત અન્ન, ધન , વસ્ત્ર વગેરે શક્તિ પ્રમાણે બ્રાહ્મણની પૂજા કરીને  દાન આપવું.               ગરીબ ગૃહસ્થએ પણ ઉપર બતાવેલ વિધિ ચોથા ભાગની કરવી. લોભ રહિત મૌન વ્રત ધારણ કરીને વિધિપૂર્વક આ વ્રત કરનારના બાર વર્ષના પાપ નષ્ટ થઈ જાય છે. જેને મોક્ષની ઈચ્છા હોય તેમણે જીવન પર્યંત આ વ્રત વિધિ પૂર્વક કરવું. તેને ફરીવાર આ સંસારમાં આવવું પડતું નથી. અને સનાતન ધામની પ્રાપ્તિ થાય છે.              આવી રીતે સ્કન્દપુરાણમાં અગસ્ત્ય સંહિતામાં રામ નવમીની કથા કહેલી છે.                      🍃🍃🌼🍃🍃 #રામનવમી #રામનવમી ની હાર્દિક શુભેચ્છાઓ