અનિલ અંબાણી સામે ₹1,085 કરોડની છેતરપિંડીનો નવો કેસ: પંજાબ નેશનલ બેંકની ફરિયાદ પર FIR, 2013 થી 2017ની વચ્ચે થયેલું ફ્રોડ
PNB FIR Anil Ambani fraud case; પંજાબ નેશનલ બેંક (PNB)ની ફરિયાદ પર, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (RCom)ના પૂર્વ ડિરેક્ટર અનિલ અંબાણી અને અન્ય સામે છેતરપિંડીનો નવો કેસ નોંધ્યો છે. બેંકનો આરોપ છે કે અનિલ અંબાણી અને તેમની કંપનીએ 2013 થી 2017 દરમિયાન બેંક સાથે 1,085 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.