ShareChat
click to see wallet page
search
#😱ઝેરી દવા ગટગટાવી પરિવારનો આપઘાત #📢 લેટેસ્ટ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #📖 તાજા સમાચાર🗞 @♥️⃟Čhaki T≛⃝✨🦋⃟‌⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆 સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા હડકંપ, મોતનું કારણ જાણવા પોલીસ દોડતી થઈ સુરતના લાલગેટમાં મંગળવારે(10 ફેબ્રુઆરી) એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક પરિવાર એક સપ્તાહ પહેલા જ સાઉદી અરેબિયાની યાત્રા કરીને પરત આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોત પાછળ શું કારણ હતું તે હજુ સુધી જાણી શકાયું નથી.આપઘાત એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા' (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.