#🙏સરદાર પટેલની પૂણ્યતિથિ દેશની એકતા-અખંડિતતાના ઘડવૈયા, પ્રખર રાષ્ટ્રભકત 'ભારતરત્ન' સરદાર વલ્લભભાઈ પટેલજીની પુણ્યતિથિ પર ભાવપૂર્ણ કોટી કોટી વંદન.
સ્વતંત્રતા સંગ્રામની લડાઈમાં બારડોલીની ઐતિહાસિક લડતમાં નાયક તરીકેના સુકાનથી લઈ, આઝાદી પછી સંકટના સમયમાં આંતરિક સંઘર્ષની ચરમસીમા વચ્ચે અનેક રજવાડાંને એકઠા કરીને અખંડ ભારતની રચના અને રાષ્ટ્રને ઉત્તમ બંધારણ પૂરુ પાડવામાં "લોહપુરુષ"નું યોગદાન અવિસ્મરણીય છે.
આજના દિવસે આપણે તેમના આદર્શો, દૃઢતા અને દેશભક્તિની ભાવનાને આત્મસાત કરીએ...


