📖 *શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય 2 (સાંખ્યયોગ)*
*શ્લોક 31*
स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि ।
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते
*ગુજરાતી અનુવાદ*
હે અર્જુન! પોતાના સ્વધર્મને જોતા પણ તારે કાંપવું નહીં જોઈએ, કારણ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધ કરતાં શ્રેષ્ઠ બીજું કંઈ નથી.
🕉️ *આધિ્યમિક અર્થ*
સાચા માર્ગે રહેવું, પોતાના કર્તવ્યથી ન ભાગવું એ જ પરમ ધર્મ છે.
*શ્લોક 32*
यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् ।
सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम्
*ગુજરાતી અનુવાદ*
હે પાર્થ! પોતે જ મળેલુ આવું ધર્મયુદ્ધ એ તો સ્વર્ગનાં દ્વાર ખુલ્લાં હોય તેવું છે. માત્ર ભાગ્યશાળી ક્ષત્રિયોને જ આવું યુદ્ધ મળે છે.
🕉️ *આધ્યાત્મિક અર્થ*
આવો અવસર માનવને દુર્લભ છે, જ્યારે ધર્મનું રક્ષણ કરવાની તક મળે. એ મોક્ષનો માર્ગ ખોલે છે.
*શ્લોક 33*
अथ चेतत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ।
ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि
*ગુજરાતી અનુવાદ*
જો તું આ ધર્મયુદ્ધ નહિ કરે તો તું પોતાનો સ્વધર્મ અને પોતાની કીર્તિ ગુમાવીને પાપનો ભાગીદાર બનશે.
🕉️ *આધ્યાત્મિક અર્થ*
સ્વધર્મમાંથી ભાગવું એ પાપ છે. કર્તવ્યને નકારી દેવો એ આધ્યાત્મિક પતન છે.
*શ્લોક 34*
अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम् ।
सम्भावितस्य चाकीर्तिर्मरणादतिरिच्यते ॥
*ગુજરાતી અનુવાદ*
લોકો તારી નિંદા કરશે, અને સન્માનિત વ્યક્તિ માટે અપમાન તો મૃત્યુ કરતા પણ ભયંકર છે.
🕉️ *આધ્યાત્મિક અર્થ*
માનસિક મૃત્યુ અપમાનથી થાય છે. આધ્યાત્મિક જીવનમાં સન્માન જાળવવું એ આત્મસન્માનનું રક્ષણ છે.
*શ્લોક 35*
भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः ।
येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् ॥ 35 ॥
*ગુજરાતી અનુવાદ*
મહાન યોધ્ધાઓ તો માનશે કે તું ભયથી યુદ્ધમાંથી ભાગી ગયો છે. જેમની નજરે તું મહાન હતો, તેમના માટે તું હવે તુચ્છ બની જશે.
🕉️ *આધ્યાત્મિક અર્થ*
ડરથી ભાગવું એ આત્માની શક્તિ ગુમાવવું છે. આધ્યાત્મિક યોધ્ધા કદી ભાગતા નથી, તેઓ સત્ય માટે અડગ રહે છે.
*જય શ્રી કૃષ્ણ*🙏🕉️
*સત્ય સનાતન ધર્મ ની જય*🙏🕉️ #🙏 જય શ્રી કૃષ્ણ #📚 ભારતનો ઈતિહાસ #🙏કૃષ્ણ વચન✍️ #🙏ગીતા સાર વિડિયો📽 #🔱પાંચમાં નોરતાની શુભેચ્છા🟢
