#🙏હિન્દૂ દેવી-દેવતા🌺#રામાયણ🏹
🌞અયોધ્યા કાંડ.. 43
༺꧁📙 🌞 હરિ દૂત 🕊
https://www.facebook.com/share/p/1BMaWXikMe/
🌞 .. .. એવું શાસ્ત્ર વચન જરૂર છે કે-
પિતાની આજ્ઞા ઉચિત-અનુચિત નો વિચાર કર્યા વગર પાળવી.
પણ આના શબ્દાર્થ લેતાં પહેલા તેનો ભાવાર્થ સમજવાની જરૂર છે.
આ શાસ્ત્ર વચન ની પાછળ એ “અપેક્ષિત” છે કે-પિતા,અનુચિત-ઉચિત નો વિચાર કરી ને જ આજ્ઞા કરશે.અનુચિત આજ્ઞા પિતા કદી કરશે જ નહિ.(પોતાનું પિતૃત્વ સાચવી ને બોલે-આજ્ઞા આપે તે જ સાચો પિતા)
અનુચિત નો વિચાર કરે નહિ તો તે પિતા નથી.પુત્રના હિત નો ચારે બાજુથી વિચાર કરવાની જવાબદારી પિતાને શિરે છે.અને એ જવાબદારી નું સમજ-પૂર્વક પાલન કરી,ને પિતા આજ્ઞા કરે છે.ફાવે તેમ નહિ.તેણે પણ,શાસ્ત્ર,નીતિ,ધર્મ ના નિયમો ને વશ થઈને ચાલવાનું હોય છે.
એટલે ઉપરના શાસ્ત્ર વચન નો મર્મ એ છે કે-
પિતા કદી પણ અનુચિત આજ્ઞા નહિ કરવાનો સંકલ્પ કરે અને પુત્ર પિતાની આજ્ઞા ને પાળવાનો સંકલ્પ કરે.બેમાંથી કોઈ એક પણ (પિતા કે પુત્ર) જો શબ્દો નો મનગમતો અર્થ કરવા પ્રયત્ન કરે તો ગંભીર પરિસ્થિતિ ઉભી થવાનો સંભવ થાય છે.એક અહંકાર નો ભોગ બનશે તો બીજો સ્વાર્થ નો ભોગ બનશે,
અને પછી એ પિતા-પુત્ર નહિ રહે.
અયોધ્યામાં રામ-રાજ્ય ની સ્થાપના કેમ ના થઇ શકી તેનો જરા વધુ વિચાર કરીએ તો,સમજાશે કે-
અયોધ્યા માં “દશ”રથ છે અને લંકામાં “દશ”મુખ (રાવણ) છે.
દશે ઇન્દ્રિયો ને રથમાં જોતરી ને લક્ષ્ય-સ્થાને (ઈશ્વર તરફ) જવા દોડાવે તે દશરથ.અને
દશે ઇન્દ્રિયો દ્વારા ભોગ ભોગવે તે દશમુખ.
જનક ની “વિદેહ”-નગરી માં સીતાજી ઓ જન્મ થાય છે,સીતાજી પરા-ભક્તિ નું સ્વરૂપ છે.
રાવણ ની લંકા નગરી એ “દેહ”-નગરી છે,કારણકે,
રાવણ એ ભોગ નું સ્વરૂપ છે.ભોગમાં દેહને મહત્વ છે એટલે લંકા એ દેહ નગરી છે.
આ બંને નગરીઓ વચ્ચેની અયોધ્યા નગરી છે તે “દેહાધિકાર” નગરી છે.
દેહ-નગરી (લંકા) માં પાપ ને પ્રધાનતા છે,દેહાધિકાર-નગરી (અયોધ્યા) માં સત્કર્મ ની પ્રધાનતા છે.
અને વિદેહ-નગરી (જનક-પુરી) માં વિચારની પ્રધાનતા છે.
જ્યાં સુધી જીવન માં આવી ત્રિવિધતા છે ત્યાં સુધી રામ-રાજ્ય થાય નહિ.
શ્રીરામ જયારે આ ત્રણે ને સમાનતા ની સ્થિતિએ લઇ આવે ત્યારે રામ-રાજ્ય ની સ્થાપના થાય છે.
દશરથરાજા રામ-રાજ્ય સ્થાપી શક્યા નહિ કારણકે-
માત્ર પરંપરા ને અનુસરીને રામને ગાદીએ બેસાડવાથી રામ-રાજ્ય થઇ જતું નથી.
આખો સમજ બદલાય નહી,અંતઃકરણ નું આમૂલ પરિવર્તન ના થાય ત્યાં સુધી,રામ-રાજ્ય સાકાર થતું નથી.અયોધ્યામાંથી હજુ “કામ-ક્રોધ-લોભ” નું નિવારણ થયું નથી,
મંથરા –એ “લોભ-વૃત્તિ” છે,ને લોભ નું સ્વરૂપ છે.અને
લોભ નો ભોગ બની દાસી ની યે દાસી બની,ક્રોધ કરી,કૈકેયી કોપ-ભવન માં જાય છે,
આમ કૈકેયી એ “ક્રોધ-વૃત્તિ” નું સ્વરૂપ છે.
ત્યાં રાજા દશરથ પધારે છે અને માગ, માગે તે આપું કહી રામના સોગંધ ખાય છે.
અહીં, દશરથ રાજા એ “કામ-વૃત્તિ” નું સ્વરૂપ બન્યા છે.
આમ લોભ (મંથરા) ક્રોધ (કૈકેયી) અને કામ (દશરથ) –એ ત્રણે અહીં અયોધ્યામાં ભેગા થયા.
ગીતાજી માં કહ્યું છે કે-કામ,ક્રોધ અને લોભ એ નરક નાં પ્રવેશદ્વાર છે.
અને આ ત્રણે જો હાજર હોય તો રામ-રાજ્ય કેવી રીતે થાય?
(#રામાયણ🏹
સરળ સમજૂતી સાથે..
તમને સમજાય તેવી સરળ શૈલી માં.. દરરોજ facebook માં..)
❛❛🕉️🏹જય શ્રી રામ🙏❜❜
❛❛🕉️ જય હનુમાન દાદા 🙏❜❜ #👣 જય મેલડી માઁ













