#જય સ્વામિનારાયણ
2K Posts • 1M views
c.j. jadav
3K views 1 months ago
🍃🍃🌼🍃🍃                  વળી એક સમયને વિષે સંધ્યાગીરી બાવો તથા ધર્મદેવ આદિક બીજા કેટલાક જન ભેગાં મળીને દીઘાઘાટે હરિહર ક્ષેત્રના મેળા ઉપર જવા માટે તૈયાર થયા. ત્યારે ઘનશ્યામ મહારાજે કહ્યું જે, હે દાદા ! હું પણ તમારી સાથે આવીશ. ત્યારે ધર્મદેવે કહ્યું જે, હે ઘનશ્યામ ! હમણાં તમો આવવાનું રહેવા દો અને પછી આપણે ફરીથી જશું. એમ કહીને તેમને ભૂલા પાડીને ધર્મદેવ ગયા. પછી પોતાના પિતાને ન દેખીને રોતા સતા બોલ્યા જે, હે દીદી ! અમારા પિતા કયાં ગયા ? ત્યારે (તેઓ) બોલ્યાં કે, તમારા માટે હાથી, ઘોડા લેવા ગયા છે. તેવું સાંભળીને રાજી થઇ મનમાં વિચાર કરવા લાગ્યા જે,મારા પિતા મને મૂકીને ગયા છે તે વાર્તા મને દીદી કહેતાં નથી, પરંતુ તે મેળામાં મારે જવું છે. એવો સંકલ્પ કરી ગરૂડજીને સંભાર્યા. તે જ વખતે ગરૂડજી આવ્યા અને પગે લાગી સમીપે ઉભા રહ્યા. પછી પોતે બે સ્વરૂપે થયા. એક સ્વરૂપે ઘેર રહ્યા અને બીજે સ્વરૂપે ગરૂડ ઉપર બેસીને જ્યાં પોતાના પિતા ગયા છે અને બોતેર નદીઓને સંગમ થાય છે. ત્યાં હરિહરક્ષેત્રના મેળે તીર્થમાં ગયા. ત્યારે સંધ્યાગીરી બાવો તથા ધર્મદેવ પણ તેજ સ્થાને આવ્યા. ત્યારે ત્યાં પોતાના પુત્રને જોઇને ધર્મદેવ તો મહા આશ્ચર્ય પામીને બોલ્યા જે, હે ઘનશ્યામ ! તમો અહીં કોની સાથે આવ્યા ? ત્યારે બોલ્યા જે, દાદા ! તમો તો અમને મૂકીને છાનામાના આવ્યા, પરંતુ અમો તો આ ગરૂડજી ઉપર બેસીને આવ્યા છીએ. એવું સાંભળીને બોલ્યા જે, આ ગરૂડજી તો ભગવાનનું વાહન છે. તે તમારે બેસવાનું એ ક્યાંથી હોય ? એમ કહે છે, તેટલામાં તો ભગવાનની ઇચ્છાથી પૂર્વે માર્કન્ડેય ઋષિએ કહ્યું હતું જે, હે હરિપ્રસાદજી ! આ તમારા પુત્ર સાક્ષાત્ પુરૂષોત્તમ નારાયણ છે. તે સ્મૃતિ થઇ આવી. તેથી મનમાં વિચાર્યું જે, મેં બહુ ખોટ ખાધી. આ મારા પુત્ર સાક્ષાત્ ભગવાન છે, એમ જાણીને પગે લાગ્યા. પછી ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, હે દાદા ! ચાલો આપણે સર્વે આ સંગમમાં સ્નાન કરીએ. એમ કહીને પોતે જળમાં પ્રવેશ કર્યો તેમની પાછળ ધર્મદેવ ચાલ્યા તે થોડેક દૂર જઇને ધર્મદેવે પાણીમાં ડૂબકી મારી તે સમયે પાણીમાં ચતુર્ભુજ સ્વરૂપે પોતાના પિતાને દર્શન આપ્યું. પછી બહાર નિકળીને જોયું, ત્યાંતો બહાર ઉભેલા છે. એવું આશ્ચર્ય જોઇને તે વાત સંધ્યાગીરી બાવાને કહી. ત્યારબાદ ત્યાંથી ચાલ્યા તે જ્યાં હાથી, ઘોડા આદિક પશુઓ સિંહલદ્વિપમાંથી લાવીને મેળામાં વેંચે છે ત્યાં ગયા. પછી તે સર્વેને જોઇને ચાલ્યા તે પોતાનું વતનનું ગામ જે ઇટાર તે પ્રત્યે આવ્યા અને ત્યાં બે દિવસ ધર્મદેવના કાકા વિષ્ણુદત્તને ઘેર રહીને ચાલ્યા તે ગોરખપુર થઇને ગામ નગરમાં આવ્યા. ત્યાં