#🐀જય શ્રી ગણેશ 🌺🙏 મંગળવાર તા.૬/૧/૨૦૨૬ અંગારકી સંકટ ચતુર્થીનો મહાયોગ 🙏🌺
🌙 ચંદ્રોદયનો સમય : રાત્રે ૯:૩૦ વાગ્યે
કાલે મંગળવારના દિવસે આવતી સંકટ ચતુર્થી અત્યંત દુર્લભ અને ફળદાયી માનવામાં આવે છે. જ્યારે ચતુર્થી તિથિ મંગળવારે આવે ત્યારે તેને અંગારકી ચતુર્થી કહેવાય છે.
🕉️ સ્કંદપુરાણ, ગણેશ પુરાણ તથા બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર આ તિથિ ભગવાન શ્રી ગણપતિની વિશેષ કૃપા મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે.
🔱 વ્રત વિધાન
આ દિવસે ઉપવાસ રાખવો ઉત્તમ ગણાય છે. ઉપવાસમાં ફળ, દૂધ, દહીં અને છાશ લેવાય છે, પરંતુ અનાજ તથા તામસિક આહાર વર્જ્ય છે. દિવસ દરમિયાન ઉપવાસ પાળી રાત્રે ચંદ્રોદય પછી ભગવાન શ્રી ગણપતિનું વિધિપૂર્વક પૂજન કરવું.
🌸 પૂજન વિધિ
પૂજન સમયે
✔️ દુર્વા
✔️ કંકુ
✔️ સિંદૂર
✔️ લાડુ
અર્પણ કરવું વિશેષ શુભ માનવામાં આવે છે.
🍡 ભોગ વિધાન
શાસ્ત્ર અનુસાર ભગવાન ગણપતિને ૨૧ લાડુ અર્પણ કરવું શ્રેષ્ઠ છે. શક્ય ન હોય તો ૧૧ અથવા ૫ લાડુ પણ અર્પણ કરી શકાય. ઘરે બનાવેલા લાડુ વધુ પુણ્યદાયી ગણાય છે. પૂજન બાદ આરતી કરીને ચંદ્રદર્શન કરી પ્રસાદ ગ્રહણ કરવો.
📿 અંગારકી ચતુર્થીનું શાસ્ત્રીય મહાત્મ્ય
જે લોકોના જીવનમાં વારંવાર સંકટ, અડચણો, આર્થિક તકલીફો, વ્યવસાયમાં અવરોધ, મંગળ દોષ અથવા મંગળ ગ્રહની નબળાઈ હોય — એવા લોકો માટે આ વ્રત અતિ ઉત્તમ ફળ આપે છે.
📖 ગણેશ પુરાણ અનુસાર —
“સંકટ ચતુર્થીના દિવસે ગણપતિ સ્તોત્ર અથવા ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવાથી સર્વ વિઘ્નોનો નાશ થાય છે.”
🌙 ચંદ્રદર્શન વિષે શાસ્ત્રીય માન્યતા
પુરાણોમાં વર્ણન આવે છે કે ગણપતિ દાદાએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો. તેથી ચતુર્થીના દિવસે ચંદ્રદર્શનથી વિઘ્ન આવવાની શક્યતા કહેવાય છે. પરંતુ જે ભક્ત આ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત, પૂજન અને ઉપાસના કરે છે, તેની ઉપર આવતી તમામ બાધાઓ શ્રી ગણપતિ દાદા સ્વયં દૂર કરે છે.
🔥 મંગળવાર અને ગણપતિ તત્વ
શાસ્ત્રોમાં માન્યતા છે કે મંગળ ગ્રહે મંગળવારના દિવસે ગણપતિ દાદાનું વ્રત કર્યું હતું. તેથી મંગળવારે આવતી ચતુર્થીને અંગારકી સંકટ ચતુર્થી તરીકે વિશેષ મહત્ત્વ પ્રાપ્ત થયું છે. આ દિવસે કરાયેલ પૂજા અનેક જન્મોના સંકટો નાશ કરે છે.
🌙 ચંદ્રદર્શનનો સમય : રાત્રે અંદાજે ૯:૩૧ વાગ્યે
🙏 આ પાવન દિવસે ગણપતિ દાદાનું પૂજન, લાડુનો ભોગ અને ઉપવાસ કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
✍️
જ્યોતિષાચાર્ય લલિતદાદા રાજ્યગુરુ
🕉️ ૐ શિવોહમ્
#અંગારકીચતુર્થી #સંકટચતુર્થી #શ્રીગણપતિ
#વિઘ્નહર્તા #GanpatiBlessings
#AstrologyGujarati #JyotishacharyaLalitdada
#OmShivoham #VratVidhi
#HinduRituals #SpiritualGujarat
#💐 શનિવાર સ્પેશિયલ ⚜️🪐 “હું શનિ છું…!” — અફવાઓ નહીં, કર્મના શાસ્ત્રીય ન્યાયનો સત્ય સ્વર 🪐⚜️
😌 ડરશો નહીં…
હા, મારું નામ શનિ છે.
લોકોએ વર્ષો સુધી મને એવો ગ્રહ માન્યો છે કે જે માત્ર દુઃખ, કષ્ટ અને પીડા આપે છે 😔. મારા નામથી લોકો ભયભીત થાય છે 😨. પરંતુ આજે હું આપને સ્પષ્ટ રીતે સમજાવવા માગું છું કે —
❗ હું કોઈને અકારણ કદી પીડા આપતો નથી ❗
🕉️ જ્યારે મેં પરમ તપસ્વી ભગવાન શિવજીની આરાધના કરી હતી, ત્યારે પ્રસન્ન થઈ તેમણે મને ‘દંડનાયક’ તરીકે નિયુક્ત કર્યો 🔱 અને નવગ્રહોમાં સ્થાન આપ્યું 🌌.
આથી મારી ભૂમિકા માત્ર ગ્રહ તરીકે નહીં પરંતુ કર્મના ન્યાયાધીશ તરીકેની છે ⚖️.
👑 દેવ હોય કે 👤 મનુષ્ય, 🐂 પશુ હોય કે 🐦 પક્ષી
👉 મારા માટે બધા સમાન છે.
હું કોઈની જાત, પદ, વૈભવ કે સત્તા જોઈને નિર્ણય કરતો નથી ❌
માત્ર અને માત્ર કર્મના આધારે જ ન્યાય કરું છું ✔️
📜 જેમ પ્રાચીન કાળથી ન્યાયપાલિકામાં કાયદા અને દંડવ્યવસ્થા રહી છે, તેમ મારી વ્યવસ્થાનો હેતુ પણ સમાજને અપરાધથી દૂર રાખવાનો છે, જેથી
🌱 અનીતિ રોકાય
🌼 સદાચાર વધે
🌍 સ્વચ્છ સમાજનું નિર્માણ થાય
🔆🧬 મારો વંશપરિચય અને નામપરંપરા
☀️ પિતા: સૂર્યનારાયણ
🌑 માતા: છાયા
👨👦👦 અમે પાંચ ભાઈ-બહેન છીએ —
⚖️ યમરાજ (અનુજ)
🌊 તાપી, 🌸 ભદ્રા અને 🌊 યમુના (બહેનો)
📖 શાસ્ત્રોમાં મને અનેક નામોથી ઓળખવામાં આવે છે.
🔹 શનૈશ્ચર
🔹 મન્દ
🔹 અર્કપુત્ર
🔹 સૂર્યસનુ
🔹 નીલ
🔹 અસિત
🔹 છાયાત્મજ
♑♒ મારું આધિપત્ય: મકર અને કુંભ રાશિ
⭐ નક્ષત્ર: પુષ્ય, અનુરાધા, ઉત્તર ભાદ્રપદ
🌗📊 જ્યોતિષીય તત્ત્વ અને ગ્રહગતિ
🕰️ હું અસ્ત થયા પછી ૩૮ દિવસે પુનઃઉદય થાઉં છું
⚖️ ઉચ્ચ રાશિ: તુલા
🔥 નીચ રાશિ: મેષ
🏠 જન્મકુંડળીમાં હું —
8️⃣ અષ્ટમ
🔟 દશમ
1️⃣2️⃣ દ્વાદશ
ભાવનો કારક છું
👑 તુલા, મકર, કુંભમાં જન્મે — રંકથી રાજા 👑
➖ મિથુન, કર્ક, કન્યા, ધન, મીન — મધ્યમ પરિણામ
⚠️ મેષ, સિંહ, વૃશ્ચિક — પરીક્ષા અને સંઘર્ષ
✋ હસ્તરેખામાં — મધ્યમા આંગળી નીચે મારું સ્થાન
🔢 અંકજ્યોતિષમાં — તારીખ 8️⃣ 17️⃣ 26️⃣
🪐 હું ૩૦ વર્ષમાં સમગ્ર રાશિચક્રનું પરિભ્રમણ કરું છું
📉 જીવનમાં સામાન્ય રીતે ૩ વાર સાડાસાતી આવે છે.
⚖️📜 મારો સિદ્ધાંત — દંડ નહીં, સુધારણા
📖
“जाको प्रभु दारुण दुःख देहीं, ताकी मति पहिले हरि लेहीं।”
🧠 જ્યારે દંડ આપવો હોય, ત્યારે પહેલા બુદ્ધિની કસોટી થાય છે.
🔁 દંડનો હેતુ વિનાશ નહીં, પરંતુ પરિવર્તન અને સુધારણા છે.
🙏 જો જાતક સુધરી જાય —
❌ સજા સમાપ્ત
✅ પુનઃસ્થાપના
💰 મારી દશા પછી ધન, વૈભવ અને પ્રતિષ્ઠા
🚫⚠️ મારી અદાલતમાં દંડયોગ્ય કર્મો
❌ ભ્રષ્ટાચાર
❌ ખોટી સાક્ષી
❌ વિકલાંગો અને ભિખારીઓનું અપમાન
❌ ચોરી, લાંચ, છેતરપિંડી
❌ જુગાર, નશો 🍷🚬
❌ વ્યભિચાર, પરસ્ત્રીગમન
❌ માતા-પિતાનુ અપમાન
❌ કીડી, કુતરાં, કાગડાને મારવું
⚖️ 👉 દરેક કર્મની સજા નિશ્ચિત છે
⚫👨⚖️ કાળો રંગ અને ન્યાયનું પ્રતીક
⚫ કાળો રંગ = નિષ્પક્ષતા
👨⚖️ ન્યાયાધીશ અને વકીલ કાળો ગાઉન
⚖️ ન્યાયની દેવીની આંખે કાળી પટ્ટી
🛕✨ મારું ચમત્કારિક મંદિર
📍 શનિ શિંગણાપુર — નાસિક, મહારાષ્ટ્ર
☄️ ઉલ્કાપિંડ સ્વરૂપે પ્રગટ પ્રતિમા
🚫 અહીં ચોરી અશક્ય
🏠 તાળા વગરના ઘર
🛡️ પૂર્ણ રક્ષા અને વિશ્વાસ
📚🔥 પૌરાણિક સાક્ષીઓ
🟤 પાંડવોનો વનવાસ
🟣 રાવણની દુર્ગતિ
👑 વિક્રમાદિત્ય
🙏 હરિશ્ચંદ્ર
💍 નળ–દમયંતી
🐒 હનુમાનજીના ભક્તોને હું કદી અકારણ પીડા આપતો નથી.
🙏🪔 મારી કૃપા માટે ઉપાયો
🔸 હનુમાનજી ઉપાસના
🔸 સૂર્ય ઉપાસના
🔸 શનિ ચાલીસા / અષ્ટક
🔸 પીપળા વૃક્ષની પૂજા
🔸 દશરથ / પિપ્પલાદ શનિ સ્તોત્ર
🔸 જ્યોતિષીય સલાહથી નીલમ/જાંબુનિયો
🔸 કાળા ઘોડાની નાળની વીંટી
✨ સત્કર્મ કરો — શનિ ભય નહીં, રક્ષણ બની જશે ✨
🙏 જય શનિદેવ 🙏 #🔍 જ્યોતિષ #🔯કુંડળીના યોગ #🧿દોષ અને ઉપાય #✍️શનિદોષ ઉપાય💫
#ૐ_શિવોહમ્ #જ્યોતિષાચાર્ય_લલિતદાદા
#IndianAstrology #SpiritualIndi
#🔱બમ બમ ભોલે🌺 🙏 જો શક્ય હોય તો જીવનમાં એક સંકલ્પ કરો — દરરોજ શિવાલયે જવાની નિત્ય પરંપરા રાખો. કારણ કે શાસ્ત્રો કહે છે કે શિવાલય એ માત્ર મંદિર નથી, તે ચેતનાનું કેન્દ્ર છે.
સ્કંદપુરાણ અનુસાર —
> “શિવાલયે નિવાસ કરનાર પ્રાણીના પાપ સ્વયં દહન પામે છે.”
અર્થાત્ શિવના ચરણોમાં ભાવ સ્થિર કરતાં જ જીવનની અશુદ્ધિઓ શાંત થવા લાગે છે.
🕉️ દૂધ, જળ અને ચંદન — માત્ર દ્રવ્ય નહીં, ભાવતત્ત્વ
શિવપુરાણ કહે છે કે દૂધ અર્પણ કરવું એટલે સત્વગુણની વૃદ્ધિ. જળ અર્પણ કરવું એટલે જીવનના ઉષ્મ તાપને શાંત કરવો. ચંદન મનની ચંચળતા શીતળ કરે છે.
ભાવ વિના ભગવાન સાથે પ્રીતિ સંભવ નથી. દ્રવ્ય તો સાધન છે, ભાવ એ સાધના છે.
🌿 બિલીપત્ર — અહંકાર ત્યાગનું પ્રતીક
શાસ્ત્રોમાં બિલીપત્રના ત્રણ પત્રો ત્રિગુણ (સત્વ–રજ–તમ) અથવા દેહ–મન–અહંકારના ત્યાગનું પ્રતીક માનવામાં આવ્યા છે.
શિવપુરાણ કહે છે કે બિલીપત્ર અર્પણ કરનાર સાધક ધીમે ધીમે અહંકાર મુક્ત થવા લાગે છે.
રામચરિતમાનસમાં ભગવાન શિવના વૈરાગ્યનું વર્ણન છે.
> “गिरिजा नाथ गंगाधर सुमिरि।”
શિવનું સ્મરણ કરવું એટલે વૈરાગ્ય અને વિવેકને હૃદયમાં સ્થિર કરવું.
