#😲AI ક્રિએટર્સને મોટો ઝટકો
Social Media New Rules: કેન્દ્ર સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI દ્વારા તૈયાર કરાયેલા કન્ટેન્ટને લઈને નવા આઈટી નિયમો જાહેર કર્યા છે. જે મુજબ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે AI જનરેટેડ કન્ટેન્ટ પર લેબલ લગાવવું ફરજિયાત રહેશે. ગૂગલ, યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સે ડીપફેક કે સિન્થેટિક ઓડિયો-વીડિયો જેવી સામગ્રીને સ્પષ્ટ રીતે ઓળખવી પડશે અને જો કોઈ વાંધાજનક સામગ્રી જણાય તો તેને 3 કલાકમાં હટાવવી પડશે. આ નિયમો 20 ફેબ્રુઆરીથી અમલમાં આવશે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ માધ્યમો પર ફેલાતી ખોટી માહિતી અને ભ્રામક કન્ટેન્ટ પર લગામ લગાવવાનો છે. તેમજ ગેરકાયદે કે વાંધાજનક એઆઈ કન્ટેન્ટ શૅર કરવા બદલ પણ આઈટી. એક્ટ, ક્રિમિનલ લૉ અને પોક્સો હેઠળ કાર્યવાહી પણ થઈ શકશે.
નવા સુધારા મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે યુઝર્સ જ્યારે પણ AI દ્વારા બનાવેલી સામગ્રી અપલોડ કરે ત્યારે તેમની સેલ્ફ-ડિક્લેરેશન આપવું પડશે અને સાથે જ ઓટોમેટેડ ટૂલ્સ દ્વારા તેની ચકાસણી પણ કરવી પડશે. જો કોઈ સામગ્રીમાં ફેરફાર કરાયો હશે અથવા તે સંપૂર્ણપણે AI દ્વારા બનાવાઈ હશે, તો તેના પર દેખાય તેવું લેબલ અને ટ્રેસેબલ મેટાડેટા હોવો ફરજિયાત રહેશે. આ સિવાય સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો પ્લેટફોર્મ્સ તેમની 'સેફ હાર્બર' સુરક્ષા ગુમાવી શકે છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. ખાસ કરીને બાળકો સાથે જોડાયેલા અશ્લીલ કન્ટેન્ટ કે ભ્રામક ડીપફેક બાબતે કડક વલણ અપનાવતા સરકારે સમયમર્યાદામાં ઘટાડો કર્યો છે, જેથી ઇન્ટરનેટ યુઝર્સને વધુ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી