ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક કલાકોથી ચાલુ ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે.જમ્મુ, હિમાચલ પ્રદેશ અને પંજાબના કેટલાક ભાગોમાં ઘણા કલાકોથી વરસાદ ચાલુ છે.પીટીઆઈના અહેવાલ પ્રમાણે વૈષ્ણોદેવીમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને 32 થયો છે. તેના કારણે વૈષ્ણોદેવી યાત્રા અટકાવી દેવાઈ છે. મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે પરિસ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી છે.હિમાચલ પ્રદેશમાં ચંડીગઢ-મનાલી હાઇવેને નુકસાન થયું છે, જ્યારે પંજાબમાં ભારે વરસાદના કારણે 30 ઑગસ્ટ સુધી શાળાઓ બંધ રાખવા નિર્દેશ અપાયો છે. #😱વૈષ્ણો દેવીમાં લેન્ડસ્લાઇડ 31નાં મોત

