#🙏હિન્દૂ દેવી-દેવતા🌺#રામાયણ🏹
🌞અયોધ્યા કાંડ.. 43
༺꧁📙 🌞 હરિ દૂત 🕊
https://www.facebook.com/share/p/1BMaWXikMe/
🌞 .. .. એવું શાસ્ત્ર વચન જરૂર છે કે-
પિતાની આજ્ઞા ઉચિત-અનુચિત નો વિચાર કર્યા વગર પાળવી.
પણ આના શબ્દાર્થ લેતાં પહેલા તેનો ભાવાર્થ સમજવાની જરૂર છે.
આ શાસ્ત્ર વચન ની પાછળ એ “અપેક્ષિત” છે કે-પિતા,અનુચિત-ઉચિત નો વિચાર કરી ને જ આજ્ઞા કરશે.અનુચિત આજ્ઞા પિતા કદી કરશે જ નહિ.(પોતાનું પિતૃત્વ સાચવી ને બોલે-આજ્ઞા આપે તે જ સાચો પિતા)
અનુચિત નો વિચાર કરે નહિ તો તે પિતા નથી.પુત્રના હિત નો ચારે બાજુથી વિચાર કરવાની જવાબદારી પિતાને શિરે છે.અને એ જવાબદારી નું સમજ-પૂર્વક પાલન કરી,ને પિતા આજ્ઞા કરે છે.ફાવે તેમ નહિ.તેણે પણ,શાસ્ત્ર,નીતિ,ધર્મ ના નિયમો ને વશ થઈને ચાલવાનું હોય છે.
એટલે ઉપરના શાસ્ત્ર વચન નો મર્મ એ છે કે-
પિતા કદી પણ અનુચિત આજ્ઞા નહિ કરવાનો સંકલ્પ કરે અને પુત્ર પિતાની આજ્ઞા ને પાળવાનો સંકલ્પ કરે.બેમાંથી કોઈ એક પણ (પિતા કે પુત્ર) જો શબ્દો નો મનગમતો અર્થ કરવા પ્રયત્ન કરે તો ગંભીર પરિસ્થિતિ ઉભી થવાનો સંભવ થાય છે.એક અહંકાર નો ભોગ બનશે તો બીજો સ્વાર્થ નો ભોગ બનશે,
અને પછી એ પિતા-પુત્ર નહિ રહે.
અયોધ્યામાં રામ-રાજ્ય ની સ્થાપના કેમ ના થઇ શકી તેનો જરા વધુ વિચાર કરીએ તો,સમજાશે કે-
અયોધ્યા માં “દશ”રથ છે અને લંકામાં “દશ”મુખ (રાવણ) છે.
દશે ઇન્દ્રિયો ને રથમાં જોતરી ને લક્ષ્ય-સ્થાને (ઈશ્વર તરફ) જવા દોડાવે તે દશરથ.અને
દશે ઇન્દ્રિયો દ્વારા ભોગ ભોગવે તે દશમુખ.
જનક ની “વિદેહ”-નગરી માં સીતાજી ઓ જન્મ થાય છે,સીતાજી પરા-ભક્તિ નું સ્વરૂપ છે.
રાવણ ની લંકા નગરી એ “દેહ”-નગરી છે,કારણકે,
રાવણ એ ભોગ નું સ્વરૂપ છે.ભોગમાં દેહને મહત્વ છે એટલે લંકા એ દેહ નગરી છે.
આ બંને નગરીઓ વચ્ચેની અયોધ્યા નગરી છે તે “દેહાધિકાર” નગરી છે.
દેહ-નગરી (લંકા) માં પાપ ને પ્રધાનતા છે,દેહાધિકાર-નગરી (અયોધ્યા) માં સત્કર્મ ની પ્રધાનતા છે.
અને વિદેહ-નગરી (જનક-પુરી) માં વિચારની પ્રધાનતા છે.
જ્યાં સુધી જીવન માં આવી ત્રિવિધતા છે ત્યાં સુધી રામ-રાજ્ય થાય નહિ.
શ્રીરામ જયારે આ ત્રણે ને સમાનતા ની સ્થિતિએ લઇ આવે ત્યારે રામ-રાજ્ય ની સ્થાપના થાય છે.
દશરથરાજા રામ-રાજ્ય સ્થાપી શક્યા નહિ કારણકે-
માત્ર પરંપરા ને અનુસરીને રામને ગાદીએ બેસાડવાથી રામ-રાજ્ય થઇ જતું નથી.
