Prakash Patel
ShareChat
click to see wallet page
@3075628873
3075628873
Prakash Patel
@3075628873
मुझे ShareChat पर फॉलो करें!
#👣 જય મેલડી માઁ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺
👣 જય મેલડી માઁ - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - ೫೬ ढिनथडीन विधा, 66 ٤٦،٤٦ ٤،٦، «،٩٤٦ खने २ नृेषटीन २न्भाIन Q4(Sd డ २८ थारेय थ३७ थने 5uE[ಚ] ಅ. ೫೬ ढिनथडीन विधा, 66 ٤٦،٤٦ ٤،٦، «،٩٤٦ खने २ नृेषटीन २न्भाIन Q4(Sd డ २८ थारेय थ३७ थने 5uE[ಚ] ಅ. - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ #રામાયણ🏹 🌞અયોધ્યા કાંડ.. 40 ༺꧁📙 🌞 હરિ દૂત 🕊 https://www.facebook.com/share/p/1JcjKYqvmV/ 🌞 .. .. બીજે દિવસે,જનકજી એ ભરત ને કહ્યું કે-શ્રીરામ નો સ્વભાવ તમે જાણો છે,તેઓ સત્યવ્રત અને ધર્મનિષ્ઠ છે,બધું તે એકલા એકલા જ મનમાં સહન કરી રહ્યા છે,હવે તો તમે કહો તેમ થાય. ત્યારે ભરત કહે છે કે-હું તો કેવળ સેવક છું,સેવા-ધર્મ મહા-કઠિન છે,સ્વામી ની સેવા અને સ્વાર્થ ની સેવા એક સાથે થઇ શકે નહિ.હું સ્વાર્થવશ થઇ ને કે પ્રેમવશ થઈને કંઈ કહું તો બંને માં ભૂલ થવા સંભવ છે.માટે. રામજી ની ઈચ્છા અને તેમના ધર્મ અને સત્યવ્રત સાચવી ને સર્વનું હિત થાય તેમ તમે જ કંઈક કરો. જનકજી પછી વશિષ્ઠજી પાસે ગયા અને બંને રામજી ને મળ્યા.અને કહ્યું કે-હે,રામ, સૌ ના મનની વાત તો તમે જાણો જ છો,તમે જ આ પ્રશ્ન નો ઉકેલ કરો,સૌ તમારી આજ્ઞા માથે ચડાવશે. ફરીથી સભા મળી,બધા ભેગા થયા,ત્યારે સભામાં વશિષ્ઠજી એ જાહેર કર્યું,કે-શ્રીરામ જે આજ્ઞા કરશે તે સૌ માથે ચડાવશે. ત્યારે રામજીએ ઉભા થઈ ને હાથ જોડી ને કહ્યું કે- આપ અને પૂજ્ય જનકજી જ્યાં હાજર હોય,ત્યાં મારે આજ્ઞા કરવાની હોય જ નહિ.આપ આજ્ઞા કરો. હવે સહુએ ભરતજી સામે જોયું, એટલે હવે ભરતજી ઉભા થયા,સૌને પ્રણામ કર્યા,પછી શ્રીરામ ને કહ્યું.કે- હે,પ્રભુ,આપ મારા પિતા છો,માતા છો,ગુરૂ છો,સ્વામી છો,પૂજ્ય છો,અંતર્યામી છો- હું તો આપનો અધમ સેવક છું,હું મોહ-વશ થઇ આપની અને પિતાની આજ્ઞા નું ઉલ્લંઘન કરી ને અહીં આવ્યો છું, ખુદ,મૃત્યુ કે અમૃત પણ આપની આજ્ઞા નું ઉલ્લંઘન કરવાની ધ્રુષ્ટતા કરે નહિ,તે મેં કરી,તોયે આપે મારી ધ્રુષ્ટતા ને સેવા માની,મારા અયોગ્ય કાર્ય ને માફ કર્યું,આપની કૃપા થી મારા દૂષણ –ભૂષણ બની ગયાં. ને ચોમેર મારો યશ થયો.હું પ્રતિજ્ઞા પૂર્વક કહું છું કે-જગતમાં આવો સ્વામી મળે નહિ,હું સેવક તો પઢાવેલા પોપટ જેવો પઢાવેલી બોલી બોલનારો છું,લોકો પોપટ ની હોંશિયારીનાં વખાણ કરે,પણ પોપટ ના ગુણ એના પઢાવનારને આધીન છે.સેવક ને માટે સ્વામીની આજ્ઞા માનવી એ જ શ્રેષ્ઠ સેવા છે.એ જ શ્રેષ્ઠ પ્રસાદ છે.હું આપની પાસેથી પ્રસાદ ની યાચના કરું છું. આટલું બોલતાં બોલતાં ભરતજી ની આંખોમાં આંસુ આવી ગયાં,તેમણે પ્રાણ-વિહ્વળ બની ને રામજી ના પગ પકડી લીધા.રામજી એ સ્નેહથી તેમનો હાથ પકડી પોતાની પાસે બેસાડ્યા. ભરતજી નું ભાષણ સાંભળી દેવો પણ “ધન્ય-ધન્ય” કહી ને પુષ્પોની વૃષ્ટિ વરસાવવા લાગ્યા. તુલસીદાસજી કહે છે કે-દેવો કાગડા જેવા છે,તેમને માત્ર બે જ ચીજ પ્રિય છે,પોતાનો લાભ અને બીજા ની હાનિ.શ્રીરામ ની પાસે રાવણ નો વધ કરાવવો છે તે દેવો નો લાભ છે, લોકો ની ઉત્કંઠા વધી છે કે હવે શું થશે?ચિતરેલા ચિત્ર ની પેઠે સહુ રામજી ને જોઈ રહ્યા છે. પછી શ્રીરામે ધીર-ગંભીર થઇ ને ભરતજી ની સામે જોઈ ને કહ્યું કે- સાંજ પહેલાં સૂરજ આથમે તો ઉત્પાત થયા વગર રહે નહીં. પિતાજી ના મૃત્યુ થી એવો ઉત્પાત થયો હતો, તેમાંથી ગુરુજી ની કૃપાએ આપણને સૌને બચાવી લીધા છે.મારો અને તમારો પુરુષાર્થ એક છે,સ્વાર્થ અને પરમાર્થ એક છે,ધર્મ અને યશ એક છે.આપણે બંને ભાઈઓ પિતાજી ની આજ્ઞા પાળીએ એમાં જ સર્વ નું કલ્યાણ છે. ભરતજી ક્ષણમાં સમજી ગયા છે,કે-રામજી ની ધર્મ-નિષ્ઠા ને કારણે તે કોઈ પણ રીતે પોતાના નિર્ણય માં ફેરફાર કરશે નહિ,તેમણે વધુ ધર્મ-સંકટ માં નાખવા એ સ્વામી ને સુખ પહોંચાડવા જેવું જ છે.. તેમના જીવ ને થડકાર થયો છે,કે પોતાની ઈચ્છા પ્રમાણે હવે થશે નહિ,એટલે, તરત જ વિચારીને કહ્યું કે- હું આપની આજ્ઞા માથે ચડાવું છું,પણ મને કોઈ આધાર આપો,નહિતર હું ચૌદ વર્ષ કેવી રીતે જીવી શકીશ? હું રાજા તરીકે નહિ પણ આપના સેવક તરીકે અયોધ્યા જઈશ,સિંહાસન આપનું છે અને આપનું જ રહેશે.હું એ સિંહાસન પર બેસીશ નહિ,માટે આ સુવર્ણ પાદુકાઓ પર આપનાં પવિત્ર ચરણો પધરાવો,અને આપની પ્રસાદી સમજી ને,એ પાદુકાઓ ને હું સિંહાસન પર પધારાવીશ,અને તેના પ્રભાવથી જ સર્વ નું કલ્યાણ થશે. સભામાં ભરતનો જય-જયકાર થયો.સર્વે ને અતિ આનદ થયો કે કોઈ ત્રીજો પણ અતિ-સુંદર રસ્તો ભરતજી એ ખોળી કાઢ્યો.સર્વે લોકો ભરતની સેવક-વૃત્તિ ની પ્રસંશા કરવા લાગ્યા,ને રામજી ના પ્રતિભાવ ની રાહ જોવા લાગ્યા. (#રામાયણ🏹 સરળ સમજૂતી સાથે.. તમને સમજાય તેવી સરળ શૈલી માં.. દરરોજ facebook માં..) ❛❛🕉️🏹જય શ્રી રામ🙏❜❜ ❛❛🕉️ જય હનુમાન દાદા 🙏❜❜
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - మ 2[2{[2(9[ 2u8l sis.40 మ 2[2{[2(9[ 2u8l sis.40 - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - న 66 "gcal" 1i dIsld slu dl "छxच२" ने 4ाभी श४थ छे 1 "प्रथतन" ६५ थ ೭1 5231 d1 "-{2[ಯ" VQL ಯEc[ 25[2..99: న 66 "gcal" 1i dIsld slu dl "छxच२" ने 4ाभी श४थ छे 1 "प्रथतन" ६५ थ ೭1 5231 d1 "-{2[ಯ" VQL ಯEc[ 25[2..99: - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - डोर्छ न। भाटे २भर्प९८ $२वुं थे थधरं नथी.,थधरं थे छे g.. 30 थेवी व्थड्ति शोधवी % तभI२ शभर्पश CARE HEALTH  नुं २नभIन ४२े.! 9974692137 70166090n9 डोर्छ न। भाटे २भर्प९८ $२वुं थे थधरं नथी.,थधरं थे छे g.. 30 थेवी व्थड्ति शोधवी % तभI२ शभर्पश CARE HEALTH  नुं २नभIन ४२े.! 9974692137 70166090n9 - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - जय 9I ఖUII WS-(8ul" d us&l 6 315 22uL[, ?[೦   @d d?.. ,৫[3 &d ७ोथ न। %भi " भॉCIखIध", ১থ 7 HIgI&{ % &ulவ 9 ! जय 9I ఖUII WS-(8ul" d us&l 6 315 22uL[, ?[೦   @d d?.. ,৫[3 &d ७ोथ न। %भi " भॉCIखIध", ১থ 7 HIgI&{ % &ulவ 9 ! - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - क्रचपेशायनम8 % क्रचपेशायनम8 % - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - ೨೬ N कधाथी थधरं २्{ासन 66 2{[%4[2{~, dtalబ aict %lal विश्वा२,षधाथी २ध२ो थोश वियो२ खनेष्षधारया २प२Iभi सा२ो थोश २cथो२ छे. ೨೬ N कधाथी थधरं २्{ासन 66 2{[%4[2{~, dtalబ aict %lal विश्वा२,षधाथी २ध२ो थोश वियो२ खनेष्षधारया २प२Iभi सा२ो थोश २cथो२ छे. - ShareChat
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ #રામાયણ🏹 🌞અયોધ્યા કાંડ.. 39 ༺꧁📙 🌞 હરિ દૂત 🕊 https://www.facebook.com/share/p/17ztTS4ptk/ 🌞 .. .. શ્રીરામે ભરતને આશ્વાસન આપવા અનેક દષ્ટાંતો આપી ને કહ્યું કે-ભાઈ,તમે ખોટો શોક ના કરો.જીવ ની ગતિ ઈશ્વરાધીન છે.હું નિશ્ચયપૂર્વક કહું છું કે,ત્રણે ભવનો ના પુણ્યાત્મા લોકો,તમારા કરતાં ઉતરતા છે. હે ભરત,તમારા નામ નું સ્મરણ કરતાં સર્વ તાપ,પાપ,અજ્ઞાન અને અમંગલનો નાશ થશે, અને આ લોકમાં તથા પરલોકમાં સુખ પ્રાપ્ત થશે. વેર અને પ્રેમ ઢાંક્યાં ઢંકાતાં નથી,પારધી ને જોતાં જ પશુ પંખીઓ ભાગી જાય છે અને મુનિઓ પાસે તે નિર્ભય થઇ ને ફરે છે.પશુપંખીઓ પણ પ્રેમ ને ઓળખે છે,તો મનુષ્ય કેમ ઓળખી શકે નહિ? હું તમને ઓળખું છું.તેથી તમે જે કહો તે કરવા હું તૈયાર છું. ભરતજી રામજીની કૃપા થી ગદગદ થયા છે,બે હાથ જોડી તેમણે કહ્યું કે-હવે હું શું કહું ને શું કહેવડાવું? હું ખોટા ભયથી ડરી ગયો હતો,મારા શોક નું કોઈ મૂળ જ નહોતું.પણ આપની મારા પર અપરંપાર કૃપા છે, હું આપનો સેવક છું અને આપને શરણે આવ્યો છું. સેવકનું હિત તે સ્વામી ની સેવા છે,સેવકે પોતાના સુખ નો વિચાર કરવો જોઈએ નહિ,એથી હવે આપજ કહો કે જેમાં આપને કોઈ ક્ષોભ ના રહે.અને મારું હિત થાય. આપ આજ્ઞા કરો તે પ્રમાણે કરવા હું તૈયાર છું. અમે રાજ્યતિલક ની સામગ્રી લઈને આવ્યા છીએ.આપણે રાજ્યતિલક કરવામાં આવે ને આપ અયોધ્યા પધારી અયોધ્યા ને સનાથ કરો. --આપ અને લક્ષ્મણ અયોધ્યા પધારો ને હું અને શત્રુઘ્ન વનવાસ ભોગવીશું, --અથવા લક્ષ્મણ-શત્રુઘ્ન અયોધ્યા જાય ને હું આપની સાથે વનવાસ ભોગવું, --અથવા અમે ત્રણે ભાઈઓ વનમાં રહીશું અને આપ સીતાજી સાથે અયોધ્યા જાઓ. હું સત્યભાવે કહું છું કે-આપ જે આજ્ઞા કરશો તે હું માથે ચડાવીશ. તે જ વખતે જનકરાજાના દૂતો ત્યાં પધાર્યા.