સ્થાનિક સ્વરાજ ચૂંટણીને કારણે જિલ્લા ફેર બદલી કેમ્પ સ્થગિત
ગાંધીનગરઃ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે જિલ્લા ફેર (ઓનલાઇન-ઓફલાઇન) બદલી કેમ્પ માટે અગાઉ જાહેર કરાયેલ શિડ્યૂલ હાલ માટે સ્થગિત કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગના તા. 31-03-2026 ના પત્ર અનુસાર જિલ્લા સ્તરે બદલી કેમ્પ યોજવા માટે વિગતવાર આયોજન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા. 01-04-2026 ના પરિપત્ર અનુસાર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આગામી સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લા ફેર બદલી કેમ્પ સંબંધિત તમામ કાર્યવાહી તાત્કાલિક અસરથી સ્થગિત રાખવા સૂચના આપવામાં આવી છે.
આ નિર્ણય માનનીય નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ લેવામાં આવ્યો છે.
#njpssnavsariofficial #navsari #નવસારી ન્યૂઝ #khergam|vansda|chikhli|Gandevi|navsari