🌕ચંદ્રદેવના કારણે મહાદેવ સોમનાથ રૂપે સૌરાષ્ટ્રની ધરતી પર પધાર્યા🪷
.
ચંદ્રના વિવાહ દક્ષની સત્તાવીસ પુત્રી સાથે થયા હતા પરંતુ રોહિણી સાથે અતિ પ્રેમ હતો આ કારણે પોતાની અન્ય રાણીઓની અવગણના કરી. પોતાની અન્ય દીકરીઓની વેદના જાણીને વ્યથિત દક્ષે ચંદ્રને શ્રાપ આપ્યો અને ચંદ્રએ પ્રકાશની શક્તિ ગુમાવી દીધી. પ્રજાપિતા બ્રહ્માની સલાહથી ચંદ્ર પ્રભાસ તીર્થ પર આવ્યા અને સમુદ્ર કિનારે ભગવાન શિવની પૂજા કરી. ચંદ્રદેવની તપસ્યા અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા અને અંધકારના શ્રાપમાંથી મુક્તિ અપાવી. ચંદ્રની વિનંતીથી ભગવાન શિવ અહીં જ સમુદ્ર કિનારે જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજ્યા. ચંદ્રદેવનું બીજું નામ સોમ છે એટલે મહાદેવ અહીં સોમનાથ સ્વરૂપે બિરાજ્યા.
.
🛕સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરવા પધારો👨👩👧
#🛕સોમનાથ જ્યોતિર્લિંગ🕉️ #પ્રથમ જ્યોતિર્લિંગ "સોમનાથ"📷 #શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ #જય ગરવો ગઢ ગિરનાર# #udankhatola


