ShareChat
click to see wallet page
ઇન્દુમતી ચીમનલાલ શેઠ ભારતીય સ્વતંત્રતા સેનાની, રાજકારણી, સામાજિક કાર્યકર અને ગુજરાતના શિક્ષણશાસ્ત્રી હતા. મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઈને અમદાવાદી ઇન્દુમતીબેન શેઠે આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો. તેઓ એ બોમ્બે રાજ્યના નાયબ શિક્ષણ મંત્રી અને ગુજરાતના શિક્ષણ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેઓને સામાજિક કાર્ય માટે 1970 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા ઇન્દુમતીબેને અમદાવાદમાં પ્રથમ ખાદી મંદિરની સ્થાપના કરી હતી. #👍 થોડો વિચાર થોડો હકાર
👍 થોડો વિચાર થોડો હકાર - સાદું જીવન અને સાદો ખોરાક , ખાદી પ્રત્યે એટલો પ્રેમ કે નપૂછો વાત . ઈન્દુમતીબેનના જીવનની ઉત્કૃષ્ટ લાક્ષણિકતા તેમની સાદગી હતી , જે તેમના ખાદી ડ્રેસમાં જ નહીં , પણ સાદો ખોરાક અને સાદી જીવનશૈલી તેમના સંપર્કમાં આવનાર દરેકને પ્રભાવિત કરતી હતી . તેઓ સમગ્ર ભારતમાં પ્રથમ ખાદી સ્ટોરના સ્થાપક હતા . - ShareChat

More like this