શું ભગવાન પણ કર્મના ફળથી બચી શકતા નથી? રામાયણ અને મહાભારત સાથે જોડાયેલું આ ચોંકાવનારું સત્ય જાણી લો!
"કર્મ કોઈને છોડતું નથી" - આ વાત માત્ર કહેવા ખાતર નથી, પણ શાસ્ત્રોમાં પણ તેના પુરાવા છે. શું તમે જાણો છો કે કૈકેયીએ રામને વનવાસ મોકલ્યો, તેથી જ બીજા જન્મમાં દેવકી બનીને ૧૪ વર્ષ જેલમાં પુત્ર વિરહ સહન કરવો પડ્યો હતો? ખુદ ભગવાન રામે બાલીનો વધ કર્યો, તો કૃષ્ણ અવતારમાં શિકારીના હાથે તેનો બદલો ચુકવવો પડ્યો હતો. આ પોસ્ટમાં દર્શાવેલા ઉદાહરણો સાબિત કરે છે કે કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. જો સુધરવું હોય તો અત્યારે જ જાગૃત થઈ જજો!
શું તમને લાગે છે કે આજના સમયમાં પણ લોકોએ પોતાના કર્મોથી ડરવાની જરૂર છ ?????
#karmonabandhan
#jaisikarnivaisibharni
#jay shree radhe krishn #🌹🙏jay jay shree radhe 🙏🌹