એટલે વાત ત્યાંજ અટકી. બીજે દિવસે,જનકરાજા,રાણી તરહ ગુરૂ શતાનંદ વગેરે ત્યાં આવી પહોંચ્યા.શોક નો સાગર ફરીથી ઉમટ્યો. જનકરાજા બ્રહ્મનિષ્ઠ હતા તેમ છતાં સીતાજી નો તપસ્વી વેશ જોઈ તેમનું હૃદય ભરાઈ આવ્યું. વશિષ્ઠજી એ તેમને આશ્વાસન આપ્યું. એ આખો દિવસ ભોજન ની વાત તો દૂર રહી કોઈએ પાણી સુધ્ધાં પીધું નહિ. સીતાજી ને જોઈ ને માતાઓના દુઃખ નો પણ પાર નહોતો. કૌશલ્યાજી કહે છે કે-આ વિધાતા ને શું કહેવું?દૂધના ફીણ જેવી કોમળ ચીજ ને તે વજ્ર ના ટાંકણાથી તોડે છે.સુમીત્રાજી કહે છે કે-વિધાતા વિવેક-શૂન્ય છે. ત્યારે કૌશલ્યાજી કહે છે કે-કોઈનો વાંક નથી,સુખ-દુઃખ બધું કર્માધીન છે,કર્મ ની ગતિ ગહન છે,ઈશ્વરની આજ્ઞા વગર કાંઇ થતું નથી.રામ,લક્ષ્મણ સીતા વનમાં આવ્યા છે તો તેનું કંઈ સારું જ પરિણામ આવશે. મને તો ચિંતા એકલા ભરતની છે.હું કદી રામના સોગંધ ખાતી નથી પણ આજે હું રામના સોગંધ ખાઈ ને કહું છું કે-ભરતના શીલ-ગુણ ની કોઈ જોડ નથી,મારે મન તો ભરત પણ કુળ નો દીવો છે.છતાં પણ મને બીક એ છે કે-ભરત રામ વગર જીવી નહિ શકે,લક્ષ્મણ ને બદલે રામની જોડે જ એનું રહેવાનું થાય તો સારું.તેમણે આ વાત જનકરાજા ને કરવાનું સીતાજી ની માતાજી ને કહ્યું. માતા પિતા ને પ્રેમને લીધે સીતાજી પણ વ્યાકુળ થયાં હતાં.જનકરાજાએ તેમને પોતાની સાથે લઇ જવાનું ઈચ્છયું.પણ સીતાજી એ કહ્યું કે-જ્યાં મારા પતિ ત્યાં હું.મારા પતિ નો વનવાસ એ મારો પણ વનવાસ છે. હું એમના સુખ-દુઃખ ની ભાગીદાર છું. ત્યારે જનકે કહ્યું કે-બેટા,તેં તો બેઉ કુળ પવિત્ર કર્યા છે. ભરતજીનો વ્યવહાર જોઈ જનકરાજા પ્રેમવિહવળ બની ગયા હતા.તેથી જયારે સીતાજી ની માતાએ, કૌશલ્યાજી એ ભરત માટે કરેલી વાત કહી,ત્યારે જનકરાજા ના અંતરમાં ખૂબ આનંદ થયો. તેમની આંખો પ્રેમાશ્રુ થી છલકાઈ,થોડીક વાર તેઓ આંખો મીંચી ને તેનો આનંદ માણી રહ્યા અને પછી બોલ્યા-કે-હું કર્મનિષ્ઠ,રાજનીતિજ્ઞ ને બ્રહ્મજ્ઞાની ગણાઉં છું,પરંતુ ભરતજીના પ્રેમને મારી બુદ્ધિ પહોંચી શકતી નથી.ભરતજી નું ચરિત્ર ગંગાજી કરતાં યે પવિત્ર છે.અને અમૃત કરતાં યે મધુર છે. ભરતજી ની જગમાં કોઈ જોડ નથી,ભરતજી નો મહિમા અપાર છે,મેરુ (પર્વત) ને તોળી શકાશે પણ ભરતજી ની મહિમા નું માપ નહિ કાઢી શકાય. તેમનો મહિમા કેવળ રામચંદ્રજી જ જાણે છે,પરંતુ તે પણ તેનુ વર્ણન કરી શક્યા નથી. હું જોઈ શક્યો છું કે-રામ સમતા ની સીમા છે,પણ ભરતનો પ્રેમ એ મમતા ની અવધિ છે. (#રામાયણ🏹 સરળ સમજૂતી સાથે.. તમને સમજાય તેવી સરળ શૈલી માં.. દરરોજ facebook માં..) ❛❛🕉️🏹જય શ્રી રામ🙏❜❜ ❛❛🕉️ જય હનુમાન દાદા 🙏❜❜
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - మ 2[2{[2(9[ 2u8l 39 sis మ 2[2{[2(9[ 2u8l 39 sis - ShareChat