#🧑⚖️હત્યાકાંડ કેસમાં રામ રહીમ નિર્દોષ સિરસા સ્થિત 'પૂરા સચ' નામના અખબારના સંપાદક અને પત્રકાર રામચંદર છત્રપતિ પર વર્ષ 2002માં ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા છત્રપતિનું બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
આ હુમલાને ડેરા સચ્ચા સૌદા અને તેના પ્રમુખ ગુરમીત રામ રહીમ સાથે જોડીને તપાસ કરવામાં આવી હતી. કેસની તપાસ બાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા આરોપપત્ર દાખલ કરવામાં આવ્યો હતો.
સીએબીઆઈ કોર્ટનો અગાઉનો ચુકાદો
વર્ષ 2019માં સીએબીઆઈની વિશેષ અદાલતે ગુરમીત રામ રહીમ અને અન્ય આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ આરોપીઓએ આ નિર્ણય સામે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
હાઈકોર્ટનો નિર્ણય
હાઈકોર્ટએ કેસની તમામ દલીલો અને પુરાવાઓનું વિશ્લેષણ કર્યા બાદ જણાવ્યું કે રજૂ થયેલા પુરાવા આરોપીઓને દોષિત ઠેરવવા પૂરતા નથી. તેથી ગુરમીત રામ રહીમ સહિતના તમામ આરોપીઓને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
આ ચુકાદા સાથે જ પત્રકાર હત્યા કેસમાં લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડતને નવો વળાંક મળ્યો છે. #📜 સ્પેશ્યલ સ્ટોરી #🔥 બિગ અપડેટ્સ #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ


