Hetali Shah Mehta
ShareChat
click to see wallet page
@hetalishahmehta
hetalishahmehta
Hetali Shah Mehta
@hetalishahmehta
Journalist
#🗞️ ગુજરાત અપડેટ્સ https://youtu.be/0SMLCdxNIac?si=0fNWfvgR6ps3YGg4
youtube-preview
#🗞️ ગુજરાત અપડેટ્સ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચર્ચા તેજ બની છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે ટ્રેડ ડીલને લઈને ઉઠાવવામાં આવેલા સવાલો મામલે પ્રતિક્રિયા આપી છે. ટ્રેડ ડીલમાં ભારતે સાર્વભૌમત્વ સાથે સમાધાન કર્યું હોવાના દાવાઓને ગોયલે સ્પષ્ટપણે નકારી કાઢતા કહ્યું કે, "આવા દાવા કરનારાઓ અજ્ઞાની છે. આ ટ્રેડ ડીલ એક લેબર ઓફ લવ છે."પિયૂષ ગોયલે કહ્યું કે, "કૃષિ મામલે ભારતના ખેડૂતો અને ઉત્પાદકોના હિતોનું 100% ધ્યાન રાખવામાં આવ્યું છે. ભારતે માંસ, મરઘાં, GM ફૂડ્સ અથવા તેના ઉત્પાદનો પર કોઈ સબસિડી આપી નથી. આ ઉપરાંત, સોયાબીન ખોળ, મકાઈ, ચોખા અને ઘઉં જેવા અનાજ તેમજ જુવાર, બાજરી અને રાગી જેવા પાકને સુરક્ષિત રખાયા છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ઉગાડવામાં આવતા ફળો જેમ કે કેળા, સ્ટ્રોબેરી, ચેરી, સાઇટ્રસ ફળો, લીલા વટાણા, ચણા, મગની દાળ, તેલીબિયાં, મગફળી અને મધ જેવા ઉત્પાદકો પર કોઈ સમજૂતી થઈ નથી. આ બધા ભારત માટે સંવેદનશીલ ઉત્પાદનો છે અને તેમાં કોઈ ઉદારતા દાખવવામાં આવી નથી.અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલ કે LNG ખરીદવાના પ્રશ્ન પર પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, આ ભારતની પોતાની વ્યુહાત્મક રણનીતિનો એક ભાગ છે. આનાથી આપણને ઓઈલના સ્ત્રોતોમાં વિવિધતા લાવવામાં મદદ મળે છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે કઈ કંપની ક્યાંથી તેલ ખરીદશે, તેનો નિર્ણય કંપનીઓ પોતે જ લેતી હોય છે. વેપાર સમજૂતીનું મુખ્ય કામ તો વ્યાપારી માર્ગોને વધુ સરળ અને સુલભ બનાવવાનું છે. પિયૂષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ દેશ સાથે જ્યારે વેપાર સમજૂતી માટે વાતચીત થાય છે, ત્યારે તે અત્યંત ગહન અને વિસ્તૃત હોય છે. તેમાં દરેક પાસાં પર ઝીણવટભરી ચર્ચા કરવામાં આવે છે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાય છે. આ પ્રક્રિયા ખૂબ જ ધીરજ માંગી લે તેવી છે અને તેમાં ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ. એટલે જ હું હંમેશા કહું છું કે, "આપણે ગતિ જાળવવી જોઈએ, ઉતાવળ નહીં." #🔥 બિગ અપડેટ્સ
#🗞️ ગુજરાત અપડેટ્સ સૌરાષ્ટ્રના રાજકારણનું 'એપી સેન્ટર' (Epicenter) ગણાતા રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાના સંગઠનને નવી ધાર આપી છે. લાંબી મથામણ અને ગાંધીનગર સુધીના લોબિંગ બાદ આખરે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેએ (Dr. Madhav Dave) પોતાની નવી ટીમની જાહેરાત કરી દીધી છે. પ્રદેશ નેતૃત્વ અને મોવડી મંડળ સાથેની ચર્ચા બાદ જાહેર કરાયેલી આ યાદીમાં જ્ઞાતિગત સમીકરણો અને અનુભવ તથા યુવા જોશનો અદભૂત સમન્વય જોવા મળ્યો છે.સંગઠનમાં સૌથી મહત્વના ગણાતા 'મહામંત્રી' (General Secretary) પદ માટે અનેક મોટા માથાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જોકે, ભાજપે અહીં 'સોશિયલ એન્જિનિયરિંગ' (Social Engineering) અપનાવીને પાટીદાર, ક્ષત્રિય અને ઓબીસી (OBC) સમાજને સાચવી લીધા છે. વલ્લભભાઈ દૂધાત્રા: સામાકાંઠા વિસ્તારના કદાવર લેઉવા પાટીદાર અગ્રણી અને કોર્પોરેશનના પૂર્વ પદાધિકારી વલ્લભભાઈ દૂધાત્રાએ તમામ અટકળો વચ્ચે મેદાન મારી લીધું છે. યોગેન્દ્રસિંહ જાડેજા: ક્ષત્રિય સમાજમાંથી અનેક દાવેદારો હતા, પરંતુ પક્ષે યોગેન્દ્રસિંહ જાડેજા પર વિશ્વાસ મૂક્યો છે. લલિતભાઈ વાડોલીયા: ત્રીજા મહામંત્રી તરીકે લલિત વાડોલીયાને સ્થાન આપીને સંતુલન જાળવવામાં આવ્યું છે.નવા માળખામાં કુલ 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. ઉપપ્રમુખ (Vice Presidents): મેહુલભાઈ નથવાણી, મહેશભાઈ પીપરીયા, ભાર્ગવભાઈ મિયાત્રા, દીપાબેન કાચા સહિત 8 નેતાઓને સ્થાન મળ્યું છે. મંત્રી (Secretaries): કિશનભાઈ ટીલવા, સુનિલભાઈ ગોહેલ, ચાર્મીબેન ગોંડલીયા સહિત 8 કાર્યકરો. કોષાધ્યક્ષ (Treasurer): મયુરભાઈ શાહ. કાર્યાલય મંત્રી: હિતેશભાઈ ઠોલરીયા. વિવિધ મોરચામાં નવા ચહેરાઓને તકપક્ષે યુવાઓને આગળ લાવવા માટે મોરચાના હોદ્દાઓમાં નવા ચહેરાઓને તક આપી છે, જ્યારે પૂર્વ યુવા નેતાઓને મુખ્ય સંગઠનમાં બઢતી આપી છે. યુવા મોરચો: મિલન લીંબાસીયા (પ્રમુખ) મહિલા મોરચો: લીનાબેન રાવલ (પ્રમુખ) OBC મોરચો: બાબુભાઈ માટીયા (પ્રમુખ) SC મોરચો: દિનેશભાઈ ગોહેલ (પ્રમુખ) ST મોરચો: મનોજભાઈ દૂબલ (પ્રમુખ) કિસાન મોરચો: યોગેશભાઈ ભુવા (પ્રમુખ) લઘુમતી મોરચો: ઈબ્રાહીમભાઈ સોની (પ્રમુખ) સોશિયલ મીડિયા અને આઈટી સેલ આજના ડિજિટલ યુગમાં પ્રચાર પ્રસાર માટે મહત્વના ગણાતા સોશિયલ મીડિયા વિભાગની કમાન શ્યામ ડાભીને, આઈ.ટી. સેલની જવાબદારી નીલેશ રાઠોડને અને મીડિયા વિભાગ હાર્દિક બોરડને સોંપવામાં આવ્યો છે.
