સ્વામિનારાયણ

c.j. jadav
1.4K views
22 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર.... વળી એક સમયે છપૈયાપુરથી ઉત્તર બાજુએ તરાઇ દેશમાં, ગામ લક્ષ્મણપુરને વિષે ભક્તિમાતાનાં બહેન જે વસંતાબાઇ તેમના પુત્ર જે માણેકધર તેમની પત્નીએ તેમને કહ્યું જે, હાલમાં આપણો વ્યવહાર દુર્બળ છે, માટે તમારી માસીના પુત્ર જે ઘનશ્યામબાબુ છે તે ગુજરાત દેશમાં ભગવાનપણે પૂજાય છે. તે તમારો ભાઇ છે અને બાળપણાના મિત્ર પણ છે. તે જો તમો તેમની પાસે જાઓ તો તે ઘનશ્યામ મહારાજ તમોને કંઇક આપશે તે લઇ આવો. એમ કહીને ભાતુ કરી આપ્યું. તે લઈને પોતાના અંતઃકરણમાં ઘનશ્યામ મહારાજને સંભારતા સતા, ગંગાના પ્રવાહ જેવો તેમનો વેગ છે એવા થકા ચાલ્યા, તે પચીસ દિવસે શ્રીગઢપુરને વિષે આવતા હતા. ત્યારે તે સમયે શ્રીજી મહારાજ દાદાખાચરના દરબારમાં લીંબડાના વૃક્ષ નીચે ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ચારે કોરે સંત હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે ગદ્ગદ્ કંઠે અતિ પ્રેમમગ્ન થયા થકા, શ્રીજી મહારાજને દંડવત્ કરવા લાગ્યા. ત્યારે પોતાના મશીયાઇ ભાઇને ઓળખીને શ્રીજી મહારાજ બોલ્યા જે, અહો માણેકધરભાઈ ! તમો ક્યાંથી આવ્યા? એમ કહીને ઢોલિયા ઉપરથી હેઠે ઉતરીને સામા જઇને અચાનક ઉપાડી લઈને, છાતીમાં ભીડીને હેત પૂર્વક મળતા હતા અને અતિ આદરથી સન્માન કરીને પોતાના ઢોલિયાની સમીપે ચાકળા ઉપર બેસાડીને હિન્દુસ્તાન દેશના સમાચાર પૂછવા લાગ્યા અને તે પૂછીને વળી બોલ્યા જે, હે માણેકધરભાઈ ! અમો એક વખત તમારા ગામ લક્ષ્મનપુરા વસરામ મામાની સાથે છપૈયાપુરથી આવ્યા હતા. અને આપણે બે ભાઈ તે સમયે નાના હતા અને તમારા પિતા બલદીધર સાથે રાપ્તિ નદીમાં સ્નાન કરવા નિત્ય જતા ખરા ? ત્યારે તે કહે હા અને ત્યાં ચંદનમાસી પણ તમારાં માતુશ્રી વસંતાબાઈ માંદાં હતાં, તેમને જોવા સારૂં ગામ ગુન્હાબરૂએથી સુત બસ્તીભાઈને સાથે લઇને આવ્યાં હતાં ખરાં ? ત્યારે કહે હા. અને તે તરાઇ દેશમાં ડાંગર બહુ પાકે છે ખરી ? ત્યારે કહે હા. એવી રીતે વિકિતએ સહિત પૂછ્યું. પછી તે માણેકધરભાઇ પોતાના ઘરેથી પોતાની પત્નિએ અઢી શેર પૌંવા સુંદર ખાંડીને અતિ પ્રેમે સહિત એક કપડે બાંધીને મહારાજને વાસ્તે મોકલ્યા હતા તે કાઢીને પોતાના ભાઈને આપતા હતા. ત્યારે શ્રીજી મહારાજ તે પૌંવા જોઇને વખાણતા થકા પોતાના હાથમાં લઇને જમવા લાગ્યા. પછી સર્વે સંત હરિભકતોને પોતાની પ્રસાદીના પૌંવા આપ્યા. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! આતો સુદામાના તાંદુલ જેવું થયું. એમ કહીને રાજી કરતા હતા. પછી તે માણેકધરને રામપ્રતાપ-ભાઈના ઉતારે મોકલ્યા. તે કેટલાક દિવસ ભેગા રહ્યા પણ શ્રીજી મહારાજને કંઇ કહ્યું નહિ જે, હે મહારાજ ! હવે મારા દેશમાં જવું છે. તે મને કંઈક આપો. તેમ શ્રીજી મહારાજ પણ કંઈ બોલ્યા નહીં જે, તમો કેમ આવ્યા છો? એમ એક બીજાને વાત ન કરતાં, એક દિવસ તૈયાર થઈને શ્રીજી મહારાજને મળવા ગયા. ત્યારે મહારાજ બોલ્યા જે, હે ભાઈ માણેકધર ! તમો હમણાં રહો ને કોઇ સારો સંગાથ મળશે ત્યારે અમો તમોને મોકલી દઇશું. ત્યારે કહે ના. અમો તો હાલ જઇશું. એવી રીતે બહુ કહ્યું પણ માન્યું નહિં, ત્યારે પોતે શ્રીજી મહારાજ રાધાવાવ સુધી વળાવવા ગયા. 🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા