Divya
વડોદરાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ સહિત આ દિગ્ગજ નેતાઓના પત્તાં કપાયા
ભાજપના ઉમેદવારોની નામની જાહેરાત કરે તેના પહેલા જ રૂપાણી મંત્રી મંડળના નેતાઓની એક બાદ એક જાહેરાત સામે આવી છે. તેઓ ચૂંટણી નહી લડે જેની પાંચ નેતાઓએ જાહેરાત કરી છે. તેઓ આ વિધાનસભામાં ચૂંટણી નહી લડે.પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સરકારના સમયના મંત્રી અને ભાજપના સિનિયર નેતા ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ પ્રદીપસિંહ જાડેજા પણ ચૂંટણી નહીં લડે. દિલ્હીથી યાદી જાહેર થાય તે પહેલા ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓએ સ્વૈચ્છિક જાહેરાત કરી દીધી છે. અગાઉ વિજય રૂપાણી અને નીતિન પટેલે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 25થી વધારે દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપી નાખી છે.
રાજકોટ પૂર્વથી અરવિંદ રૈયાણીનું પત્તુ કપાયું
રાજકોટ દક્ષિણથી ગોવિંદ પટેલનું પત્તુ કપાયું
બ્રિજેશ મોરજાને મોરબીથી ન મળી ટિકિટ
અંજારથી વાસણ આહિરની ટિકિટ કપાઈ
જામનગર ઉત્તરથી હકુભા જાડેજાની ટિકિટ કપાઈ
ગઢડાથી આત્મરામ પરમારની ટિકિટ કપાઈ
બોટાદથી સૌરભ પટેલનું પત્તુ કપાયું
નવસારીથી પિયુષ દેસાઈની ટિકિટ કપાઈ
નરોડાથી બલરાણ થાવાણીની ટિકિટ કપાઈ
નારણપુરાથી કૌશિક પટેલની ટિકિટ કપાઈ
મણિનગરથી સુરેશ પટેલની ટિકિટ કપાઈ
ડીસાથી શશિકાંત પંડ્યાની ટિકિટ કપાઈ
વઢવાણથી ધનજી પટેલનું પત્તુ કપાયું
વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ
નિમાબેન આચાર્યની ભુજ બેઠકથી ટિકિટ કપાઈ
ગાંધીનગર દક્ષિણથી શંભુજી ઠાકોરની ટિકિટ કપાઈ
વેજલપુરથી કિશોર ચૌહાણની ટિકિટ કપાઈ
એલિસબ્રિજથી રાકેશ શાહની ટિકિટ કપાઈ
ઇડર બેઠક પરથી હિતુ કનોડિયાની ટિકિટ કાપવામાં આવી છે જ્યારે આ બેઠક પર રમણભાઇ વોરાને ટિકિટ આપવામાં આવી છે. ડીસા બેઠક પરથી શશિકાંતની ટિકિટ કાપવામાં આવી છે તેમના સ્થાને પ્રવિણમાલીને ટિકિટ અપાઇ છે.
રાવપુરા બેઠક પરથી રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાઇ છે. તેમના સ્થાને બાલકૃષ્ણ શુક્લાને ટિકિટ અપાઇ છે. વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપવામાં આવી છે. તેમના બદલે અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ પૂર્વથી અરવિંદ રૈયાણીની ટિકિટ કપાઇ છે તેમના બદલે આ બેઠક પર ઉદય કાનગડને ટિકિટ અપાઇ છે. #🔴 ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર