c.j. jadav
3K views • 1 months ago
🍃🍃🌼🍃🍃
વળી એક સમયને વિષે સંધ્યાગીરી બાવો તથા ધર્મદેવ આદિક બીજા કેટલાક જન ભેગાં મળીને દીઘાઘાટે હરિહર ક્ષેત્રના મેળા ઉપર જવા માટે તૈયાર થયા. ત્યારે ઘનશ્યામ મહારાજે કહ્યું જે, હે દાદા ! હું પણ તમારી સાથે આવીશ. ત્યારે ધર્મદેવે કહ્યું જે, હે ઘનશ્યામ ! હમણાં તમો આવવાનું રહેવા દો અને પછી આપણે ફરીથી જશું. એમ કહીને તેમને ભૂલા પાડીને ધર્મદેવ ગયા. પછી પોતાના પિતાને ન દેખીને રોતા સતા બોલ્યા જે, હે દીદી ! અમારા પિતા કયાં ગયા ? ત્યારે (તેઓ) બોલ્યાં કે, તમારા માટે હાથી, ઘોડા લેવા ગયા છે. તેવું સાંભળીને રાજી થઇ મનમાં વિચાર કરવા લાગ્યા જે,મારા પિતા મને મૂકીને ગયા છે તે વાર્તા મને દીદી કહેતાં નથી, પરંતુ તે મેળામાં મારે જવું છે. એવો સંકલ્પ કરી ગરૂડજીને સંભાર્યા. તે જ વખતે ગરૂડજી આવ્યા અને પગે લાગી સમીપે ઉભા રહ્યા. પછી પોતે બે સ્વરૂપે થયા. એક સ્વરૂપે ઘેર રહ્યા અને બીજે સ્વરૂપે ગરૂડ ઉપર બેસીને જ્યાં પોતાના પિતા ગયા છે અને બોતેર નદીઓને સંગમ થાય છે. ત્યાં હરિહરક્ષેત્રના મેળે તીર્થમાં ગયા. ત્યારે સંધ્યાગીરી બાવો તથા ધર્મદેવ પણ તેજ સ્થાને આવ્યા. ત્યારે ત્યાં પોતાના પુત્રને જોઇને ધર્મદેવ તો મહા આશ્ચર્ય પામીને બોલ્યા જે, હે ઘનશ્યામ ! તમો અહીં કોની સાથે આવ્યા ? ત્યારે બોલ્યા જે, દાદા ! તમો તો અમને મૂકીને છાનામાના આવ્યા, પરંતુ અમો તો આ ગરૂડજી ઉપર બેસીને આવ્યા છીએ. એવું સાંભળીને બોલ્યા જે, આ ગરૂડજી તો ભગવાનનું વાહન છે. તે તમારે બેસવાનું એ ક્યાંથી હોય ? એમ કહે છે, તેટલામાં તો ભગવાનની ઇચ્છાથી પૂર્વે માર્કન્ડેય ઋષિએ કહ્યું હતું જે, હે હરિપ્રસાદજી ! આ તમારા પુત્ર સાક્ષાત્ પુરૂષોત્તમ નારાયણ છે. તે સ્મૃતિ થઇ આવી. તેથી મનમાં વિચાર્યું જે, મેં બહુ ખોટ ખાધી. આ મારા પુત્ર સાક્ષાત્ ભગવાન છે, એમ જાણીને પગે લાગ્યા. પછી ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, હે દાદા ! ચાલો આપણે સર્વે આ સંગમમાં સ્નાન કરીએ. એમ કહીને પોતે જળમાં પ્રવેશ કર્યો તેમની પાછળ ધર્મદેવ ચાલ્યા તે થોડેક દૂર જઇને ધર્મદેવે પાણીમાં ડૂબકી મારી તે સમયે પાણીમાં ચતુર્ભુજ સ્વરૂપે પોતાના પિતાને દર્શન આપ્યું. પછી બહાર નિકળીને જોયું, ત્યાંતો બહાર ઉભેલા છે. એવું આશ્ચર્ય જોઇને તે વાત સંધ્યાગીરી બાવાને કહી. ત્યારબાદ ત્યાંથી ચાલ્યા તે જ્યાં હાથી, ઘોડા આદિક પશુઓ સિંહલદ્વિપમાંથી લાવીને મેળામાં વેંચે છે ત્યાં ગયા. પછી તે સર્વેને જોઇને ચાલ્યા તે પોતાનું વતનનું ગામ જે ઇટાર તે પ્રત્યે આવ્યા અને ત્યાં બે દિવસ ધર્મદેવના કાકા વિષ્ણુદત્તને ઘેર રહીને ચાલ્યા તે ગોરખપુર થઇને ગામ નગરમાં આવ્યા. ત્યાં ઉમેદસંગજી રાજાના દરબારમાં બે દિવસ રહીને પોતાના ગામ લોહગંજરીમાં આવ્યા. ત્યારે ઘનશ્યામ મહારાજ એક રૂપે થઇને પોતાના પિતાને આવતા જાણીને સામા ગયા. ત્યારે ભક્તિમાતાએ કહ્યું કે, મારા ઘનશ્યામને વાસ્તે શું લાવ્યા છો ? ત્યારે બોલ્યા જે, ઘનશ્યામ તો અમારાથી પહેલાં ત્યાં આવ્યા હતા. તેવું સાંભળીને તે બાવાની સ્ત્રી મથુરાબાઇ એમ બોલી જે, આ ઘનશ્યામ તો સાક્ષાત્ ઇશ્વર છે. તે બે સ્વરૂપે થયા તેમ દેખાય છે. એમ કહીને ઘનશ્યામ મહારાજના સામું જોયું. ત્યાંતો પોતે હસવા લાગ્યા. પછી તે વાર્તા રામપ્રતાપભાઇએ તે બાઇને કહી.
🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ
35 likes
45 shares