#✋ બાપા સીતારામ “ભક્તિની ધૂણી, જનસેવાની દીવટ.”
નાત–જાતના ભેદભાવથી ઉપર ઉઠી ભક્તિ, કરુણા અને જનસેવાની અલખ જગાવનાર સંતભૂમિ સૌરાષ્ટ્રના પવિત્ર યાત્રાધામ બગદાણામાં બિરાજમાન પ્રાતઃ વંદનીય પરમ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપાને પુણ્યતિથિએ શતશઃ વંદન.
બાપાનો “સીતારામ”નો સ્મરણમંત્ર આજે પણ ભક્તોના હૃદયમાં આસ્થા, સમતા અને સેવાભાવ પ્રગટાવે છે.
પૂજ્ય બજરંગદાસ બાપાની કૃપાથી સમાજમાં સદ્ભાવ, સદ્કર્મ અને માનવતા અખંડ રહે એજ અભ્યર્થના...