#📢પેટ્રોલને લઇ સરકારનું મોટું એલાન #🔥 બિગ અપડેટ્સ #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #📃📰 એકદમ તાજા સમાચાર📰📝
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે કેન્દ્ર સરકારે ઈંધણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે 22 ટકાથી 30 ટકા સુધી ઈથેનોલ મિશ્રણ ધરાવતા પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. આ અંગે સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. સરકારના નિર્ણય મુજબ હવે E-22, E-25, E-27 અને E-30 શ્રેણીના પેટ્રોલ પર કોઈ એક્સાઈઝ ડ્યુટી લાગુ નહીં પડે. એટલે કે વધુ ઈથેનોલ મિશ્રણ ધરાવતા પેટ્રોલના ઉત્પાદન અને વેચાણને પ્રોત્સાહન મળશે.