ShareChat
click to see wallet page
search
#🛕ગુજરાતના ઐતિહાસિક સ્થળોનો ઈતિહાસ👈 #👨‍🏫 જનરલ નોલેજ ક્વિઝ #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #E SHALA SETU #અવનવું જાણવા જેવું
🛕ગુજરાતના ઐતિહાસિક સ્થળોનો ઈતિહાસ👈 - ૧૫ મે જાણવા જેવું શિક્ષણકુંજ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ' શિક્ષણકુંજ लप्प दीपो भवः વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન એ ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં આવેલો સુરક્ષિત વિસ્તાર છે . જેમાં અંબિકા નદીના કિનારે આવેલાં દક્ષિણ ગુજરાતનાં અને ખાસ કરીને ડાંગનાં ગાઢ વનોનો સમાવેશ થાય છે . વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અંબિકા નદીને કિનારે સ્થિત છે જે લગભગ ૨૪ ચો . કિમી વિસ્તારમાં પથરાયેલો છે અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં . ૮ પર આવેલા ચિખલીથી આશરે ૬૫ કિમી પૂર્વે તથા વલસાડથી લગભગ ૮૦ કિ.મી.નાં અંતરે આવેલો છે . ત્યાં મોટેભાગે આદિવાસી વસ્તી છે . વાંસદા - વઘઇ રાજ્ય ધોરીમાર્ગ આ રાષ્ટ્રીય ઉદ્યાનની દક્ષિણ દિશાની સીમા પાસેથી પસાર થાય છે , અને એટલું જ નહી , વઘઇ અને બીલીમોરાને જોડતી સરા લાઇન તરીકે ઓળખાતી નેરો ગેજ રેલ્વે લાઇન પણ આ ઉદ્યાનની ઉત્તર દિશામાંથી પસાર થાય છે . . ઈ . સ . ૧૯૭૯ માં રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કરવામાં આવેલા આ સુરક્ષિત વિસ્તારમાં મહદ્ અંશે પાનખરનાં જંગલો આવેલાં છે , જેમાં સ્થાનિક ભાષામાં કટસ તરિકે ઓળખાતા વાંસનાં વનો આવેલાં છે , જે તેની શોભા વધારે છે અને અહીં ઇ . સ . ૧૯૫ રથી એક પણ વૃક્ષનું પતન થયું નથી . સહ્યાદ્રિ પર્વતમાળાનાં પશ્ચિમ ઘાટમાં પથરાયેલી આ વનરાજીમાં પ્રાણી અને વનસ્પતિ જગતની અલાયદી જ વિવિધતા જોવા મળે છે . पदापा भवः વાનસ્પતિક ઉદ્યાનને બાદ કરતા અહીંની સ્થાનિક આદિવાસી પ્રજાની રહેણી કરણી , ગિરા ધોધ વગેરે અન્ય આકર્ષણનાં કેન્દ્રો છે . આ સ્થળ પર રોકાણ કરવાની વ્યવસ્થા કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ખાતે ઉપલબ્ધ છે . શિક્ષણ , સર્જન , સિદ્ધિ - ShareChat