#📢પેટ્રોલ-ડીઝલ પર લેવાયો મોટો નિર્ણય⛽, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના પુરવઠા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નવા આદેશ મુજબ હવે ફેક્ટરીઓ, મોટી કંપનીઓ અને અન્ય ઔદ્યોગિક, વાણિજ્યિક તેમજ સંસ્થાકીય ગ્રાહકો પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અથવા ડીઝલ ખરીદી શકશે નહીં. આ ગ્રાહકોને હવે માત્ર તેમના નિર્ધારિત ગ્રાહક પંપ (Customer Pump) પરથી જ ઇંધણ ખરીદવું પડશે. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ સામાન્ય જનતા માટે પેટ્રોલ અને ડીઝલનો સતત પુરવઠો જાળવી રાખવાનો છે.સરકારે પેટ્રોલ પંપ માટે પણ કેટલાક સ્પષ્ટ નિયમો નક્કી કર્યા છે. નવા નિયમો અનુસાર પેટ્રોલ પંપ હવે માત્ર વાહનની ટાંકીમાં અથવા PESO દ્વારા મંજૂર કરાયેલા કન્ટેનરમાં જ ડીઝલ આપશે. આ ઉપરાંત કોઈપણ ગ્રાહક અથવા વાહનને એક દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ ખરીદવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સાથે જ આ ડીઝલનું પુનઃવેચાણ પણ કરી શકાશે નહીં. આ નિયમોનું અમલીકરણ સુનિશ્ચિત કરવાની જવાબદારી તેલ કંપનીઓ અને પેટ્રોલ પંપ ડીલરોને સોંપવામાં આવી છે.સરકાર દ્વારા જારી કરાયેલા આ પ્રતિબંધો કાયમી નથી પરંતુ કામચલાઉ સ્વરૂપના છે. આદેશ હેઠળ લાગુ કરાયેલા નિયમો શરૂઆતમાં મહત્તમ 90 દિવસ માટે અમલમાં રહેશે. જો પરિસ્થિતિની જરૂરિયાત ઉભી થશે તો સરકાર આ સમયગાળો વધુ લંબાવી પણ શકે છે. સાથે જ સરકારને ચોક્કસ ગ્રાહકો, વિસ્તારો અથવા વિશેષ પ્રકારના વ્યવહારોને આ નિયમોમાંથી મુક્તિ આપવાનો અધિકાર પણ રહેશે.
#🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #📜 સ્પેશ્યલ સ્ટોરી
#😥ફેમસ એક્ટરનું 69 વર્ષની ઉંમરે નિધન💐, ટીવી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 90ના દાયકાના લોકપ્રિય અને કલ્ટ ક્લાસિક ટીવી શો ‘જુબાન સંભાલ કે’થી ઘરેઘરે ઓળખ મેળવેલા અભિનેતા દિનયાર તીરંદાજનું 69 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી મનોરંજન જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
દિનયાર તીરંદાજના નિધનની માહિતી સોશિયલ મીડિયા પેજ “પારસી ઝોરોસ્ટ્રિયન વર્લ્ડવાઈડ” દ્વારા આપવામાં આવી હતી. પોસ્ટમાં જણાવાયું કે દિનયાર તીરંદાજ હવે આપણી વચ્ચે રહ્યા નથી. આ સમાચાર વાયરલ થતા જ તેમના ચાહકો અને અનેક બોલિવૂડ કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી
દિનયાર તીરંદાજે પોતાના કરિયરમાં ટીવીથી લઈને બોલિવૂડ સુધી અનેક ક્ષેત્રોમાં કામ કર્યું હતું. તેઓએ પોતાની અનોખી એક્ટિંગ અને કોમિક ટાઈમિંગથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. ‘જુબાન સંભાલ કે’માં તેમના અભિનયને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.
અભિનેતાએ બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ સાથે પણ કામ કર્યું હતું. તેઓ સલમાન ખાન અને શાહરુખ ખાન જેવા સુપરસ્ટાર્સ સાથે અનેક પ્રોજેક્ટ્સમાં જોવા મળ્યા હતા. લાંબા સમય સુધી મનોરંજન જગતમાં સક્રિય રહેલા દિનયાર તીરંદાજના નિધનથી તેમના ચાહકોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે.
હાલ તેમના નિધનનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા પર ચાહકો સતત તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. #🔥 બિગ અપડેટ્સ
#😪અમદાવાદ પ્લેન ક્રેશની પહેલી વરસી🙏 #🔥 બિગ અપડેટ્સ #📜 સ્પેશ્યલ સ્ટોરી #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #🗞️ ગુજરાત અપડેટ્સ
#😪અમદાવાદ પ્લેન ક્રેશની પહેલી વરસી🙏 #📜 સ્પેશ્યલ સ્ટોરી #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬
#😪અમદાવાદ પ્લેન ક્રેશની પહેલી વરસી🙏 #📜 સ્પેશ્યલ સ્ટોરી #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ
#😪અમદાવાદ પ્લેન ક્રેશની પહેલી વરસી🙏 #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #📜 સ્પેશ્યલ સ્ટોરી #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊
#👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #📜 સ્પેશ્યલ સ્ટોરી #😪અમદાવાદ પ્લેન ક્રેશની પહેલી વરસી🙏
#😪અમદાવાદ પ્લેન ક્રેશની પહેલી વરસી🙏 #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #📜 સ્પેશ્યલ સ્ટોરી
#🙏હનુમાન દાદા વીડિયો સ્ટેટ્સ🎥 #💐 શનિવાર સ્પેશિયલ #🙏કષ્ટભંજન દેવ સ્ટેટ્સ #🎬 ભક્તિ વીડિયો #🙏જય હનુમાન🙌
#🙏કષ્ટભંજન દેવ સ્ટેટ્સ #🙏જય હનુમાન🙌 #🙏હનુમાન દાદા વીડિયો સ્ટેટ્સ🎥 #💐 શનિવાર સ્પેશિયલ #🎬 ભક્તિ વીડિયો






