અમદાવાદમાં મંજુરી લીધા વીના રેલી કાઢતા પોલીસે લોકો ઉપર કર્યો લાઠી ચાર્જ
અમદાવાદ: શહેરના દરિયાપુર વિસ્તારમાં રાષ્ટ્રીય ક્રાંતિ મોર્ચા પરિવર્તનની રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દરિયપુરથી લઈને શહેરના અનેક મોટા વિસ્તારોમાં ફરીને સાબરમતી રીવરફન્ટ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું સ્વરૂપ લેવાની હતી. આ રેલીની કોઇ પણ પ્રકારની મંજુરી લેવામાં આવી ન હતી. તેના કારણે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. આ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અંતે પોલીસને લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી.
4.5k views
3 months ago