🌺 પુષ્પ, ધૂપ અને દીપ — આંતરિક પરિવર્તન
પુષ્પ અર્પણ એટલે મનની મલિનતા ત્યાગવી.
ધૂપ એટલે સુગંધિત સંકલ્પ.
દીપ એટલે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનનો પ્રકાશ.
આ જ ભાવને તુલસીદાસજી સ્પષ્ટ કરે છે —
> “निर्मल मन जन सो मोहि पावा।”
(રામચરિતમાનસ)
અર્થાત્ નિર્મળ મન ધરાવનાર જ ભગવાનને પ્રાપ્ત કરે છે.
✨ નિત્ય શિવપૂજનનું શાસ્ત્રીય ફળ
શિવપુરાણ મુજબ —
> “નિત્ય શિવપૂજન કરનારના જીવનમાંથી તાપ, સંતાપ અને ભય ક્રમે ક્ષીણ થાય છે.”
અને રામચરિતમાનસ કહે છે —
> “सिव द्रोही मम दास कहावा।”
અર્થાત્ શિવ અને રામ તત્ત્વ અલગ નથી. શિવ ઉપાસના અંતે રામત્વ તરફ લઈ જાય છે — અને રામભક્તિ શિવત્વમાં વિલીન થાય છે.
💠 સાર તત્ત્વ
શિવને દેખાવો નથી ગમતાં, છળ કપટ નથી ગમતુ.
શિવને ગમે છે — સત્ય, સરળતા અને શુદ્ધ અંતઃકરણ.
તુલસીદાસજી અંતિમ રીતે કહી જાય છે —
> “सत्य धर्म दृढ़ धरि मन माहीं।”
🔱 જ્યાં ભાવ પવિત્ર છે, ત્યાં શિવ સદા વસે છે.
🕉️ ૐ નમઃ શિવાય 🕉️
#ૐ_શિવોહમ્ #મહાદેવ #શિવભાવ #શિવભક્તિ
#નિત્યશિવપૂજન #શિવપુરાણ #રામચરિતમાનસ
#ભાવપૂજા #શાસ્ત્રીયઉપાસના #શિવતત્ત્વ
#સત્યમ_શિવમ_સુંદરમ #હરહરમહાદેવ 🔱#મહાદેવ #શિવઉપાસના #શિવાલય
#શિવદર્શન #બિલીપત્ર #શિવપૂજા #શિવભક્ત #શિવકૃપા @highlight
#શિવકૃપાથી #આધ્યાત્મિકજીવન #આંતરિકશાંતિ
#સત્યમ_શિવમ_સુંદરમ
#હરહરમહાદેવ 🔱
#🛕સોમનાથ જ્યોતિર્લિંગ દર્શન🕉️ 🙏 જો શક્ય હોય તો જીવનમાં એક સંકલ્પ કરો — દરરોજ શિવાલયે જવાની નિત્ય પરંપરા રાખો. કારણ કે શાસ્ત્રો કહે છે કે શિવાલય એ માત્ર મંદિર નથી, તે ચેતનાનું કેન્દ્ર છે.
સ્કંદપુરાણ અનુસાર —
> “શિવાલયે નિવાસ કરનાર પ્રાણીના પાપ સ્વયં દહન પામે છે.”
અર્થાત્ શિવના ચરણોમાં ભાવ સ્થિર કરતાં જ જીવનની અશુદ્ધિઓ શાંત થવા લાગે છે.
🕉️ દૂધ, જળ અને ચંદન — માત્ર દ્રવ્ય નહીં, ભાવતત્ત્વ
શિવપુરાણ કહે છે કે દૂધ અર્પણ કરવું એટલે સત્વગુણની વૃદ્ધિ. જળ અર્પણ કરવું એટલે જીવનના ઉષ્મ તાપને શાંત કરવો. ચંદન મનની ચંચળતા શીતળ કરે છે.
ભાવ વિના ભગવાન સાથે પ્રીતિ સંભવ નથી. દ્રવ્ય તો સાધન છે, ભાવ એ સાધના છે.
🌿 બિલીપત્ર — અહંકાર ત્યાગનું પ્રતીક
શાસ્ત્રોમાં બિલીપત્રના ત્રણ પત્રો ત્રિગુણ (સત્વ–રજ–તમ) અથવા દેહ–મન–અહંકારના ત્યાગનું પ્રતીક માનવામાં આવ્યા છે.
શિવપુરાણ કહે છે કે બિલીપત્ર અર્પણ કરનાર સાધક ધીમે ધીમે અહંકાર મુક્ત થવા લાગે છે.
રામચરિતમાનસમાં ભગવાન શિવના વૈરાગ્યનું વર્ણન છે.
> “गिरिजा नाथ गंगाधर सुमिरि।”
શિવનું સ્મરણ કરવું એટલે વૈરાગ્ય અને વિવેકને હૃદયમાં સ્થિર કરવું.
🌺 પુષ્પ, ધૂપ અને દીપ — આંતરિક પરિવર્તન
પુષ્પ અર્પણ એટલે મનની મલિનતા ત્યાગવી.
ધૂપ એટલે સુગંધિત સંકલ્પ.
દીપ એટલે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનનો પ્રકાશ.
આ જ ભાવને તુલસીદાસજી સ્પષ્ટ કરે છે —
> “निर्मल मन जन सो मोहि पावा।”
(રામચરિતમાનસ)
અર્થાત્ નિર્મળ મન ધરાવનાર જ ભગવાનને પ્રાપ્ત કરે છે.
✨ નિત્ય શિવપૂજનનું શાસ્ત્રીય ફળ
શિવપુરાણ મુજબ —
> “નિત્ય શિવપૂજન કરનારના જીવનમાંથી તાપ, સંતાપ અને ભય ક્રમે ક્ષીણ થાય છે.”
અને રામચરિતમાનસ કહે છે —
> “सिव द्रोही मम दास कहावा।”
અર્થાત્ શિવ અને રામ તત્ત્વ અલગ નથી. શિવ ઉપાસના અંતે રામત્વ તરફ લઈ જાય છે — અને રામભક્તિ શિવત્વમાં વિલીન થાય છે.
💠 સાર તત્ત્વ
શિવને દેખાવો નથી ગમતાં, છળ કપટ નથી ગમતુ.
શિવને ગમે છે — સત્ય, સરળતા અને શુદ્ધ અંતઃકરણ.
તુલસીદાસજી અંતિમ રીતે કહી જાય છે —
> “सत्य धर्म दृढ़ धरि मन माहीं।”
🔱 જ્યાં ભાવ પવિત્ર છે, ત્યાં શિવ સદા વસે છે.
