આખું ભારત રક્ષાબંધન ઉજવે છે, પણ સુરતમાં કેમ બીજા દિવસે ઉજવાય છે?😳🥺 Follow @kemchhosurat for More! રક્ષાબંધન આખા ભારત માટે ખુશીનો તહેવાર છે, પરંતુ કદાચ સુરત માટે આ દિવસ સાથે એક દુઃખદ ઇતિહાસ પણ જોડાયેલો છે. વર્ષ 1938માં પૂનમના દિવસે દરિયામાં ભરતીના કારણે સુરતની તાપી નદીમાં એક બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 84 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 😔🙏 આ કરુણ ઘટનાથી સમગ્ર સુરત શોકમાં ગરકાવ થઈ ગયું હતું. ત્યારબાદ અલગ-અલગ જ્ઞાતિના આગેવાનોએ નક્કી કર્યું કે રક્ષાબંધનનો તહેવાર નહીં ઉજવવામાં આવે. સમય જતાં પરિસ્થિતિમાં કેટલાક ફેરફારો આવ્યા અને કેટલાક પરિવારોએ રક્ષાબંધન એક દિવસ બાદ ઉજવવાનું શરૂ કર્યું. આજે પણ સુરતના કેટલાક પરિવારોમાં આ પરંપરા જોવા મળે છે. ખાસ કરીને રાણા, મોઢવણિક, ખત્રી, સોની, જૈન વાણિયા, કાછિયા કણબી, લુહાર અને સુથાર જ્ઞાતિના અનેક પરિવારોમાં રક્ષાબંધન બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ છે આખા ભારતથી અલગ સુરતની રક્ષાબંધનની અનોખી પરંપરા અને તેની પાછળ જોડાયેલી એક કરુણ કહાની. ❤️ શું તમારા ઘરે પણ રક્ષાબંધન બીજા દિવસે ઉજવવામાં આવે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. #😱नेपाल में तबाही के बीच चीन भी कांपा 🚨 #🌊नेपाल में बाढ़ से अब तक 469 मौतें 😢 #👩‍👦हैप्पी रक्षाबंधन🥰🥳 #👩‍👦हैप्पी रक्षाबंधन🥰🥳 #Diamond 💎 City Surat #viral
11 shares

More like this