GTvsMI: ફરીથી તે જ ભૂલ... હાર બાદ સમસમી ગયો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા, કોને ગણાવ્યા જવાબદાર?
ટીમ ઈન્ડિયાની હાર હોય કે પછી મુંબઈ ઈન્ડિયન્સની... કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઘણીવાર નારાજગી વ્યક્ત કરતો જોવા મળ્યો છે. મંગળવારે પણ જ્યારે ગુજરાત ટાઈટન્સ સામે 55 રનથી હાર મળી તો તેણે બોલર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને કોની સામે કેવી રીતે બોલિંગ કરવી તે શીખવાની જરૂર હોવાનું કહ્યું હતું.