𝗦𝗔𝗡𝗝𝗔𝗬 𝗗𝗘𝗦𝗔𝗜
3K views • 6 hours ago •
#😱મહાકાલ મંદિરમાં ભીડથી અફરાતફરી🛕, પવિત્ર શ્રાવણ માસના સોમવારે મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પરિસરમાં દુર્ઘટના સર્જાઈ છે. વર્ષમાં માત્ર એક જ વાર ખુલતા પૌરાણિક નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન માટે ઉમટેલી લાખો ભક્તોની ભારે ભીડ વચ્ચે અચાનક નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં અમુક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.ઉત્તર ભારતના રાજ્યોમાં આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. ભગવાન મહાકાલ અને નાગચંદ્રેશ્વર મહાદેવના વિશેષ દર્શન માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો હતો. મંદિર પરિસર નજીક આવેલા હરસિદ્ધિ માતાના મંદિર સામેના બેરિકેડિંગ વાળા વિસ્તારમાં ભીડનું દબાણ અચાનક વધી ગયું હતું. લોકો આગળ વધવા માટે ધક્કામુક્કી કરવા લાગતાં અફરાતફરી મચી ગઈ હતી.ઉલ્લેખનીય છે કે મહાકાલ મંદિરના શિખર પર સ્થિત નાગચંદ્રેશ્વર મંદિરના કપાટ વર્ષમાં માત્ર એક જ વાર નાગપંચમીના પાવન અવસરે ખોલવામાં આવે છે. આ દુર્લભ દર્શનનો લાભ લેવા દેશભરમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉજ્જૈન પહોંચે છે. સત્તાવાર માહિતી અનુસાર, અત્યાર સુધીમાં આશરે 5.50 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે.
#📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🔥 બિગ અપડેટ્સ #🔱 હર હર મહાદેવ #📱મહાદેવ વિડિઓ સ્ટેટ્સ
31 shares