ShareChat
click to see wallet page
search
#💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી #સુરત સમાચાર #📰 5 ડિસેમ્બર ના સમાચાર સુરતના ડિંડોલી વિસ્તારમાં સણીયા કણદે રોડ પર આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃ/તદેહ મળતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી શુક્રવારે સવારે કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ બપોર સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. ફોન પણ કોઈ ઉપાડતું ન હોવાથી પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. લોકેશન ટ્રેસ કરતાં બંને યુવતીઓનું છેલ્લું લોકેશન સણીયા કણદે રોડ નજીક મળ્યું હતું. તપાસ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં તેમની સ્કૂટી મળી આવી હતી. બાદમાં મંદિરના બાથરૂમનો દરવાજો તોડી તપાસ કરતા બંને યુવતીઓ મૃ/ત હાલતમાં મળી આવી હતી. ડીંડોલી પોલીસે બંને યુવતીઓના મૃ/તદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી એડી નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા બંનેના મોબાઇલ ફોન જપ્ત કરી FSL તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ મો/તનું ચોક્કસ કારણ સામે આવશે. #AmeSurati #SuratNews #Dindoli #AtmiyaSanskardham #SwaminarayanTemple Surat news | Dindoli su!cide case | Surat students death | Swaminarayan temple incident Surat | Surat police investigation | Surat viral news | Gujarat crime news | Ame Surati news | Surat breaking news | Dindoli incident | Udhna Citizen College Surat Dindoli Case: Two College Students Found Dead In Temple Bathroom | Police Investigation
💥 સુરત અપડેટ્સ - ShareChat
00:13