#👣 જય મેલડી માઁ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #રામાયણ🏹
🌞અયોધ્યા કાંડ.. 42
༺꧁📙 🌞 હરિ દૂત 🕊
https://www.facebook.com/share/p/18V9bqDeYq/
🌞 .. .. ભરતજી નું આ ચરિત્ર અતિ પાવનકારી છે,તુલસીદાસજી કહે છે કે-જે એનું ભક્તિ-પૂર્વક શ્રવણ-મનન કરશે,તેને અવશ્ય શ્રીસીતારામ ના ચરણોમાં પ્રેમ થશે,અને સંસારથી વૈરાગ્ય થશે.
મહારાજા દશરથ,શ્રીરામને ગાદીએ બેસાડી રામરાજ્ય ની સ્થાપના કરવા માગતા હતા,પણ રામરાજ્ય ની સ્થાપના તેમને હાથે થઇ નથી,એ તો થાય છે ભરતજી ના હાથે ચિત્રકૂટમાં.દશરથજી ની રામરાજ્ય નો સંકલ્પ શુભ છે,પવિત્ર છે તો યે તેમાં વિઘ્ન આવે છે.
મહાન લક્ષ્ય તરફ આગળ વધતાં વિઘ્ન તો આવવાનું જ,જેટલું લક્ષ્ય મહાન એટલું વિઘ્ન મહાન.
દશરથ રાજા ના રામરાજ્ય ની સ્થાપનાના સંકલ્પમાં એવું મોટું વિઘ્ન આવ્યું કે-તેમાં દેશ,કાળ અને વ્યક્તિ પણ બદલાઈ જાય છે.
દશરથજી મૂર્તિમાન વેદ-સમાન (ધર્મ-પ્રિય) છે જયારે ભરતજી એ મૂર્તિમાન પ્રેમ છે.
વેદ ત્રણ ગુણથી પર નથી,વેદ,વધુમાં વધુ સાત્વિક સ્તર સુધી મનુષ્ય ને લઇ જાય છે.સત્વ થી ઉપર નહિ.ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે-વેદો ત્રણ ગુણવાળા છે,માટે,હે અર્જુન,તુ ત્રણે ગુણો થી પર થા.
ભરતજી પ્રેમનું સ્વરૂપ હોવાને લીધે,ત્રણે ગુણો થી પર છે,પ્રેમ-ધર્મ એ સાત્વિક સ્તર થી પણ ઉંચે લઇ જાય છે.એટલે રામરાજ્ય ની સ્થાપના કરવામાં ભરતજી સફળ થાય છે,દશરથ જી નહિ.
વશિષ્ઠજી એ ભરતજી ને સલાહ આપેલી કે-તમારા પિતાએ સત્ય ની ખાતર રામનો ત્યાગ કર્યો અને રામના પ્રેમમાં પ્રાણ નો ત્યાગ કર્યો,આવા મહાન પિતાનું તમે અનુકરણ કરો,તેમનું વચન માથે ચડાવી રાજા બનો.પિતાની આજ્ઞા ઉચિત છે કે અનુચિત છે એનો વિચાર તમારે કરવાનો ના હોય.તમારે તો માત્ર તેનો અમલ જ કરવાનો હોય.એમ કરવાથી જ તમે સુખી થશો.
પણ ભરતજી જયારે તેમની આ સલાહ સ્વીકારતા નથી,ત્યારે વશિષ્ઠજી ને એમ લાગે છે કે-આ ઠીક થતું નથી,આમાં સત્ય નું માન સચવાતું નથી.પણ ત્યાર પછી તેમણે, ભરતજી નું વર્તન જોયું,તેમની ભાવના જોઈ,ત્યારે ભરતની એક નવી જ જીવન-દૃષ્ટિ તેમને દેખાઈ,અને ભરતજી પર તે મુગ્ધ થઇ ગયા,
અને કહેવા લાગ્યા કે-ભરતજી નું દર્શન સત્ય છે.
શ્રીરામે અને ભરતે,અહીં જે જીવન દર્શન પ્રગટ કર્યું છે,તે એકલું જ માનવ-જીવન ને પૂર્ણતા એ પહોચાડવા શક્તિમાન છે.સિંહાસન પર બેસીને બધા રાજ્ય કરી શકે,પણ સિંહાસન પર પાદુકા પધરાવી,સત્તાધારી થયા વિના રાજધાનીની બહાર રહીને,દુરથી રાજ્ય ચલાવવું,એ એક જુદી જ વાત છે.
