આજે ધોલેરામાં શ્રી મદનમોહનજી મહારાજ નો 200મો વાર્ષિક પાટોત્સવ છે.
________________________
ધોલેરામાં મદનમોહનજી મહારાજની પ્રાણપ્રતિષ્ઠા :- હે રાજન્ ! મંદિરનું કામ પૂર્ણ થવા આવ્યું છે, થોડું અધૂરું છે, એમ જાણી ભગવાન શ્રીહરિએ જ્યોતિષી બ્રાહ્મણોને બોલાવી શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠાનું મુહૂર્ત પૂછયું.૨૫
ત્યારે બ્રાહ્મણો કહેવા લાગ્યા કે, હે પ્રભુ ! વૈશાખ સુદ તેરસના શુક્રવારે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત છે.૨૬
આ પ્રમાણે શ્રીહરિને કહ્યું, તેથી પ્રતિષ્ઠાનું મુહૂર્ત દૂર હોવાથી ગઢપુર જવા તૈયાર થયેલા શ્રીહરિને નમસ્કાર કરી પુંજાજી દરબારે પ્રાર્થના કરીને પ્રતિષ્ઠા સુધી ત્યાં જ રોકી રાખ્યા.૨૭
હે મહીપતિ ! ભક્તને વશ વર્તતા ભગવાન શ્રીહરિ પણ દરરોજ સદ્વાર્તાઓ કરી અદ્ભૂતાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આદિ સંતોને તથા પુંજાજી, નારાયણજી, ભોજો, મૌનો, વૃદ્ધ રતનજી, જીવણ, ખીમો અને વનમાલી આદિ ભક્તજનોને સુખ ઉપજાવતા ધોલેરામાં જ સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા,૨૮
તેથી ભાલપ્રદેશના ભક્તજનોને મોટો ઉત્સવ થયો. તેઓ પ્રતિદિન સમૂહમાં ભેળા મળી ધોલેરા દર્શને આવતા ને જતા. આમ કરતાં સંવત ૧૮૮૨ ના વૈશાખ સુદ તેરસને શુક્રવારે ભગવાન શ્રીહરિએ મંદિરમાં રાધાએ સહિત શ્રીમદનમોહનજી ભગવાન એવા શ્રીકૃષ્ણની શાસ્ત્રના વિધિ પ્રમાણે સ્થાપના કરી.૩૦
પ્રતિષ્ઠા સમયે અનેક પ્રકારના વાજિંત્રોના મધુર ધ્વનિ સાથે પૂજા વિધિનો મહાન ઉત્સવ થયો, ભગવાન શ્રીહરિએ હજારો વિપ્રોને ભોજન કરાવ્યાં .૩૧
ને મહા ઉદાર શ્રીહરિએ તે સર્વે બ્રાહ્મણોને દક્ષિણા અને વસ્ત્રો પણ અર્પણ કર્યા. બીજે દિવસે નરસિંહ ચૌદશનો ઉત્સવ પણ ધોલેરામાંજ ધામધૂમથી ઉજવ્યો.૩૨
હે રાજન્ ! ભગવાન શ્રીહરિ પૂર્ણિમાના દિવસે ભોજન કરી સંતો-ભક્તોની સાથે ધોલેરાથી ચાલ્યા તે વૈશાખ વદ પડવાના દિવસે બપોર પછીના સમયે ગઢપુર પધાર્યા.૩૩
તે સમયે શ્રીહરિનાં દર્શન કરી દુર્ગપુરવાસી ભક્તજનોને ખૂબજ આનંદ થયો. સુખમયમૂર્તિ ભગવાન શ્રીહરિ પોતાની અક્ષર ઓરડીએ પધાર્યા અને ત્યાં સુખપૂર્વક રહેવા લાગ્યા.૩૪
(સત્સંગિજીવન પ્રકરણ ૪ અધ્યાય ૪૫)
#🪈જય દ્વારકાધીશ👑 #✋ જય સ્વામીનારાયણ #🙏 જય શ્રી કૃષ્ણ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺


