#જય સ્વામિનારાયણ
2K Posts • 1M views
c.j. jadav
1K views 1 months ago
🍃🍃🌼🍃🍃                    વળી એક સમયને વિષે ઘનશ્યામ મહારાજ વહેલા ઉઠી, મીનસાગર ઉપર શૌચવિધિ કરી આવ્યા, ત્યારે પોતાની ભોજાઇએ હાથ ધોવરાવ્યા. પછી દાતણ કરવા આંબલી આગળ બેસતા હતા. તે દાતણ કરી રહ્યા એટલે તેમને ગરમ પાણીથી સુવાસિનીબાઇ સ્નાન કરાવતાં વિચાર કરવા લાગ્યાં જે, લોકમાં એમ કહે છે જે, ભગવાનનાં ત્રણ કાળમાં જુદાં જુદાં દર્શન થાય છે તે વાત સાચી હશે કે કેમ ? એમ વિચાર કરી સ્નાન કરાવતાં હતાં ત્યારે ઘનશ્યામ મહારાજ તો પોતે ભગવાન છે, તેથી પોતાની ભાભીનો સંકલ્પ અન્તર્યામીપણે જાણીને બોલ્યા જે, હે ભાભી ! તમો મનમાં શું ઘાટ કરો છો ? તમારે ત્રણ અવસ્થાનાં દર્શન કર્યાં સુધી કરવાં છે ? ત્યારે સુવાસિનીબાઇ બોલ્યાં જે, હે મહારાજ ! મારે તો મનમાં કાંઇ ઘાટ નથી. પરંતુ લોકમાં કહે છે જે, ભગવાનનાં દર્શન ત્રણે વખત જુદા જુદા સ્વરૂપે થાય છે. તેવી વાત મેં સાંભળી હતી. પરન્તુ આ વખતે મારા હૈયે ચઢી આવી. તેવું સાંભળીને બોલ્યા જે, જાઓ તમારી ઇચ્છા પૂર્ણ થશે. અને પાંચ દિવસ સુધી સતત દિવસમાં ત્રણ વખત અમારાં જુદાં જુદાં દર્શન તમોને થશે. એમ કહીને ધોતી પહેરીને ચાખડીઓ ઉપર ચઢીને ઓસરીમાં પોતાનો નિત્યવિધિ કરવા બેસતા હતા. સુવાસિનીબાઇ આ વરદાન પામીને પાંચ દિવસ સુધી લાગટ પોતાના મનમાં સંકલ્પ પ્રમાણે અવસ્થાઓનાં જુદાં જુદાં દર્શન પોતાને થતાં હતાં. તે ચરિત્રની વાર્તા સુવાસિનીબાઇ ભક્તિમાતાને તથા ધર્મદેવ તથા પોતાના બહેન ઈન્દિરાબાઈ સુંદરીબાઈ આદિક સર્વે પુરવાસીજનને કહેતા હતા.                            🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ
11 likes
12 shares
c.j. jadav
2K views 10 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           વળી એક સમયને વિષે ચોમાસાના દિવસમાં બહારથી પોતાના સખાઓની સાથે રમત કરતા ઘરે આવ્યા. ત્યારે સુવાસિનીબાઇએ કહ્યું જે, હે ઘનશ્યામ ! હું રસોઈ તૈયાર કરીને ઘણીવારથી તમારી રાહ જોઈને બેઠી છું. આવો જમવા બેસો. ત્યારે બોલ્યા જે, ભાભી ! મારા પગ ગારાવાળા થયેલા છે તે તમો ધૂઓ તો જમવા આવીએ. તેવું સાંભળીને જળનો લોટો ભરી આપીને ઓસરીની જેર ઉપર બેસીને પગ ધોવા લાગ્યાં. એટલે બે ચરણારવિંદમાં ચિહ્ન જોઈને બોલ્યાં જે, હે ઘનશ્યામ ! તમો તો લક્ષાવધિ માણસોના નિયંતા થશો અને સમગ્ર પૃથ્વીની લક્ષ્મી તમોને મળશે. એમ કહીને, બે હાથ જોવા લાગ્યાં. ત્યારે તે હાથમાં પદ્મનાં ચિહ્ન જોઈને વળી બોલ્યાં જે, હે મહારાજ ! તમને જ્યારે મોટો રાજ્યઅધિકાર મળશે ત્યારે અમોને સંભાળશો પણ નહિ, એવું સાંભળીને ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, હે ભાભી ! અમોને જયારે તમો કહો છો તે પ્રમાણે રાજ્ય મળશે અગર મોટાઇ મળશે ત્યારે તમો સર્વેને જરૂર પાસે બોલાવી લઇશ. અને તમારું ઘણું સન્માન કરીને સદાકાળ મારી સમીપે રાખીશ. હે ભાભી ! આ અમારૂં વચન છે. એમ કહીને સુવાસિનીબાઇના હાથમાં કોલ આપ્યો.                       🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ
22 likes
16 shares
c.j. jadav
2K views 20 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...            વળી એક સમયે ઘનશ્યામ મહારાજની જમણી આંખ થોડીક રાતી થએલી જોઈને સુવાસિનીબાઇ બોલ્યાં જે, હે ઘનશ્યામભાઈ ! તમારી આંખ કેમ લાલ થઇ છે ? દુઃખવા આવી છે કે શું ? ત્યારે બોલ્યા જે, હા થોડો આંખમાં ખટકો આવે છે. તેવું સાંભળીને સુવાસિનીબાઈ બોલ્યાં જે, મારી પાસે અંજન છે. આવો તમોને આંજું. એમ કહીને ઓસરીમાં ઢોલિયો ઢાળીને તેમાં સુવાડીને તે આંખમાં અંજન આંજવા લાગ્યાં, ત્યારે બોલ્યા જે, હે ભાભી ! આ અંજન તો મારી આંખમાં બહુ ઠંડુ લાગે છે. માટે આ બીજી આંખમાં પણ આંજો. એમ કહીને બીજી આંખ ઉઘાડી એટલે તે આંખમાં અનેક બ્રહ્માંડ દેખાતાં હતાં. તેમાં નદીઓ, પર્વત, સમુદ્ર, આકાશ, તારામંડળ ને નવ ગ્રહ આદિક સર્વે સ્થાન જોતાં હતાં અને સ્થિર થઇ ગયાં. ત્યારે બોલ્યા જે, કેમ આંજતાં નથી ? ને બેસી રહ્યાં છો ? ત્યારે કહ્યું જે, હે ઘનશ્યામભાઈ ! તમારી આંખમાં તો ચૌદલોક સહિત હજારો બ્રહ્માંડ હું દેખું છું. ત્યારે બોલ્યા જે, હવે આંજો. ત્યારે પોતાની આજ્ઞાથી આંજવા લાગ્યાં, ત્યારે તે દેખાતું સર્વે બંધ થઇ ગયું. આવી રીતનું મહા અલૌકિક ઐશ્વર્ય જોઇને સુવાસિનીબાઈ તો સ્તુતિ કરવા લાગ્યાં જે, હે મહારાજ ! હે જગતપતિ! હે અધમ ઉદ્ધારક ! તમે મને આંખે અંજન આંજવાનું કહ્યું તે મારી ઉપર તમોએ બહુ અનુગ્રહ કર્યો એમ હું માનું છું. હે પ્રાણાધાર ! તમો તો સર્વ અવતારના અવતારી છો. અને સર્વેના પ્રેરક છો. અને સર્વ પ્રાણી માત્રના કર્મના ફળને આપનારા છો. એવા થકા ઘનશ્યામરૂપે આ પુરને વિષે ધર્મભક્તિને ઘેર પ્રગટ થયા છો. એવી રીતે પોતાનાં ભોજાઇ ઘણીક પ્રકારની સ્તુતિ કરતાં હતાં.                          🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
17 likes
32 shares
c.j. jadav
1K views 1 months ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...         હે રામશરણજી ! જે દિવસે ઘનશ્યામ મહારાજને જનોઈ પહેરાવી તેથી ચાર દિવસ આગળ બળદેવપ્રસાદજી, સુત જનકરામ તથા ધર્મદેવ આદિક તથા રામપ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજ સહિત તેમને સાથે લઈને જનોઈનો સામાન લેવા માટે પોતાના ઘેરથી ગાડુ જોડાવીને ગોંડા શહેરમાં ગયા. ને ત્યાં જઈને બજારમાંથી સર્વે સામાન લીધો તેથી સાંજ પડી ગઇ. પછી કુંજગલીમાં બાબા રામદાસની જગ્યામાં આવીને ઉતારો કરી તળાવમાં સ્નાન કરવા સર્વે ગયા. ત્યારે સર્વેની આગળ ઘનશ્યામ મહારાજ સ્નાન કરીને બહાર આવી કપડાં પહેરી હાથમાં નેતરની સોટી લઈને ઉભા રહ્યા. તે વખતે તળાવની પાળ્ય ઉપર રાજાના સેવકો મોટું આંબાનું વૃક્ષ ખોદીને સવારથી પાડતા હતા. તે આંબો પડતાં તેની નીચે પાંચ માણસો દબાઈ ગયાં. તેને જોઈને ઘનશ્યામ મહારાજ તત્કાળ પોતાનો હાથ લાંબો કરીને સોટી વડે આંબાને ઉંચો કરીને તે પાંચે આદમીની રક્ષા કરી અને તેઓને બહાર કાઢ્યા. ત્યારે તેઓ આનંદ પામી ઘનશ્યામ મહારાજને પગે લાગીને ભગવાનપણાનો નિશ્ચય કરીને તે વાત પોતાના રાજા વિગેરેને કહી. તેવું ચરિત્ર કરીને પોતાના દાદાની સાથે કુંજગલીમાં આવ્યા એટલે ત્યાં ઠાકોરજીની આરતી થઈ, ત્યારે ઘનશ્યામ મહારાજ સહિત ધર્મદેવ આવીને આરતી કરવા લાગ્યા. તે સમયે હજારો માણસોને દેખતાં સિંહાસન ઉપરથી શ્રીકૃષ્ણની મૂર્તિ તત્કાળ હેઠે ઉતરી આવી અને ઘનશ્યામ મહારાજને પગે લાગીને પુષ્પનો હાર પહેરાવીને પછી પોતાના સિંહાસન ઉપર જઇને ઉભી રહી. તેવું મહા અદ્ભૂત ચરિત્ર જોઇને પુજારી રામદાસ આદિક સર્વે જન બોલ્યાં જે, અહો, જુઓ તો ખરા ! અમોને આટલાં વર્ષ પૂજા કરતાં થયાં પરંતુ કોઇ દિવસ આવું ચરિત્ર તો જોયું નહિ. માટે આ તો સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન પ્રગટ થયાછે કે શું ? એમ જાણીને સર્વે મનુષ્યો ઘનશ્યામ મહારાજને પગે લાગ્યાં અને તે આંબાની વાત ગુમાનસિંહ તથા ચંદુસિંહ તથા રાણી ભગવંત કુંવરબાઇએ ધર્મદેવને પોતાના દરબારમાં બોલાવીને પૂછ્યું જે, હે હરિપ્રસાદજી !  આ મારા માણસો આંબો પાડતાં દબાઈ ગયા તેની રક્ષા કરીને બહાર કાઢયા તે તમારા કયા પુત્ર છે ? તેવું સાંભળીને ધર્મદેવ ઘનશ્યામ મહારાજના મસ્તક ઉપર હાથ મૂકીને બોલ્યા જે, આ પુત્ર છે. તેમને જોઈને રાજાએ કહ્યું જે, અહો ! આ તો બેટા છોટા હૈ. માટે રખેને રામચંદ્રજી હોય. જો તે રામચંદ્રજી હોય તો તેમના ચરણમાં સોળ ચિહ્નો હોય અને તેમને છાયા ન હોય અને આજાનબાહુ લાંબા હોય. એમ કહીને પોતે ચોકમાં જઈને ઘનશ્યામ મહારાજને બોલાવ્યા, ત્યારે પોતે ઓસરીમાં બેઠા હતા ત્યાંથી ઉઠીને ચોકમાં આવીને રાજાની સમીપે ઉભા રહ્યા. ત્યારે છાયા રાજાએ દેખી નહિ અને સોળ ચિહ્ન સહિત ચરણારવિંદ તથા આજાનબાહુ લાંબા જોઈને પોતાના બે હાથ જોડીને સ્તુતિ કરી, રામચંદ્રજી ભગવાનપણાનો નિશ્ચય કરી, પોતાના કુળ સહિત આશ્રિત થયો. ત્યારબાદ ઓસરીમાં ઢોલિયો ઢળાવીને તેના ઉપર ભારે રેશમનું ગાદલું તકિયા સહિત નંખાવીને ધર્મદેવ સહિત બે ભાઇને વિરાજમાન કર્યા. અને કીનખાપની ડગલી પહેરાવીને ટોપી, સુરવાલ એ ત્રણ વસ્ત્ર પહેરાવતા હતા. અને તેના ઉપર મોતીની માળા સહિત એક ઉતરી પહેરાવી, ચંદન પુષ્પ વડે પૂજા કરીને આરતી ઉતારી પગે લાગ્યો. ત્યારબાદ દરબારમાંથી ઉઠીને ધર્મદેવ પોતાના ઉતારે આવીને સર્વ સામાન ગાડામાં ભરીને, પાછા ત્યાંથી બીજે દિવસે ચાલ્યા તે પોતાને ઘેર આવ્યા. ત્યારે બળદેવપ્રસાદજી આવું મહા અદ્ભુત ઐશ્વર્ય જોઈને ઘેલા તરવાડી, સુબોધ તરવાડી, નવલકિશોર આદિક સર્વે પુરવાસીને તે વાર્તા કહેતા હતા.                           🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
8 likes
12 shares