વશિષ્ઠજી આગળ ભરતે જયારે આ વાત મુકેલી ત્યારે વશિષ્ઠજી ગળગળા થઇ ને બોલ્યા હતા કે-
ભરત,આજ સુધી હું ધર્મની વ્યાખ્યા માટે શાસ્ત્ર નો આધાર લેતો હતો,પણ હવે મને ધર્મ ની સાચી વ્યાખ્યા મળી ગઈ છે,
અને તેના પછી તેમણે જે શબ્દો કહ્યા,તે રામાયણ માં ભરત સિવાય બીજા કોઈ માટે કહેવાયા નથી. વશિષ્ઠજી કહે છે કે-ભરત,મારો દૃઢ મત એવો છે કે-તુ જે કહેશે,સમજશે અને કરશે તે જ ધર્મ નો સાર છે.હવે ધર્મ ની વ્યાખ્યા હું શાસ્ત્ર જોઈને નહિ પણ તારું જીવન જોઈને કરીશ,.હું ખરું કહું છું કે-ભરત તારું ચરિત્ર ધર્મ થી પણ આગળ છે,તારા ચરિત્ર દ્વારા ધર્મ-સાર પ્રગટ થાય છે,આજ લાગી હું કેવળ ધર્મ જાણતો હતો,ધર્મ-સાર નહિ,પણ આજે ધર્મ-સાર સમજાઈ ગયો છે.
સંતો ધર્મ ને કેરી સાથે સરખાવે છે.કેરીને જેમ છાલ,રસ અને ગોટલો હોય છે,તેમ ધર્મ ના પણ ત્રણ અંગો છે.શબ્દ એ છાલ છે,ફલશ્રુતિ એ ગોટલો છે,અને ધર્મ નું ખરું તાત્પર્ય તે રસ છે.
છાલ ના આધારે રસ રહે છે પણ છાલ એ રસ નથી,તેવી રીતે શબ્દ એ ધર્મ નથી.પણ શબ્દ માં ધર્મ છે.
મોટા ભાગના લોકો શબ્દ ને પકડે છે અને ધર્મ ના સાર ને છોડી દે છે.તેના તાત્પર્ય ને છોડી દે છે,
શબ્દ ને પકડવામાં આવે અને તેના તાત્પર્ય ને ના પકડવામાં આવે તો,કશું જ સમજ્યા નથી એમ જ માનવાનું. ધર્મ ને શબ્દ નો કેદી બનાવવાથી માણસ પોતે જ કેદી બને છે ને બંધનમાં આવે છે.
(#રામાયણ🏹
સરળ સમજૂતી સાથે..
તમને સમજાય તેવી સરળ શૈલી માં.. દરરોજ facebook માં..)
❛❛🕉️🏹જય શ્રી રામ🙏❜❜
❛❛🕉️ જય હનુમાન દાદા 🙏❜❜
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ #રામાયણ🏹
🌞અયોધ્યા કાંડ.. 41
༺꧁📙 🌞 હરિ દૂત 🕊
https://www.facebook.com/share/p/1bJbHTuQaq/
🌞 .. .. શ્રીરામચંદ્રે સુવર્ણ પાદુકાઓ પર પોતાના ચરણ મુક્યા,ને પછી તે પાદુકાઓ ભરતજી ને આપી.ભરતજી એ તે પોતાના બે હાથેથી લઈને પોતાના મસ્તક પર ચડાવી ને તેની સ્વીકાર કર્યો.
તેમણે શાંત અને દૃઢ સ્વરે પ્રતિજ્ઞા કરતાં કહ્યું કે-હું ભરત,આજે અહીં પ્રતિજ્ઞા કરું છું કે,આ પાદુકાઓને રાજ-કારભાર સોંપી ,હું ચૌદ વર્ષ નગરની બહાર રહીશ,જટા-વલ્કલ ધારણ કરીશ,કંદમૂળ ખાઈશ,ભોંય પર પથારી કરીશ,અને પંદરમા વર્ષના પહેલા દિવસે જો મને રામજીનાં દર્શન નહિ થાય તો ચિતામાં પ્રવેશ કરીશ. આ સાંભળી ને સૌની આંખો છલકાઈ આવી,બધા “ધન્ય હો,ધન્ય હો” બોલી રહ્યા.
ભરતજી ની દૃઢ પ્રતિજ્ઞા સાંભળી,શ્રીરામે તેમને હૃદય-સરસા ચાંપી કહ્યું કે-હું સમયસર જરૂર પાછો આવીશ,અને આ સાંભળી સઘળે આનંદ આનંદ થઇ રહ્યો.
આમ રઘુકુલ ની ધર્મ-પરંપરા પુનઃ સ્થાપિત થઇ,ભરતની ધર્મ-નિષ્ઠા એ રઘુકુલ ના માથે ઉતરેલી
આપત્તિ નું નિવારણ કર્યું.
ત્યાર પછી સહુ ની ભારે હૈયે વિદાઈ થઇ.શ્રીરામની પાદુકાઓ હાથી પર પધરાવી ને ભરતજી અયોધ્યા પાછા ફર્યા,અને અયોધ્યા આવી તે પાદુકાઓને રાજ-સિંહાસન પર સ્થાપિત કરી,અને પોતાની પ્રતિજ્ઞા મુજબ,પોતે નગરની બહાર,નંદીગ્રામ માં પર્ણકુટી બનાવી ને રહ્યા.મસ્તક પર જટા ધારણ કરી,શરીર પર વલ્કલ ધારણ કર્યા,જમીન પર દર્ભનું આસન બિછાવ્યું.અને ઋષિ-મુનિ ની પેઠે વ્રત-નિયમ નું પાલન કરી,
રામ-ચિંતન માં રહેવા માંડ્યું.તેઓ રોજ પાદુકા પૂજન કરતાં અને પાદુકાઓ પાસેથી આજ્ઞા માગીને
રાજ-કાજ થતું અને રાજ-સત્તા ચાલતી.