🕉️ ૐ નમઃ શિવાય 🕉️
#ૐ_શિવોહમ્ #મહાદેવ #શિવભાવ #શિવભક્તિ
#નિત્યશિવપૂજન #શિવપુરાણ #રામચરિતમાનસ
#ભાવપૂજા #શાસ્ત્રીયઉપાસના #શિવતત્ત્વ
#સત્યમ_શિવમ_સુંદરમ #હરહરમહાદેવ 🔱#મહાદેવ #શિવઉપાસના #શિવાલય
#શિવદર્શન #બિલીપત્ર #શિવપૂજા #શિવભક્ત #શિવકૃપા @highlight
#શિવકૃપાથી #આધ્યાત્મિકજીવન #આંતરિકશાંતિ
#સત્યમ_શિવમ_સુંદરમ
#હરહરમહાદેવ 🔱
#💐 શુભ સોમવાર 🙏 જો શક્ય હોય તો જીવનમાં એક સંકલ્પ કરો — દરરોજ શિવાલયે જવાની નિત્ય પરંપરા રાખો. કારણ કે શાસ્ત્રો કહે છે કે શિવાલય એ માત્ર મંદિર નથી, તે ચેતનાનું કેન્દ્ર છે.
સ્કંદપુરાણ અનુસાર —
> “શિવાલયે નિવાસ કરનાર પ્રાણીના પાપ સ્વયં દહન પામે છે.”
અર્થાત્ શિવના ચરણોમાં ભાવ સ્થિર કરતાં જ જીવનની અશુદ્ધિઓ શાંત થવા લાગે છે.
🕉️ દૂધ, જળ અને ચંદન — માત્ર દ્રવ્ય નહીં, ભાવતત્ત્વ
શિવપુરાણ કહે છે કે દૂધ અર્પણ કરવું એટલે સત્વગુણની વૃદ્ધિ. જળ અર્પણ કરવું એટલે જીવનના ઉષ્મ તાપને શાંત કરવો. ચંદન મનની ચંચળતા શીતળ કરે છે.
ભાવ વિના ભગવાન સાથે પ્રીતિ સંભવ નથી. દ્રવ્ય તો સાધન છે, ભાવ એ સાધના છે.
🌿 બિલીપત્ર — અહંકાર ત્યાગનું પ્રતીક
શાસ્ત્રોમાં બિલીપત્રના ત્રણ પત્રો ત્રિગુણ (સત્વ–રજ–તમ) અથવા દેહ–મન–અહંકારના ત્યાગનું પ્રતીક માનવામાં આવ્યા છે.
શિવપુરાણ કહે છે કે બિલીપત્ર અર્પણ કરનાર સાધક ધીમે ધીમે અહંકાર મુક્ત થવા લાગે છે.
રામચરિતમાનસમાં ભગવાન શિવના વૈરાગ્યનું વર્ણન છે.
> “गिरिजा नाथ गंगाधर सुमिरि।”
શિવનું સ્મરણ કરવું એટલે વૈરાગ્ય અને વિવેકને હૃદયમાં સ્થિર કરવું.
🌺 પુષ્પ, ધૂપ અને દીપ — આંતરિક પરિવર્તન
પુષ્પ અર્પણ એટલે મનની મલિનતા ત્યાગવી.
ધૂપ એટલે સુગંધિત સંકલ્પ.
દીપ એટલે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનનો પ્રકાશ.
આ જ ભાવને તુલસીદાસજી સ્પષ્ટ કરે છે —
> “निर्मल मन जन सो मोहि पावा।”
(રામચરિતમાનસ)
અર્થાત્ નિર્મળ મન ધરાવનાર જ ભગવાનને પ્રાપ્ત કરે છે.
✨ નિત્ય શિવપૂજનનું શાસ્ત્રીય ફળ
શિવપુરાણ મુજબ —
> “નિત્ય શિવપૂજન કરનારના જીવનમાંથી તાપ, સંતાપ અને ભય ક્રમે ક્ષીણ થાય છે.”
અને રામચરિતમાનસ કહે છે —
> “सिव द्रोही मम दास कहावा।”
અર્થાત્ શિવ અને રામ તત્ત્વ અલગ નથી. શિવ ઉપાસના અંતે રામત્વ તરફ લઈ જાય છે — અને રામભક્તિ શિવત્વમાં વિલીન થાય છે.
💠 સાર તત્ત્વ
શિવને દેખાવો નથી ગમતાં, છળ કપટ નથી ગમતુ.
શિવને ગમે છે — સત્ય, સરળતા અને શુદ્ધ અંતઃકરણ.
તુલસીદાસજી અંતિમ રીતે કહી જાય છે —
> “सत्य धर्म दृढ़ धरि मन माहीं।”
🔱 જ્યાં ભાવ પવિત્ર છે, ત્યાં શિવ સદા વસે છે.
🕉️ ૐ નમઃ શિવાય 🕉️
#ૐ_શિવોહમ્ #મહાદેવ #શિવભાવ #શિવભક્તિ
#નિત્યશિવપૂજન #શિવપુરાણ #રામચરિતમાનસ
#ભાવપૂજા #શાસ્ત્રીયઉપાસના #શિવતત્ત્વ
#સત્યમ_શિવમ_સુંદરમ #હરહરમહાદેવ 🔱#મહાદેવ #શિવઉપાસના #શિવાલય
#શિવદર્શન #બિલીપત્ર #શિવપૂજા #શિવભક્ત #શિવકૃપા @highlight
#શિવકૃપાથી #આધ્યાત્મિકજીવન #આંતરિકશાંતિ
#સત્યમ_શિવમ_સુંદરમ
#હરહરમહાદેવ 🔱
#🌕માગશર સુદ પૂનમ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 🚩💥 દત્ત જયંતિ 💥🚩
(માગશર સુદ પૂર્ણિમા, તા. ૪/૧૨/૨૦૨૫, ગુરુવાર)
ભગવાન દત્તાત્રેય : ઈશ્વર અને ગુરુનું એકાકાર સ્વરૂપ 🙏✨
દત્તાત્રેયમાં ઈશ્વર અને ગુરુ એમ બંને રૂપ સમાયેલાં છે, તેથી જ તેમને ‘પરબ્રહ્મમૂર્તિ સદ્ગુરુ’ અને ‘શ્રી ગુરુદેવદત્ત’ પણ કહેવામાં આવે છે. તેમને પરમ યોગી, સાધક, ગુરુવંશના પ્રથમ ગુરુ અને વૈજ્ઞાનિક પણ માનવામાં આવે છે. હિંદુ ધર્મના ત્રિદેવ — બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ — ની પ્રચલિત વિચારધારાના વિલય માટે જ તેમનો જન્મ થયો હતો. ત્રણેય સંપ્રદાયના લોકોની તેમના પર શ્રદ્ધા છે અને તેથી જ માગશર સુદ પૂનમના દિવસે દત્તાત્રેય જયંતી ધૂમધામપૂર્વક ઉજવવામાં આવે છે. 🌕🙏
તંત્ર સાથે જોડાયેલા હોવાને કારણે દત્તાત્રેયને નાથ પરંપરા અને સંપ્રદાયના અગ્રજ માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયે વેદ અને તંત્ર માર્ગનો વિલય કર્યો હતો. આ સિવાય તેમણે બ્રહ્મવિદ્યાનો પણ પ્રચાર કર્યો હતો. દત્તાત્રેય ઉપર બે મુખ્ય ગ્રંથ છે — ‘અવતાર ચરિત્ર’ અને ‘ગુરુ ચરિત્ર’, જેને વેદતુલ્ય માનવામાં આવે છે. દત્તાત્રેય જયંતી પૂર્વે ભક્તો ‘ગુરુ ચરિત્ર’નો પાઠ કરે છે, જેમાં કુલ ૫૨ અધ્યાય અને ૭૪૯૧ પંક્તિઓ છે. જેમાં શ્રીપાદ, શ્રીવલ્લભ અને શ્રીનરસિંહ સરસ્વતીની લીલાઓ અને ચમત્કારોનું વર્ણન છે. 🌺📿
શ્રી રંગ અવધૂત પણ ભગવાન દત્તાત્રેયના પરમ ભક્ત હતા. તેમણે રચેલી દત્તબાવની આજે દરેક ભક્તના હૃદયમાં વસે છે, જેમાં દત્તાત્રેયની લીલાઓનું અદભૂત વર્ણન છે। 🙏✨
🌟 દત્તાત્રેયના જન્મની કથાઓ
📘 બ્રહ્માંડ પુરાણ પ્રમાણે
સત્યયુગમાં ગુરુ-ઉપદેશ પરંપરા ક્ષીણ થતી જતા અને શ્રુતિઓ લુપ્ત થતી જતાં વૈદિક ધર્મની પુનઃસ્થાપનાના હેતુથી ભગવાન વિષ્ણુએ માગશર સુદ પૂર્ણિમાના દિવસે સતી અનસૂયાના ગર્ભથી દત્તાત્રેય સ્વરૂપે અવતર્યા.
📕 સતી અનસૂયા અને ત્રિમૂર્તિની પ્રસિદ્ધ કથા
નારદજીના મુખેથી મહાસતી અનસૂયાની પ્રશંસા સાંભળીને દેવી ઉમા, રમા અને સરસ્વતીને ઈર્ષ્યા થઈ. પોતાના પતિઓ — બ્રહ્મા, વિષ્ણુ, મહેશ — ને અનસૂયાના સતીત્વની પરીક્ષા લેવા મોકલ્યા.
અનસૂયાએ પોતાના સતીત્વની શક્તિથી ત્રિમૂર્તિને નવજાત બાળકો બનાવી અને વાત્સલ્યભાવે ભોજન કરાવ્યું. બાદમાં ત્રિમૂર્તિઓએ પ્રસન્ન થઈને અત્રિ–અનસૂયાને પુત્ર સ્વરૂપે જન્મવાનું વચન આપ્યું. તેથી અંશરૂપે —
• સોમ (બ્રહ્મા),
• દત્ત (વિષ્ણુ),
• અને દુર્વાસા (શંકર) —
ત્રણે અનસૂયાના ગર્ભથી અવતર્યા. 🙏✨
📗 માર્કંડેય પુરાણ મુજબ
એક પતિવ્રતા સ્ત્રીના સતીત્વ અને દેવી અનસૂયાના કૃપાપ્રભાવથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે અનસૂયાના ગર્ભથી જન્મ લીધા. દત્તાત્રેયે જન્મ પછી જ દિવ્ય કાર્યો શરૂ કર્યાં અને ધર્મની પુનઃસ્થાપના કરી। 🌼
🙏 દત્તાત્રેયના ચોવીસ ગુરુ
દત્તાત્રેયે પ્રકૃતિ, પ્રાણીઓ, માનવ અને જીવનમાં મળેલી દરેક ઘટના પાસેથી જ્ઞાન ગ્રહણ કર્યું.
તેમના 24 ગુરુ છે —
🌍 પૃથ્વી, 🌬 વાયુ, ☁ આકાશ, 💧 જળ, 🔥 અગ્નિ, 🌙 ચંદ્ર, ☀️ સૂર્ય, 🕊 કબૂતર, 🐍 સાપ, 🐘 હાથી, 🐟 માછલી, 🐝 મધમાખી/મધુકર, 🦅 ગીધ, 🧒 બાળક, 👧 કન્યા, 🎯 બાણ બનાવનાર, 🐊 કરોડિયો, વગેરે…
જીવનમાં મળેલા દરેક ગુણને તેમણે ગુરુરૂપે સ્વીકાર્યા — આજની દુનિયામાં સૌથી ઊંડો આધ્યાત્મિક સંદેશ. 🙏
📿 દત્તાત્રેયના શિષ્યો
સહસ્ત્રાર્જુન, કાર્તવીર્ય, પરશુરામ, યદુ, અલર્ક, પ્રહ્લાદ વગેરે તેમના શિષ્ય હતા.
દત્તાત્રેયે પરશુરામને ત્રિપુરામાં તાંત્રિક–વૈદિક સંપ્રદાયનો સંગમરૂપ ઉપદેશ આપ્યો અને શ્રીવિદ્યાનો મંત્ર પ્રદાન કર્યો। 🔱📿
🌼 દત્તાત્રેયનું દૈવી સ્વરૂપ
ત્રિમુખી, ષડ્ભુજ, ભસ્મલિપ્ત, રુદ્રાક્ષમાળા, કમંડળ, ડમરુ, ત્રિશૂલ, શંખ, ચક્ર —
ત્રિમૂર્તિના સંયુક્ત શક્તિનું દિવ્ય પ્રતિક.
ગાયત્રીમાતા રૂપે ગૌમાતા અને ચાર શ્વાન ધર્મ–અર્થ–કામ–મોક્ષના પ્રતીક છે. 🙏🌺
🌅 દત્ત પાદુકા
દરરોજ કાશીમાં ગંગાસ્નાન કરનાર દત્તાત્રેયની પવિત્ર પાદુકા મણિકર્ણિકા ઘાટ ખાતે સ્થિત છે.
દત્ત ભક્તો માટે તે અતિ શ્રદ્ધાસ્થાન છે.
ગિરનાર અને આબુમાં પણ તેમની દિવ્ય ચરણપાદુકા છે. 🙏🔱
#દત્ત_જયંતિ #DattaJayanti #Datta #Gurudatta #શ્રીગુરુદેવદત્ત
#Dattatreya #ShreeGurudatta #Guru #BrahmaVishnuMahesh
#જય_ગુરુદત્ત #ૐ_શિવોહમ્ #જયોતિષાચાર્ય_લલિતદાદા
#ShreeGuruDevDatta #DuttaParivar #Adhyatma #Bhakti
#🪷દત્તાત્રેય જયંતી🙏 🚩💥 દત્ત જયંતિ 💥🚩
(માગશર સુદ પૂર્ણિમા, તા. ૪/૧૨/૨૦૨૫, ગુરુવાર)
ભગવાન દત્તાત્રેય : ઈશ્વર અને ગુરુનું એકાકાર સ્વરૂપ 🙏✨
દત્તાત્રેયમાં ઈશ્વર અને ગુરુ એમ બંને રૂપ સમાયેલાં છે, તેથી જ તેમને ‘પરબ્રહ્મમૂર્તિ સદ્ગુરુ’ અને ‘શ્રી ગુરુદેવદત્ત’ પણ કહેવામાં આવે છે. તેમને પરમ યોગી, સાધક, ગુરુવંશના પ્રથમ ગુરુ અને વૈજ્ઞાનિક પણ માનવામાં આવે છે. હિંદુ ધર્મના ત્રિદેવ — બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ — ની પ્રચલિત વિચારધારાના વિલય માટે જ તેમનો જન્મ થયો હતો. ત્રણેય સંપ્રદાયના લોકોની તેમના પર શ્રદ્ધા છે અને તેથી જ માગશર સુદ પૂનમના દિવસે દત્તાત્રેય જયંતી ધૂમધામપૂર્વક ઉજવવામાં આવે છે. 🌕🙏
તંત્ર સાથે જોડાયેલા હોવાને કારણે દત્તાત્રેયને નાથ પરંપરા અને સંપ્રદાયના અગ્રજ માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયે વેદ અને તંત્ર માર્ગનો વિલય કર્યો હતો. આ સિવાય તેમણે બ્રહ્મવિદ્યાનો પણ પ્રચાર કર્યો હતો. દત્તાત્રેય ઉપર બે મુખ્ય ગ્રંથ છે — ‘અવતાર ચરિત્ર’ અને ‘ગુરુ ચરિત્ર’, જેને વેદતુલ્ય માનવામાં આવે છે. દત્તાત્રેય જયંતી પૂર્વે ભક્તો ‘ગુરુ ચરિત્ર’નો પાઠ કરે છે, જેમાં કુલ ૫૨ અધ્યાય અને ૭૪૯૧ પંક્તિઓ છે. જેમાં શ્રીપાદ, શ્રીવલ્લભ અને શ્રીનરસિંહ સરસ્વતીની લીલાઓ અને ચમત્કારોનું વર્ણન છે. 🌺📿
શ્રી રંગ અવધૂત પણ ભગવાન દત્તાત્રેયના પરમ ભક્ત હતા. તેમણે રચેલી દત્તબાવની આજે દરેક ભક્તના હૃદયમાં વસે છે, જેમાં દત્તાત્રેયની લીલાઓનું અદભૂત વર્ણન છે। 🙏✨
🌟 દત્તાત્રેયના જન્મની કથાઓ
📘 બ્રહ્માંડ પુરાણ પ્રમાણે
સત્યયુગમાં ગુરુ-ઉપદેશ પરંપરા ક્ષીણ થતી જતા અને શ્રુતિઓ લુપ્ત થતી જતાં વૈદિક ધર્મની પુનઃસ્થાપનાના હેતુથી ભગવાન વિષ્ણુએ માગશર સુદ પૂર્ણિમાના દિવસે સતી અનસૂયાના ગર્ભથી દત્તાત્રેય સ્વરૂપે અવતર્યા.
📕 સતી અનસૂયા અને ત્રિમૂર્તિની પ્રસિદ્ધ કથા
નારદજીના મુખેથી મહાસતી અનસૂયાની પ્રશંસા સાંભળીને દેવી ઉમા, રમા અને સરસ્વતીને ઈર્ષ્યા થઈ. પોતાના પતિઓ — બ્રહ્મા, વિષ્ણુ, મહેશ — ને અનસૂયાના સતીત્વની પરીક્ષા લેવા મોકલ્યા.
અનસૂયાએ પોતાના સતીત્વની શક્તિથી ત્રિમૂર્તિને નવજાત બાળકો બનાવી અને વાત્સલ્યભાવે ભોજન કરાવ્યું. બાદમાં ત્રિમૂર્તિઓએ પ્રસન્ન થઈને અત્રિ–અનસૂયાને પુત્ર સ્વરૂપે જન્મવાનું વચન આપ્યું. તેથી અંશરૂપે —
• સોમ (બ્રહ્મા),
• દત્ત (વિષ્ણુ),
• અને દુર્વાસા (શંકર) —
ત્રણે અનસૂયાના ગર્ભથી અવતર્યા. 🙏✨
📗 માર્કંડેય પુરાણ મુજબ
એક પતિવ્રતા સ્ત્રીના સતીત્વ અને દેવી અનસૂયાના કૃપાપ્રભાવથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે અનસૂયાના ગર્ભથી જન્મ લીધા. દત્તાત્રેયે જન્મ પછી જ દિવ્ય કાર્યો શરૂ કર્યાં અને ધર્મની પુનઃસ્થાપના કરી। 🌼
🙏 દત્તાત્રેયના ચોવીસ ગુરુ
દત્તાત્રેયે પ્રકૃતિ, પ્રાણીઓ, માનવ અને જીવનમાં મળેલી દરેક ઘટના પાસેથી જ્ઞાન ગ્રહણ કર્યું.
તેમના 24 ગુરુ છે —
🌍 પૃથ્વી, 🌬 વાયુ, ☁ આકાશ, 💧 જળ, 🔥 અગ્નિ, 🌙 ચંદ્ર, ☀️ સૂર્ય, 🕊 કબૂતર, 🐍 સાપ, 🐘 હાથી, 🐟 માછલી, 🐝 મધમાખી/મધુકર, 🦅 ગીધ, 🧒 બાળક, 👧 કન્યા, 🎯 બાણ બનાવનાર, 🐊 કરોડિયો, વગેરે…
જીવનમાં મળેલા દરેક ગુણને તેમણે ગુરુરૂપે સ્વીકાર્યા — આજની દુનિયામાં સૌથી ઊંડો આધ્યાત્મિક સંદેશ. 🙏
📿 દત્તાત્રેયના શિષ્યો
સહસ્ત્રાર્જુન, કાર્તવીર્ય, પરશુરામ, યદુ, અલર્ક, પ્રહ્લાદ વગેરે તેમના શિષ્ય હતા.
દત્તાત્રેયે પરશુરામને ત્રિપુરામાં તાંત્રિક–વૈદિક સંપ્રદાયનો સંગમરૂપ ઉપદેશ આપ્યો અને શ્રીવિદ્યાનો મંત્ર પ્રદાન કર્યો। 🔱📿
🌼 દત્તાત્રેયનું દૈવી સ્વરૂપ
ત્રિમુખી, ષડ્ભુજ, ભસ્મલિપ્ત, રુદ્રાક્ષમાળા, કમંડળ, ડમરુ, ત્રિશૂલ, શંખ, ચક્ર —
ત્રિમૂર્તિના સંયુક્ત શક્તિનું દિવ્ય પ્રતિક.
ગાયત્રીમાતા રૂપે ગૌમાતા અને ચાર શ્વાન ધર્મ–અર્થ–કામ–મોક્ષના પ્રતીક છે. 🙏🌺
🌅 દત્ત પાદુકા
દરરોજ કાશીમાં ગંગાસ્નાન કરનાર દત્તાત્રેયની પવિત્ર પાદુકા મણિકર્ણિકા ઘાટ ખાતે સ્થિત છે.
દત્ત ભક્તો માટે તે અતિ શ્રદ્ધાસ્થાન છે.
ગિરનાર અને આબુમાં પણ તેમની દિવ્ય ચરણપાદુકા છે. 🙏🔱
#દત્ત_જયંતિ #DattaJayanti #Datta #Gurudatta #શ્રીગુરુદેવદત્ત
#Dattatreya #ShreeGurudatta #Guru #BrahmaVishnuMahesh
#જય_ગુરુદત્ત #ૐ_શિવોહમ્ #જયોતિષાચાર્ય_લલિતદાદા
#ShreeGuruDevDatta #DuttaParivar #Adhyatma #Bhakti
#💐 શુભ મંગળવાર #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏 મારી કુળદેવી માં #🙏જય મહાકાળી માઁ🌹 #👣 જય મેલડી માઁ
🚩 વાસ્તુ પૂજન શા માટે જરૂરી છે અને કોણ છે આ વાસ્તુપુરુષ❓️
🏠 વાસ્તુ પૂજનનો આધાર અને તાત્વિક અર્થ
નવું ઘર ખરીદ્યા પછી અથવા બનાવ્યા પછી દરેક ઘરમાં વાસ્તુ શાંતિ કરાવવામાં આવે છે.
વાસ્તુશાંતિ વાસ્તુદેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે.
આ પાછળ એવી માન્યતા છે કે —
જમીનના કોઈ ભાગ ઉપર જ્યારે બાંધકામ કરવામાં આવે છે ત્યારે તે જમીન ઉપર નિવાસ કરતી શક્તિઓ જાગી જાય છે.
આ શક્તિઓ જ “વાસ્તુપુરુષ” છે.
વાસ્તુપુરુષ દેવતાના શરીર ઉપર જ દેવતાઓનો વાસ હોય છે.
આ જ દેવતાઓને ખુશ કરવા માટે વાસ્તુ પૂજન કરવામાં આવે છે,
જેથી આ તમામ દેવતાઓ ખુશ રહે અને આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ વ્યાપેલી રહે.
🌕 નવા ઘરમાં વાસ્તુનો વિશેષ પ્રભાવ
કોઈ પણ નવા ઘરમાં વાસ્તુ પૂજનનું મહત્વ જૂના ઘર કરતા અનેક ગણું વધુ હોય છે,
કારણ કે એવું માનવામાં આવે છે કે —
📌 વાસ્તુપુરુષને જે પણ કષ્ટ મળે છે, તેનો બદલો એ તે ઘરમાં રહેનારા સભ્યો પાસે પ્રથમ વર્ષમાં જ વાળી લે છે.અને સાત વર્ષે સંપૂર્ણ વાસ્તુનો પ્રકોપ દેખાતો હોય છે.
જે રીતે કોઈ ઘા રુઝાતા સમય લાગે છે,
તે જ રીતે વાસ્તુપુરુષને મળેલા કષ્ટો પણ દૂર થવામાં સમય લાગે છે.
બાંધકામ દરમિયાન થયેલા હલ્લાથી વાસ્તુપુરુષની ઊંઘમાં બાધા ઉત્પન્ન થાય છે,
અને ઊંઘમાંથી જાગી ગયેલા વાસ્તુપુરુષને ભૂખ વધુ લાગે છે.
👉 આ ભૂખ શાંત કરવા માટે હવન અને આહૂતિ આપવી જોઈએ.
આ કારણથી ભૂમિપૂજનના સમયે નારિયેળ ફોડીને તેનો પ્રસાદ વાસ્તુપુરુષને ભોજન સ્વરૂપે અર્પણ કરવામાં આવે છે.
📜 મત્સ્ય પુરાણ મુજબ વાસ્તુપુરુષનો જન્મ
મત્સ્ય પુરાણમાં વાસ્તુપુરુષના ઉત્પત્તિનું વર્ણન અત્યંત રસપ્રદ છે —
અંધકાસુર નામના રાક્ષસનો સંહાર કરવા ભગવાન શંકરે ભયંકર યુદ્ધ કર્યું.
આ યુદ્ધ દરમ્યાન શિવજીના પરસેવાના ટીપાં ધરતી ઉપર પડ્યા,
જેનામાંથી એક વિશાળ પુરુષાકાર જીવ ઉત્પન્ન થયો.
એ જીવ અંધકાસુરનું રક્ત પીવા લાગ્યો,
પણ તેની ભૂખ સંતોષાઈ નહીં.
તેણે શિવજી પાસે જઈ ત્રણેય લોક — દેવલોક, પૃથ્વી અને આકાશ — ભક્ષણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.
શિવજીએ આશીર્વાદ આપતાં કહ્યું કે,
🚩“તું જે ઈચ્છે તે મેળવવાનો અધિકારી છે.”
પરંતુ દેવતાઓએ તેના ઉદ્ભવથી ભયભીત થઈ તેને પૃથ્વી પર ઉંધા મુખે દબાવી દીધો.
તે હલવા અસમર્થ રહ્યો.
બધા દેવતાઓ તેના શરીર ઉપર સ્થિત થયા.
ત્યારથી દેવતાઓનો વાસ તેના શરીર પર માનવામાં આવ્યો —
અને એ જ દેવરૂપ જીવ “વાસ્તુપુરુષ” તરીકે ઓળખાયો.
🚩દેવતાઓ દ્વારા અપાયેલું વરદાન
વાસ્તુપુરુષે દેવતાઓને વિનંતિ કરી —
📌“હે દેવતાઓ! તમે મને દબાવી રાખ્યો છે, હું હલી શકતો નથી.”
આ વિનંતિથી પ્રસન્ન થઈ બ્રહ્મા તથા અન્ય દેવતાઓએ તેને વરદાન આપ્યું —
📌 “તારું શરીર સદાય પૃથ્વી ઉપર વાસ કરશે.
જ્યારે પણ કોઈ માનવ ઘર બાંધશે, ત્યારે તારી તથા તમામ દેવતાઓની પૂજા કરવી ફરજિયાત રહેશે.
વાસ્તુપૂજન અને વૈશ્વદેવ બલિ દ્વારા તને ભોજન પ્રાપ્ત થશે.”
તેથી, નવા ઘરના નિર્માણ બાદ વાસ્તુપૂજન ન કરનાર વ્યક્તિઓ અજાણતાં પણ તારી આહૂતિનો ભાગ આપશે.
🪶 વાસ્તુ અને માનવજીવનનો અવિભાજ્ય સંબંધ
વાસ્તુ મનુષ્યના જીવનમાં અતિ મહત્વ ધરાવે છે.
આ ઘર, વ્યવસાય, આરોગ્ય, સમૃદ્ધિ, શાંતિ — બધાં પર સીધી અસર કરે છે.
ઘરમાં સતત ઝગડા, નુકસાન, રોગ, નકારાત્મકતા વગેરે જો સતત રહેતા હોય,
તો તેનું કારણ વાસ્તુદોષ પણ હોઈ શકે છે.
🗒️ ગૃહપ્રવેશના શુભ સમય અને નક્ષત્રો
ગૃહપ્રવેશ માટે શ્રેષ્ઠ માસ:
➡ મહા, ફાગણ, વૈશાખ, માગશર
ફળ:
ફાગણ મહિનામાં વાસ્તુ પૂજનથી પુત્ર, પૌત્ર અને ધન પ્રાપ્તિ થાય છે.
વૈશાખમાં કરવાથી ધનધાન્યની કમી રહેતી નથી.
માગશરમાં કરવાથી સંતાન તથા પશુસુખ મળે છે.
શુભ વાર: સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર
શુભ તિથિ: દ્વિતીયા, તૃતીયા, પંચમી, સપ્તમી, દશમી, એકાદશી, દ્વાદશી, ત્રયોદશી
શુભ નક્ષત્ર: અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ઉત્તરફાલ્ગુની, રોહિણી, શ્રવણ, રેવતી, સ્વાતિ, અનુરાધા વગેરે
અશુભ માસ: અષાઢ, શ્રાવણ, ભાદરવો, અશ્વિન, મલમાસ
(આ મહિનાઓમાં ગૃહપ્રવેશ કરવો અશુભ ગણાય છે.)
🌟 અન્ય વિચારયોગ્ય તત્વો
ચંદ્રબળ, લગ્ન શુદ્ધિ અને ભદ્રાનો વિચાર કરી ગૃહપ્રવેશ કરવો.
પૂજા વિના પ્રવેશ કરવાથી ઘરમાં કલહ, આરોગ્ય સમસ્યા અને અશાંતિ રહે છે.
ગૃહપ્રવેશ કર્યા વિના નિવાસ કરવાથી બરકત નષ્ટ થાય છે અને ખર્ચ વધે છે.
📿 વાસ્તુ મંત્ર (શાંતિ અને સમૃદ્ધિ માટે)
“नमस्ते वास्तु पुरुषाय भूशय्या भिरत प्रभो ।
मद्गृहं धन धान्यादि समृद्धं कुरु सर्वदा ॥”
🪔 સારાંશરૂપે – વાસ્તુ પૂજનનું શાસ્ત્રીય તત્ત્વ
વાસ્તુપુરુષ પૃથ્વીની ઉર્જાનો સંરક્ષક છે.
તેની પૂજા એ ઘરમાં દિવ્ય સકારાત્મકતાને આમંત્રણ આપે છે.
વાસ્તુ પૂજન એ માત્ર વિધિ નહીં, પણ દૈવી સમતોલનનું વિજ્ઞાન છે.
🔱 #vastushashtra #વાસ્તુ #વાસ્તુદોષ #વાસ્તુપૂજન #ધર્મ #સંસ્કૃતિ #સનાતન_ધર્મ #ૐ_શિવોહમ્ #jyotish #astro #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🔍 જ્યોતિષ #🧿દોષ અને ઉપાય #🏠વાસ્તુ દોષ ઉપાય😇 #🌟સફળ કારકિર્દી માટે વાસ્તુ ટિપ્સ😇
🌼✨ સત્યનારાયણ પ્રસાદની દિવ્ય મીઠાશ ✨🌼
🔱 “સત્યનારાયણ કથા” માત્ર એક વિધિ નથી,
તે સત્ય, ભક્તિ અને આનંદનું સંગમ છે…!
અને એ કથાના અંતે મળતો પ્રસાદ — શીરો —
એક એવો દૈવી અમૃત, જે જીભને નહીં, પણ આત્માને મીઠો લાગે છે…
🌸 ૧. ભક્તિની મીઠાશ
શીરો તૈયાર કરતી વેળાએ દરેક ઘરમા
“ભગવાન માટે અર્પણ” એવો શુદ્ધ ભાવ પ્રગટે છે.
તે ભાવમાં રહેલી અદૃશ્ય ભક્તિ જ એની સાચી ચાસણી છે.
પ્રેમથી બનાવેલો પ્રસાદ, દેવતાની કૃપાથી દૈવી સ્વાદ ધારણ કરે છે.
📿 જ્યાં ભાવ છે, ત્યાં સ્વાદ આપોઆપ પ્રસન્ન કરે છે.
🪔 ૨. શીરોના ચાર તત્ત્વ – આધ્યાત્મિક સંકેત
શીરો બને છે — લોટ, ઘી, ખાંડ અને દૂધ/પાણીથી
પરંતુ એ ચારેય દ્રવ્યોનો અર્થ ઊંડો છે 👇
🌾 લોટ — કર્મનો તત્વ, જીવનનો શ્રમ
🧈 ઘી — શુદ્ધતા અને શ્રદ્ધાનો પ્રકાશ
🍯 ખાંડ — પ્રેમ અને આનંદનો સાર
🥛 દૂધ/પાણી — જ્ઞાન અને શાંતિનું પ્રતિક
આ બધું ભક્તિની ગરમીમાં રંધાય,
ત્યારે જ જન્મે છે. દૈવી મીઠાશવાળો શીરો — પ્રસાદરૂપે આનંદ!
🌺 ૩. કથાનો ઊર્જાસ્પંદન
સત્યનારાયણ કથામાં જયારે સત્ય, શ્રદ્ધા, અને અર્પણ ભાવ સાથે સ્તુતિ થાય છે,
ત્યારે સમગ્ર વાતાવરણમાં પવિત્ર સ્પંદન ફેલાય છે.
આ ઊર્જા પ્રસાદમાં શોષાય છે —
તેથી તે ખાવાથી મન પ્રસન્ન થાય, ચિંતા ઓછી થાય, અને હૃદય શાંત બને.
🌿 દૈવી ઊર્જા એ જ પ્રસાદનો સાચો સ્વાદ છે.
🌼 ૪. મનના સંસ્કારનો અંશ
કથા પછી જયારે સૌ ભક્તો “શ્રીસત્યનારાયણ ભગવાન કી જય” બોલે છે,
ત્યારે દરેકના મનમાં ભક્તિની તરંગો ફેલાય છે.
આ મનની શુદ્ધતા શીરોમાં પ્રતિબિંબિત થાય છે,
અને એ પ્રસાદ ખાવાથી મન પણ મીઠું થઈ જાય છે.
💫 નિષ્કર્ષ
શીરોનો સ્વાદ મીઠો એ માટે હોય છે કે —
તેમાં ભક્તિનો ભાવ, પ્રેમનો રંગ અને ભગવાનના આશીર્વાદની સુગંધ સમાયેલી હોય છે.
📌તે મીઠાશ માત્ર જીભ પર નહીં, આત્માની અંદર ઉતરે છે.
🌸✨
“જેના હૃદયમાં સત્ય છે એજનારાયણ છે,
એના જીવનમાં હંમેશાં મીઠાશ જ મીઠાશ.”
🙏
જ્યોતિષાચાર્ય લલિતદાદા ૐ શિવોહમ્ #પ્રસાદ #નૈવૈદ્ય #ભાવ #ભગવાન #વિષ્ણુ #નારાયણ #ભક્તિ #સનાતનધર્મ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏ભક્તિ ભજન🎶 #🙏 જય શ્રી કૃષ્ણ #🙏ગુરુ દત્તાત્રેય









![🌕માગશર સુદ પૂનમ - 222e] 868..! %2 U 1 222e] 868..! %2 U 1 - ShareChat 🌕માગશર સુદ પૂનમ - 222e] 868..! %2 U 1 222e] 868..! %2 U 1 - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_910618_efa0d65_1764813908115_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=115_sc.jpg)
![🪷દત્તાત્રેય જયંતી🙏 - 222e] 868..! %2 U 1 222e] 868..! %2 U 1 - ShareChat 🪷દત્તાત્રેય જયંતી🙏 - 222e] 868..! %2 U 1 222e] 868..! %2 U 1 - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_457867_2027a724_1764812455986_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=986_sc.jpg)


![🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - सत्थनाशथए प्रसा६नी [Ec 46LRL..!oc] सत्थना२थP भगवान ड %थ.० ONSHIYOHfN 9725099007 सत्थनाशथए प्रसा६नी [Ec 46LRL..!oc] सत्थना२थP भगवान ड %थ.० ONSHIYOHfN 9725099007 - ShareChat 🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - सत्थनाशथए प्रसा६नी [Ec 46LRL..!oc] सत्थना२थP भगवान ड %थ.० ONSHIYOHfN 9725099007 सत्थनाशथए प्रसा६नी [Ec 46LRL..!oc] सत्थना२थP भगवान ड %थ.० ONSHIYOHfN 9725099007 - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_525274_301d5a38_1763119523653_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=653_sc.jpg)