𝗦𝗔𝗡𝗝𝗔𝗬 𝗗𝗘𝗦𝗔𝗜
1K views • 11 hours ago •
#😱ટનલ દુર્ઘટના 7ના મોત અનેકો ઘાયલ, ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પીપલકોટીમાં આવેલ THDCના વિષ્ણુગઢ-પીપલકોટી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ટનલની અંદર અચાનક કાટમાળ અને પાણીનો મોટો પ્રવાહ આવતા કુલ 22 કામદારો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર, SDRF અને NDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.નવીનતમ માહિતી મુજબ અત્યાર સુધીમાં 20 કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, તેમાં સાત કામદારોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. જ્યારે 14 કામદારો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. એક કામદાર હજુ પણ ગુમ હોવાથી તેને શોધવા માટે બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.બચાવ કામગીરીનો તાજેતરનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સુરંગમાં ફસાયેલા એક કામદારને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યો હોવાનું જોવા મળે છે. બચાવ ટીમો સતત કાટમાળ દૂર કરીને અંદર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.THDCના પ્રોજેક્ટ મેનેજરે જણાવ્યું હતું કે અકસ્માત સમયે કુલ 22 લોકો ટનલની અંદર કામ કરી રહ્યા હતા. શરૂઆતની બચાવ કામગીરીમાં 20 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે 14 અન્ય કામદારો ઘાયલ થયા છે. બાકીના કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કામગીરી હજુ પણ ચાલુ છે.વહીવટીતંત્રે જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં ઉત્તરાખંડના ટિહરી અને ચમોલીના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે, જ્યારે બાકીના મૃતકો બિહાર અને ઝારખંડના રહેવાસી હતા. ઘાયલ થયેલા મોટાભાગના કામદારો પણ ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત એક કામદાર પંજાબનો અને બીજો હિમાચલ પ્રદેશનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.અધિકારીઓના જણાવ્યા મુજબ ટનલની અંદર પાણી અને કાદવનું પ્રમાણ વધી જતાં બચાવ કામગીરીને મુશ્કેલી પડી રહી છે. ભારે કાદવ અને સતત આવતા પાણીના કારણે કેટલીકવાર કામગીરી અટકાવવાની પણ ફરજ પડી હતી. સત્તાવાર માહિતી મુજબ હજુ પણ એક વ્યક્તિ ગુમ છે અને તેને શોધવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ચમોલીના પોલીસ અધિક્ષક સુરજીત સિંહ પવારે જણાવ્યું હતું કે આ ઘટના સાંજે લગભગ 6:30 થી 6:45 વાગ્યાની વચ્ચે બની હતી. પીપલકોટી હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલની અંદર લગભગ 1.8 કિલોમીટર દૂર આવેલા એક ખાડામાંથી અચાનક કાટમાળ અને પાણીનો મોટો જથ્થો બહાર આવ્યો હતો. ટનલના પ્રવેશદ્વારથી અંદાજે 1.50 કિલોમીટર દૂર કામ કરી રહેલા કામદારો આ કાટમાળ અને પાણી વચ્ચે ફસાઈ ગયા હતા.SDRF અને NDRFની ટીમો સ્થળ પર સંપૂર્ણ તાકાતથી બચાવ કામગીરી કરી રહી છે. TLDC અને SCCની ભારે મશીનરી દ્વારા સતત કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ટનલની અંદર ભરાયેલા પાણી બહાર કાઢવા માટે ત્રણ મોટા પંપ પણ લગાવવામાં આવ્યા છે જેથી બચાવ કામગીરી ઝડપથી આગળ વધી શકે.બચાવી લેવામાં આવેલા 14 ઘાયલ કામદારોમાંથી ત્રણથી ચાર લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઘાયલોને તાત્કાલિક ગોપેશ્વરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જરૂર પડ્યે તેમને વધુ સારી અને અદ્યતન સારવાર મળી રહે તે માટે પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને સમગ્ર બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ NDRF અને SDRFની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી.ખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સ્પષ્ટ કર્યું છે કે સરકારની પ્રથમ અને મુખ્ય પ્રાથમિકતા સુરંગમાં ફસાયેલા દરેક વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવાની છે. તમામ વરિષ્ઠ અધિકારીઓ, વહીવટી તંત્ર અને રાહત એજન્સીઓ ઘટનાસ્થળે હાજર રહી કામગીરી પર નજર રાખી રહ્યા છે. બચાવ કામગીરીમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય તે માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આગામી થોડા કલાકોમાં અંદર ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે.
#🔥 બિગ અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો
12 likes
12 shares