🌾 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોની સાથે – બેમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા 🌦️
રાજ્યમાં થયેલી બેમોસમી વરસાદની અસરથી ખેડૂતોને થયેલા નુકસાનની પરિસ્થિતિ જાણવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાનાં ગામોમાં જઈ ખેડૂતોની વ્યથા સંવેદનાપૂર્વક સાંભળી.
મુખ્યમંત્રીશ્રીએ નિર્દેશ આપતા જણાવ્યું કે –“રાજ્ય સરકાર ખેડૂતોની આ મુશ્કેલીમાં પૂરી સંવેદના સાથે તેમની સાથે છે. તેમને વહેલી તકે રાહત મળી રહે તે માટે રાજ્ય સરકાર તત્પરતાથી કાર્યરત છે.”
✅ રાજ્યમાં બેમોસમી વરસાદથી નુકસાન થયેલા વિસ્તારોમાં યુદ્ધસ્તરે સર્વે કાર્ય શરૂ
✅ 4800 થી વધુ ટીમો મેદાને ઉતરી કાર્યરત
✅ અત્યાર સુધી લગભગ 70 ટકા વિસ્તારોમાં સર્વે પૂર્ણ
✅ બાકીનાં વિસ્તારોમાં 24x7 કાર્ય ચાલી રહ્યું છે
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સર્વે પૂર્ણ થતાં જ રાજ્ય સરકાર ઉદારતાપૂર્વકનું રાહત પેકેજ જાહેર કરશે, જેથી ખેડૂતોને નુકસાનમાંથી વહેલી તકે ઉગાર મળી રહે.
#ભૂપેન્દ્રપટેલ #ગુજરાતસરકાર #ખેડૂતપ્રતિબદ્ધતા #GirSomnath #Junagadh #GujaratFarmers #BemosamiVarsad #ReliefWork #KhedutSatheSarkar #📢4 नवंबर के अपडेट 🗞️