આખો સમજ બદલાય નહી,અંતઃકરણ નું આમૂલ પરિવર્તન ના થાય ત્યાં સુધી,રામ-રાજ્ય સાકાર થતું નથી.અયોધ્યામાંથી હજુ “કામ-ક્રોધ-લોભ” નું નિવારણ થયું નથી,
મંથરા –એ “લોભ-વૃત્તિ” છે,ને લોભ નું સ્વરૂપ છે.અને
લોભ નો ભોગ બની દાસી ની યે દાસી બની,ક્રોધ કરી,કૈકેયી કોપ-ભવન માં જાય છે,
આમ કૈકેયી એ “ક્રોધ-વૃત્તિ” નું સ્વરૂપ છે.
ત્યાં રાજા દશરથ પધારે છે અને માગ, માગે તે આપું કહી રામના સોગંધ ખાય છે.
અહીં, દશરથ રાજા એ “કામ-વૃત્તિ” નું સ્વરૂપ બન્યા છે.
આમ લોભ (મંથરા) ક્રોધ (કૈકેયી) અને કામ (દશરથ) –એ ત્રણે અહીં અયોધ્યામાં ભેગા થયા.
ગીતાજી માં કહ્યું છે કે-કામ,ક્રોધ અને લોભ એ નરક નાં પ્રવેશદ્વાર છે.
અને આ ત્રણે જો હાજર હોય તો રામ-રાજ્ય કેવી રીતે થાય?
(#રામાયણ🏹
સરળ સમજૂતી સાથે..
તમને સમજાય તેવી સરળ શૈલી માં.. દરરોજ facebook માં..)
❛❛🕉️🏹જય શ્રી રામ🙏❜❜
❛❛🕉️ જય હનુમાન દાદા 🙏❜❜ #👣 જય મેલડી માઁ
#👣 જય મેલડી માઁ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #રામાયણ🏹
🌞અયોધ્યા કાંડ.. 42
༺꧁📙 🌞 હરિ દૂત 🕊
https://www.facebook.com/share/p/18V9bqDeYq/
🌞 .. .. ભરતજી નું આ ચરિત્ર અતિ પાવનકારી છે,તુલસીદાસજી કહે છે કે-જે એનું ભક્તિ-પૂર્વક શ્રવણ-મનન કરશે,તેને અવશ્ય શ્રીસીતારામ ના ચરણોમાં પ્રેમ થશે,અને સંસારથી વૈરાગ્ય થશે.
મહારાજા દશરથ,શ્રીરામને ગાદીએ બેસાડી રામરાજ્ય ની સ્થાપના કરવા માગતા હતા,પણ રામરાજ્ય ની સ્થાપના તેમને હાથે થઇ નથી,એ તો થાય છે ભરતજી ના હાથે ચિત્રકૂટમાં.દશરથજી ની રામરાજ્ય નો સંકલ્પ શુભ છે,પવિત્ર છે તો યે તેમાં વિઘ્ન આવે છે.
મહાન લક્ષ્ય તરફ આગળ વધતાં વિઘ્ન તો આવવાનું જ,જેટલું લક્ષ્ય મહાન એટલું વિઘ્ન મહાન.
દશરથ રાજા ના રામરાજ્ય ની સ્થાપનાના સંકલ્પમાં એવું મોટું વિઘ્ન આવ્યું કે-તેમાં દેશ,કાળ અને વ્યક્તિ પણ બદલાઈ જાય છે.
દશરથજી મૂર્તિમાન વેદ-સમાન (ધર્મ-પ્રિય) છે જયારે ભરતજી એ મૂર્તિમાન પ્રેમ છે.
વેદ ત્રણ ગુણથી પર નથી,વેદ,વધુમાં વધુ સાત્વિક સ્તર સુધી મનુષ્ય ને લઇ જાય છે.સત્વ થી ઉપર નહિ.ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે-વેદો ત્રણ ગુણવાળા છે,માટે,હે અર્જુન,તુ ત્રણે ગુણો થી પર થા.
ભરતજી પ્રેમનું સ્વરૂપ હોવાને લીધે,ત્રણે ગુણો થી પર છે,પ્રેમ-ધર્મ એ સાત્વિક સ્તર થી પણ ઉંચે લઇ જાય છે.એટલે રામરાજ્ય ની સ્થાપના કરવામાં ભરતજી સફળ થાય છે,દશરથ જી નહિ.
વશિષ્ઠજી એ ભરતજી ને સલાહ આપેલી કે-તમારા પિતાએ સત્ય ની ખાતર રામનો ત્યાગ કર્યો અને રામના પ્રેમમાં પ્રાણ નો ત્યાગ કર્યો,આવા મહાન પિતાનું તમે અનુકરણ કરો,તેમનું વચન માથે ચડાવી રાજા બનો.પિતાની આજ્ઞા ઉચિત છે કે અનુચિત છે એનો વિચાર તમારે કરવાનો ના હોય.તમારે તો માત્ર તેનો અમલ જ કરવાનો હોય.એમ કરવાથી જ તમે સુખી થશો.
પણ ભરતજી જયારે તેમની આ સલાહ સ્વીકારતા નથી,ત્યારે વશિષ્ઠજી ને એમ લાગે છે કે-આ ઠીક થતું નથી,આમાં સત્ય નું માન સચવાતું નથી.પણ ત્યાર પછી તેમણે, ભરતજી નું વર્તન જોયું,તેમની ભાવના જોઈ,ત્યારે ભરતની એક નવી જ જીવન-દૃષ્ટિ તેમને દેખાઈ,અને ભરતજી પર તે મુગ્ધ થઇ ગયા,
અને કહેવા લાગ્યા કે-ભરતજી નું દર્શન સત્ય છે.
શ્રીરામે અને ભરતે,અહીં જે જીવન દર્શન પ્રગટ કર્યું છે,તે એકલું જ માનવ-જીવન ને પૂર્ણતા એ પહોચાડવા શક્તિમાન છે.સિંહાસન પર બેસીને બધા રાજ્ય કરી શકે,પણ સિંહાસન પર પાદુકા પધરાવી,સત્તાધારી થયા વિના રાજધાનીની બહાર રહીને,દુરથી રાજ્ય ચલાવવું,એ એક જુદી જ વાત છે.
વશિષ્ઠજી આગળ ભરતે જયારે આ વાત મુકેલી ત્યારે વશિષ્ઠજી ગળગળા થઇ ને બોલ્યા હતા કે-
ભરત,આજ સુધી હું ધર્મની વ્યાખ્યા માટે શાસ્ત્ર નો આધાર લેતો હતો,પણ હવે મને ધર્મ ની સાચી વ્યાખ્યા મળી ગઈ છે,
અને તેના પછી તેમણે જે શબ્દો કહ્યા,તે રામાયણ માં ભરત સિવાય બીજા કોઈ માટે કહેવાયા નથી. વશિષ્ઠજી કહે છે કે-ભરત,મારો દૃઢ મત એવો છે કે-તુ જે કહેશે,સમજશે અને કરશે તે જ ધર્મ નો સાર છે.હવે ધર્મ ની વ્યાખ્યા હું શાસ્ત્ર જોઈને નહિ પણ તારું જીવન જોઈને કરીશ,.હું ખરું કહું છું કે-ભરત તારું ચરિત્ર ધર્મ થી પણ આગળ છે,તારા ચરિત્ર દ્વારા ધર્મ-સાર પ્રગટ થાય છે,આજ લાગી હું કેવળ ધર્મ જાણતો હતો,ધર્મ-સાર નહિ,પણ આજે ધર્મ-સાર સમજાઈ ગયો છે.
સંતો ધર્મ ને કેરી સાથે સરખાવે છે.કેરીને જેમ છાલ,રસ અને ગોટલો હોય છે,તેમ ધર્મ ના પણ ત્રણ અંગો છે.શબ્દ એ છાલ છે,ફલશ્રુતિ એ ગોટલો છે,અને ધર્મ નું ખરું તાત્પર્ય તે રસ છે.
છાલ ના આધારે રસ રહે છે પણ છાલ એ રસ નથી,તેવી રીતે શબ્દ એ ધર્મ નથી.પણ શબ્દ માં ધર્મ છે.
મોટા ભાગના લોકો શબ્દ ને પકડે છે અને ધર્મ ના સાર ને છોડી દે છે.તેના તાત્પર્ય ને છોડી દે છે,
શબ્દ ને પકડવામાં આવે અને તેના તાત્પર્ય ને ના પકડવામાં આવે તો,કશું જ સમજ્યા નથી એમ જ માનવાનું. ધર્મ ને શબ્દ નો કેદી બનાવવાથી માણસ પોતે જ કેદી બને છે ને બંધનમાં આવે છે.
(#રામાયણ🏹
સરળ સમજૂતી સાથે..
તમને સમજાય તેવી સરળ શૈલી માં.. દરરોજ facebook માં..)
❛❛🕉️🏹જય શ્રી રામ🙏❜❜
❛❛🕉️ જય હનુમાન દાદા 🙏❜❜













