ShareChat
click to see wallet page
search
#📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #👨‍🏫 જનરલ નોલેજ ક્વિઝ #E SHALA SETU #દિન વિશેષ #શિક્ષણ ઓનલાઈન
📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી - દિન વિશેષ પુણ્યતિથિ શિક્ષણકુંજ શિક્ષણકુંદ अप्प दीपो भवः ચિત્તરંજનદાસ અવસાન : ૧૬ જૂન ૧૯૨૫ ) ચિતરંજનદાસ ( જન્મ : ૫ નવેમ્બર ૧૮૭૦ બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક પ્રમુખ કાર્યકર્તા તેમજ સ્વરાજ પાર્ટીના સંસ્થાપક નેતા હતા . તેઓ દેશબંધુ ના નામે પણ જાણીતા હતા . આર ૧૮૦૦ ૨ ચિતરંજનદાસનો જન્મ ૫ નવેમ્બર ૧૮૭૦ ના રોજ તેલીરબાગ , ઢાકાના પ્રખ્યાત દાસ પરીવારમાં કલકત્તા ખાતે થયો હતો . દાસ પરીવાર બ્રહ્મ સમાજના સભ્ય હતા . ચિતરંજન , ભુવન મોહન દાસના પુત્ર અને બ્રહ્મ સમાજ સુધારક દુર્ગા મોહન દાસના ભત્રીજા હતા . તેમના પિતા કલકત્તા ઉચ્ચ ન્યાયાલયના જાણીતા વકીલ અને પત્રકાર હતા જેમણે અંગ્રેજી ચર્ચ સાપ્તાહિક ધ બ્રહ્મો પબ્લિક ઓપિનિયનનું સંપાદન કર્યું . ચિતરંજનદાસની માતાનું નામ બસંતી દેવી હતું . ચિતરંજનદાસની બે બહેનોના નામ અપર્ણા દેવી અને કલ્યાણી દેવી હતા . જનદાર ચિતરંજનદાસનો પરીવાર વકીલોનો પરીવાર હતો . ૧૮૯૦ મં બી.એ.ની પરીક્ષા પાસ કર્યા બાદ ચિતરંજનદાસ આઇ.સી.એસ બનવા માટે ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા અને ૧૮૯૨ માં બેરિસ્ટર બનીને ભારત પાછા ફર્યા . ચિતરંજનદાસ અનુશીલન સમિતિની પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા . ૧૯૧૯–૧૯૨૨ના અસહયોગ આંદોલન દરમિયાન તેઓ બંગાળના અગ્રણી નેતા હતા . તેમણે બ્રિટીશ કાપડ પર પ્રતિબંધ મૂકવાની સાથે વિદેશી કપડાંની હોળી કરી ખાદીના કપડાં પહેરવાની શરૂઆત કરી . તેમણે ફોરવર્ડ નામનું દૈનિક ચાલું કર્યું જેને બાદમાં બ્રિટીશ શાસન વિરુદ્ધની લડત માટે લિબર્ટી નામ અપાયું . કલકત્તા નગર નિગમની સ્થાપના થતાં તેઓ તેના પ્રથમ મેયર બન્યા . એકતા , સહયોગ અને સાંપ્રદાયિક સદ્ભાવની તરફેણ કરતા હતા . નરમ સ્વાસ્થ્યને પગલે તેઓ દાર્જિલિંગ ચાલ્યા ગયા હતા જ્યાં ૧૬ જૂન ૧૯૨૫ ના રોજ તેમનું નિધન થયું હતું . શિક્ષણ , સર્જન , સિદ્ધિ ૧૬ જૂન - ShareChat