ભરતજી ની જીભે સતત રામ-નામ રહેતું,અને નેત્રોમાં પ્રેમ જળ રહેતાં.
રામ-સીતાજી વનમાં વસ્યાં અને ભરતજી ઘેર રહી ને તપથી શરીરને કૃશ કરી રહ્યા.તેમનાં વ્રત-નિયમો ની અતિ-તીવ્રતા જોઈ ને ઋષિ-મુનિઓ પણ પોતાને તુચ્છ સમજવા લાગ્યા.
ભરતજી એ રામજીની પાદુકાઓ ને મસ્તક પર ધારણ કરી હતી ,તેનું રહસ્ય એવું છે કે-
મસ્તક એટલે બુદ્ધિ.બુદ્ધિમાં ઈશ્વરને પધરાવવામાં આવે તો,પછી કોઈ વિકાર-વાસના સતાવી શકતી નથી.
પછી,ભરતજી એ કઠોર તપશ્ચર્યા કરી છે,ભરતજી ની તપશ્ચર્યા રામજી ની તપશ્ચર્યા કરતાં ઓછી નથી,
પરંતુ વધુ કઠિન છે.વનમાં રહી ને તપશ્ચર્યા કરવી કદાચ સહેલી હશે પણ,ભોગ સમૃદ્ધિ ની વચ્ચે રહીને,
પણ અનાસક્ત થઈને તપશ્ચર્યા કરવી એ બહુ કઠિન છે.
રામજી ની પાદુકા સાથે અનુસંધાન રાખી ને,રાજ-વ્યવહાર કરતા રહી,પણ પાદુકામાં સ્થિર થયેલું ભરતજી નું મન,રામજીના લાંબા વિયોગ માં પણ એક પ્રકારનો આનંદ અનુભવે છે.
જ્યાં અત્યંત પ્રેમ હોય ત્યાં પરમાત્માએ પ્રગટ થવું જ પડે છે.
જેને તરસ લાગી હોય તેને પાણી ની પાસે જવું પડે છે,પાણી તેની પાસે આવતું નથી,પણ,
રામ-નામ નું પાણી એવું છે કે,તે તરસ્યાની પાસે જાય છે.ભક્તના હૃદય ની આતુરતા,પરમાત્માને ભક્ત ની પાસે ખેંચી લાવે છે. ભરતજી એ પ્રેમ-લક્ષણા ભક્તિ નું સ્વરૂપ છે.અને તે દિવ્ય આનંદ નો અનુભવ કરે છે.
મનુષ્ય પૈસા માટે પ્રવૃત્તિ કરે છે,પણ પરમાત્મા માટે કોઈ પ્રવૃત્તિ કરતો નથી.
એટલે પ્રભુ ને તેની પર દયા આવતી નથી,પ્રભુ તેની નજીક આવતા પણ નથી.ખરેખર તો,
માનવી ને પ્રભુ ની જરૂર છે,પણ કોણ જાણે કેમ પણ,માનવી ને પૈસા જેટલી પ્રભુની જરૂર નથી લાગતી.
એટલે જ મનુષ્ય ને પ્રભુ દૂર લાગે છે,પરંતુ પ્રભુ તો પાસે જ છે,બુદ્ધિમાં (પાદુકાને) ઈશ્વરને પધરાવવામાં
આવે તો,પ્રભુ દૂર નથી,પ્રભુ તો ભક્ત ની આતુરતા ની રાહ જોતાં આતુર થઈને ઉભા જ છે.
ભરતજી,ગો-મૂત્ર વાચક વ્રત કરે છે,ગાયને જવ ખવડાવે,તે છાણમાં બહાર નીકળ્યા પછી ગોમૂત્ર સાથે ઉકાળે,અને તે પ્રમાણે ઉકાળેલા જવ દિવસમાં માત્ર એકવાર આરોગે.
ભરતજી નો પ્રેમ એવો છે કે-પાદુકા ચેતન બની જાય છે.જેને પ્રભુ નો વિયોગ હોય તેનું જીવન કેવું હોય?
તેનો આદર્શ ભરતજી એ બતાવ્યો છે.આપણને પણ પ્રભુનો વિયોગ છે,એટલે ભરતજી નું જીવન આપણા માટે અનુકરણીય છે.
તુલસીદાસજી કહે છે કે-ભરતજી નું સ્મરણ કરો તો તમારા હૃદયમાં શ્રીરામ માટેના પ્રેમનો ઉદય થશે.
(#રામાયણ🏹
સરળ સમજૂતી સાથે..
તમને સમજાય તેવી સરળ શૈલી માં.. દરરોજ facebook માં..)
❛❛🕉️🏹જય શ્રી રામ🙏❜❜
❛❛🕉️ જય હનુમાન દાદા 🙏❜❜













