#📰 5 ડિસેમ્બર ના સમાચાર #અમે સુરતી #સુરત #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ સુરત શહેરના ટ્રાફિક અને દૈનિક અવરજવર પર અસર કરતી મહત્વપૂર્ણ જાહેરાત સામે આવી છે. તાપી નદી પર જહાંગીરપુરા અને ડભોલીને જોડતો ડો. શ્યામાપ્રસાદ મુખર્જી રિવર બ્રિજ રીપેરીંગ કામગીરી માટે 11 ફેબ્રુઆરી 2026થી સતત 78 દિવસ માટે વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. બ્રિજના તાજેતરના હેલ્થ રિપોર્ટમાં વધુ મજબૂત અને વ્યાપક રીપેરીંગની જરૂરિયાત દર્શાવવામાં આવતા સુરત મહાનગરપાલિકા દ્વારા બંને તરફના વેરીંગ કોટ અને સ્ટ્રક્ચરલ ભાગોની મરામત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરી 11 ફેબ્રુઆરીથી શરૂ થઈને અંદાજે 30 એપ્રિલ 2026 સુધી ચાલવાની શક્યતા છે. પાલિકાએ જાહેરનામા મારફતે બ્રિજ પર વાહન વ્યવહાર બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે અને વાહનચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. રાંદેર, અડાજણ અને તાડવાડી વિસ્તારથી ડભોલી જવા માટે રામનગર ચાર રસ્તા, વિયર કમ કોઝવે, ર્બડ ચોક, ડી-માર્ટ કોઝવે લીંક રોડ સહિતના માર્ગો ડાઈવર્ઝન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પાલિકાએ ચેતવણી આપી છે કે જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. શહેરના ટ્રાફિક દબાણને ધ્યાનમાં રાખીને નાગરિકોને સમયસર મુસાફરી આયોજન કરવાની અને જાહેર કરાયેલા માર્ગદર્શનોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
#SuratTrafficUpdate #SuratBridgeClosed #TapiriverBridge #SuratMunicipalNews #TrafficAdvisorySurat
Surat bridge closure news 2026, Tapi river bridge repair Surat update, Jahangirpura Dabholi bridge traffic diversion route, Surat municipal corporation bridge repair notice, Surat traffic diversion February April 2026, Surat river bridge maintenance news
Surat Tapi River Bridge Closed For 78 Days | Traffic Diversion Routes | Surat News Update


