*દેવી અહલ્યાબાઈ*🌸 (પોસ્ટ-૨૦)
સિરાજમાં ખેમદાસ નામનો એક ધનવાન વ્યક્તિ નિ:સંતાન મૃત્યુ પામે છે. રાજ્યના અધિકારીઓ તે મૃતકની સંપત્તિ વારસદાર વગરની ઘણી તેને રાજકોષમાં જમા કરવા ઈચ્છે છે. તેમની વિધવા પત્નીએ અધિકારીઓને પ્રાર્થના કરી કે તે એક પુત્ર દત્તક લેવા માંગે છે માટે તેની સંપત્તિ જપ્ત ન કરો. અધિકારીએ વિધવા મહિલાને સહયોગ આપવાના બદલામાં ત્રણ લાખ રૂપિયાની માગણી કરી. તે સ્ત્રીએ લાચારીવશ આ વાત માની લીધી. આ સમગ્ર ઘટના તે વિધવા મહિલાએ પોતાના એક સંબંધીને કહી જણાવી. સંબંધીએ ઘટનાને જાણી તે મહિલાને દેવી અહલ્યાબાઈની પાસે જવાની સલાહ આપી. સંબંધીના માર્ગદર્શન અનુસાર તે મહિલા રાજદરબારમાં ઉપસ્થિત થઈ અને સમગ્ર ઘટનાને દેવી અહલ્યાબાઈને જણાવી. દેવી અહલ્યાબાઈએ સહાનુભૂતિપૂર્વક બધી વાતો સાંભળી લીધી અને તે અધિકારીને તુરંત જ બોલાવી સત્ય શું છે તે જાણી લીધું. મહિલાની વાત સત્ય સિદ્ધ થતાં, તુરંત જ તે *ભ્રષ્ટાચારી અધિકારીને પદમુક્ત કરી, સજા કરી* અને તે વિધવા મહિલાને પુત્ર દત્તક લેવા સંબંધી કાગળો તૈયાર કરવાની આજ્ઞા આપી ન્યાય કર્યો.
આમ, જેમ બાળક માતા પાસે સહજ રીતે જઈ શકે તેમ લોકો વિના સંકોચ દેવી અહલ્યાબાઈ પાસે જઈ શકતા હતા અને પોતાની વાત ભય વગર કહી શકતા હતા. માટે દેવી અહલ્યાબાઈ *લોકમાતા* કહેવાયા.
_दया - दंड अनुपात संतुलित न्यायतंत्र में मानवीयता।_
_शत शत वन्दन देवी अहल्ये❗️हम सब की कर्तृत्व प्रेरणा।।_
આવું સમ્યક્ માર્ગદર્શન તેમને આપ્યું🤔...જાણો....
ક્રમશ: ..........................
👉👉🏽👉 *આવતીકાલે પોસ્ટ-૨૧*
#રાષ્ટ્રીય_વિમર્શ #દેવી_અહલ્યાબાઈ
#પુણ્યશ્લોક_અહલ્યાબાઈ #AhilyabaiHolker
*દેવી અહલ્યાબાઈના જીવનને જાણવા*
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩🏫 #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #💼 સરકારી નોકરીની માહિતી #🙋♂️ મારા પ્રેરણાસ્ત્રોત #📕 કારકિર્દી ટિપ્સ ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરીએ અને કરાવીએ, નોટિફિકેશન બટન *ON* રાખીએ.