#🗞️ ગુજરાત અપડેટ્સ કેન્દ્રીય બજેટ 2026 બાદ ગુજરાતના રેલવે માળખાને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે તિજોરી ખોલી દીધી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પત્રકારો સાથે સંવાદ કરતા જણાવ્યું કે, ગુજરાત રેલવે ડિવિઝન માટે આ વર્ષે ₹17,366 કરોડની ઐતિહાસિક ફાળવણી કરવામાં આવી છે. આ રકમ કોંગ્રેસ શાસન દરમિયાન મળતી ફાળવણી કરતા 29 ગણી વધારે છે.રેલવે મંત્રીએ મહત્વની જાણકારી આપતા કહ્યું કે, ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આવતા વર્ષ સુધીમાં તેનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવાનું લક્ષ્‍ય છે. આ ઉપરાંત, ગુજરાતમાં રેલવે લાઇનનું 100% વિધ્યુતિકરણ (ઇલેક્ટ્રિફિકેશન) પૂર્ણ થઈ ગયું છે, જે પર્યાવરણ અને ઝડપની દ્રષ્ટિએ અદભુત સિદ્ધિ છે. નવા સ્ટેશનો અને પ્રોજેક્ટ્સ હાલ ગુજરાતમાં કુલ 1.28 લાખ કરોડના રેલવે પ્રોજેક્ટ્સ કાર્યરત છે. રાજ્યમાં 87 નવા રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ અને નિર્માણ થઈ રહ્યું છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરને કારણે દરિયાકિનારેથી સામાન રાજ્યના અન્ય ભાગોમાં ઝડપથી પહોંચી શકશે, જેનાથી વેપાર-રોજગાર અને લોકોની આજીવિકાને વેગ મળશે.ભારતીય રેલવેની આવકમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. કુલ રેવન્યુ 2.78 લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જેમાં પેસેન્જર ટ્રેન અને કોમર્શિયલ રેલ બંનેના નફામાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતમાં આગામી સમયમાં અનેક નવી ટ્રેનો પણ શરૂ કરવામાં આવશે તેવી મંત્રીએ ખાતરી આપી હતી.
#🗞️ ગુજરાત અપડેટ્સ વડોદરામાં પીએસઆઈ એન.એન. ઝવેરીનો 75 હજાર રૂપિયાની કથિત રીતે લાંચ માંગતો અને સ્વીકારતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો એક વર્ષ જૂનો હોવાનું પણ સામે આવ્યુ છે. આ પીએસઆઈ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં ત્યાંથી તેમની પાણીગેટ પોલીસ સ્ટેશન અને ટ્રાફિક શાખામાં ટ્રાન્સફર કરી દેવાઈ હતી. વડોદરા પોલીસ કમિશનર દ્વારા આ વીડિયોને લઈને તપાસ DCP ઝોન 1 જગદીશ ચાવડાને સોપાઈ છે. વીડિયો વાયરલ અને ઓડિયોની ખરાઈ કરવાની કામગીરી પણ સોંપવામાં આવી છે. ગત વર્ષ ઉત્તરાયણના દિવસે ઇનાયત ઇબ્રાહીમભાઈ ખાટકી અને અકબર સહિતના લોકો વચ્ચે મારામારી થઈ હતી. તે સમયે આ પીએસઆઈએ પૈસા માંગ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આરોપી તાજેતરમા જ જેલમાંથી બહાર આવ્યો હતો અને તેણે પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં.
#🗞️ ગુજરાત અપડેટ્સ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળીયામાં નગરપાલિકા સંચાલિત કચરાના ડેપો (ડમ્પિંગ સાઈટ) પર આજે ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી છે. કચરાના વિશાળ ઢગલામાં લાગેલી આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભય અને પરેશાનીનો માહોલ સર્જાયો છે.આગના કારણે ઉત્પન્ન થયેલો કચરાનો ઝેરી ધુમાડો પવનની દિશા સાથે રહેણાંક વિસ્તારો તરફ ફેલાતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોમાં આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આ પ્રદૂષિત હવા જોખમી સાબિત થઈ રહી છે.
#🗞️ ગુજરાત અપડેટ્સ https://youtu.be/LleD1WLjo68?si=XPvmVNPqxU0qN5dD #😁 ફન સાથે સાયન્સ✌️
youtube-preview