પરશુરામ જયંતિની હાર્દિક શુભકામના * જય પરશુરામ *

102 Posts • 520K views
💞Jay Mahadev 💞
130K views 1 months ago
#👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #☺ જીવનની વાસ્તવિક્તા ✨વર્ષની તમામ એકાદશીનું ફળ આપતી એકાદશી ભીમ અગિયારસનું મહત્વ..! જેઠ સુદ એકાદશી એટલે ભીમ અગિયારસ..! આ વર્ષે જેઠ સુદ અગિયારસ અને ગુરુવાર તારીખ 25/6/2026 ના રોજ છે. ✨પૂજા -ભીમ અગિયારસ આખો દિવસ કઈ પણ ખાધા વગર અને પાણી પણ પીધા વગર રહેવાની હોય છે.એટલે એને નિર્જળા એકાદશી કહેવાય છે.આવી રીતે વ્રત ના થઈ શકે તો ઉપવાસ જરૂર કરવો જોઈએ.પ્રાતઃકાલ વહેલા જાગી સ્નાન કરી એક બાજઠ પર સફેદ વસ્ત્ર પાથરી ઉપર ચોખા પાથરી ભગવાન લક્ષ્મી નારાયણ અથવા રાધા કૃષ્ણની મૂર્તિ પધરાવી એને યથા વિધિ સ્નાન,તિલક,ધૂપ,દીપ,ફળ,ફૂલ અર્પણ કરી નૈવેદ્યમાં કેરી અર્પણ કરવી પછી ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રની 11 માળા કરવી.અથવા વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવો.આખો દિવસ ભગવાનનું નામ સ્મરણ કરવુ.રાતે ભજન,કીર્તન,ધૂન કરતા જાગરણ કરવુ.આ રીતે આ એકાદશી વ્રત કરવાથી વર્ષની તમામ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. ✨મહત્વ - ભીમસેન ભુખ્યા રહી શકતા નહોતા એટલે એકાદશી વ્રત કરી શકતા નહોતા પણ આ એકાદશી ઉપવાસ કરી નિર્જળા આ વ્રત કરી આખા વર્ષની એકાદશીનું ફળ પ્રાપ્ત કર્યુ.એટલે આપણે પણ આપણાંમાં રહેલી ખામીને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તો ઈશ્વર કૃપાથી સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.
2269 likes
46 comments 1544 shares