ઉમેદસંગજી રાજાના દરબારમાં બે દિવસ રહીને પોતાના ગામ લોહગંજરીમાં આવ્યા. ત્યારે ઘનશ્યામ મહારાજ એક રૂપે થઇને પોતાના પિતાને આવતા જાણીને સામા ગયા. ત્યારે ભક્તિમાતાએ કહ્યું કે, મારા ઘનશ્યામને વાસ્તે શું લાવ્યા છો ? ત્યારે બોલ્યા જે, ઘનશ્યામ તો અમારાથી પહેલાં ત્યાં આવ્યા હતા. તેવું સાંભળીને તે બાવાની સ્ત્રી મથુરાબાઇ એમ બોલી જે, આ ઘનશ્યામ તો સાક્ષાત્ ઇશ્વર છે. તે બે સ્વરૂપે થયા તેમ દેખાય છે. એમ કહીને ઘનશ્યામ મહારાજના સામું જોયું. ત્યાંતો પોતે હસવા લાગ્યા. પછી તે વાર્તા રામપ્રતાપભાઇએ તે બાઇને કહી.                        🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ
35 likes
45 shares
c.j. jadav
801 views 4 hours ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...         હે રામશરણજી ! જે દિવસે ઘનશ્યામ મહારાજને જનોઈ પહેરાવી તેથી ચાર દિવસ આગળ બળદેવપ્રસાદજી, સુત જનકરામ તથા ધર્મદેવ આદિક તથા રામપ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજ સહિત તેમને સાથે લઈને જનોઈનો સામાન લેવા માટે પોતાના ઘેરથી ગાડુ જોડાવીને ગોંડા શહેરમાં ગયા. ને ત્યાં જઈને બજારમાંથી સર્વે સામાન લીધો તેથી સાંજ પડી ગઇ. પછી કુંજગલીમાં બાબા રામદાસની જગ્યામાં આવીને ઉતારો કરી તળાવમાં સ્નાન કરવા સર્વે ગયા. ત્યારે સર્વેની આગળ ઘનશ્યામ મહારાજ સ્નાન કરીને બહાર આવી કપડાં પહેરી હાથમાં નેતરની સોટી લઈને ઉભા રહ્યા. તે વખતે તળાવની પાળ્ય ઉપર રાજાના સેવકો મોટું આંબાનું વૃક્ષ ખોદીને સવારથી પાડતા હતા. તે આંબો પડતાં તેની નીચે પાંચ માણસો દબાઈ ગયાં. તેને જોઈને ઘનશ્યામ મહારાજ તત્કાળ પોતાનો હાથ લાંબો કરીને સોટી વડે આંબાને ઉંચો કરીને તે પાંચે આદમીની રક્ષા કરી અને તેઓને બહાર કાઢ્યા. ત્યારે તેઓ આનંદ પામી ઘનશ્યામ મહારાજને પગે લાગીને ભગવાનપણાનો નિશ્ચય કરીને તે વાત પોતાના રાજા વિગેરેને કહી. તેવું ચરિત્ર કરીને પોતાના દાદાની સાથે કુંજગલીમાં આવ્યા એટલે ત્યાં ઠાકોરજીની આરતી થઈ, ત્યારે ઘનશ્યામ મહારાજ સહિત ધર્મદેવ આવીને આરતી કરવા લાગ્યા. તે સમયે હજારો માણસોને દેખતાં સિંહાસન ઉપરથી શ્રીકૃષ્ણની મૂર્તિ તત્કાળ હેઠે ઉતરી આવી અને ઘનશ્યામ મહારાજને પગે લાગીને પુષ્પનો હાર પહેરાવીને પછી પોતાના સિંહાસન ઉપર જઇને ઉભી રહી. તેવું મહા અદ્ભૂત ચરિત્ર જોઇને પુજારી રામદાસ આદિક સર્વે જન બોલ્યાં જે, અહો, જુઓ તો ખરા ! અમોને આટલાં વર્ષ પૂજા કરતાં થયાં પરંતુ કોઇ દિવસ આવું ચરિત્ર તો જોયું નહિ. માટે આ તો સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન પ્રગટ થયાછે કે શું ? એમ જાણીને સર્વે મનુષ્યો ઘનશ્યામ મહારાજને પગે લાગ્યાં અને તે આંબાની વાત ગુમાનસિંહ તથા ચંદુસિંહ તથા રાણી ભગવંત કુંવરબાઇએ ધર્મદેવને પોતાના દરબારમાં બોલાવીને પૂછ્યું જે, હે હરિપ્રસાદજી !  આ મારા માણસો આંબો પાડતાં દબાઈ ગયા તેની રક્ષા કરીને બહાર કાઢયા તે તમારા કયા પુત્ર છે ? તેવું સાંભળીને ધર્મદેવ ઘનશ્યામ મહારાજના મસ્તક ઉપર હાથ મૂકીને બોલ્યા જે, આ પુત્ર છે. તેમને જોઈને રાજાએ કહ્યું જે, અહો ! આ તો બેટા છોટા હૈ. માટે રખેને રામચંદ્રજી હોય. જો તે રામચંદ્રજી હોય તો તેમના ચરણમાં સોળ ચિહ્નો હોય અને તેમને છાયા ન હોય અને આજાનબાહુ લાંબા હોય. એમ કહીને પોતે ચોકમાં જઈને ઘનશ્યામ મહારાજને બોલાવ્યા, ત્યારે પોતે ઓસરીમાં બેઠા હતા ત્યાંથી ઉઠીને ચોકમાં આવીને રાજાની સમીપે ઉભા રહ્યા. ત્યારે છાયા રાજાએ દેખી નહિ અને સોળ ચિહ્ન સહિત ચરણારવિંદ તથા આજાનબાહુ લાંબા જોઈને પોતાના બે હાથ જોડીને સ્તુતિ કરી, રામચંદ્રજી ભગવાનપણાનો નિશ્ચય કરી, પોતાના કુળ સહિત આશ્રિત થયો. ત્યારબાદ ઓસરીમાં ઢોલિયો ઢળાવીને તેના ઉપર ભારે રેશમનું ગાદલું તકિયા સહિત નંખાવીને ધર્મદેવ સહિત બે ભાઇને વિરાજમાન કર્યા. અને કીનખાપની ડગલી પહેરાવીને ટોપી, સુરવાલ એ ત્રણ વસ્ત્ર પહેરાવતા હતા. અને તેના ઉપર મોતીની માળા સહિત એક ઉતરી પહેરાવી, ચંદન પુષ્પ વડે પૂજા કરીને આરતી ઉતારી પગે લાગ્યો. ત્યારબાદ દરબારમાંથી ઉઠીને ધર્મદેવ પોતાના ઉતારે આવીને સર્વ સામાન ગાડામાં ભરીને, પાછા ત્યાંથી બીજે દિવસે ચાલ્યા તે પોતાને ઘેર આવ્યા. ત્યારે બળદેવપ્રસાદજી આવું મહા અદ્ભુત ઐશ્વર્ય જોઈને ઘેલા તરવાડી, સુબોધ તરવાડી, નવલકિશોર આદિક સર્વે પુરવાસીને તે વાર્તા કહેતા હતા.                           🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
6 likes
6 shares
c.j. jadav
1K views 3 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...                  વળી એક સમયને વિષે રામપ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજને સાથે લઇ જન્મસ્થાનક, હનુમાનગઢી આદિક મંદિરે દર્શન કરવા ગયા, તે સમયે હનુમાનગઢીમાં અધ્યાત્મ રામાયણની કથા વંચાતી હતી. એટલે ઘનશ્યામ મહારાજ તો હનુમાનજીનાં દર્શન કર્યા સિવાય સભામાં કથા સાંભળવા બેસી ગયા. ત્યારે મોટાભાઈ બોલ્યા જે, હે ઘનશ્યામ ! ચાલો આપણે સર્વ મંદિરે દર્શન કરી આવીએ. અને પછી તમો સુખેથી કથા સાંભળજો. આજે દ્વાદશીનાં પારણાં છે. માટે આપણાં દીદી રાહ જોશે. તેવું સાંભળીને બોલ્યા જે, હે ભાઇ ! તમારે બહુ ઉતાવળ હોય તો જાઓ અને અમો તો આ અધ્યાયમાં વૈરાગ્યની વાર્તા બહુ સારી આવે છે, તે સાંભળીને દર્શન કરીને આવીશું. એમ કહ્યું એટલે ભાઈ તો ત્યાં થકી ચાલ્યા તે જન્મસ્થાનકે ગયા. ત્યાં મંદિરમાં સિંહાસન ઉપર રામલક્ષ્મણની સમીપે ઘનશ્યામ મહારાજનાં બાળસ્વરૂપે વસ્ત્ર ઘરેણાં સહિત દર્શન થયાં. તે જોઇને આશ્ચર્ય પામી, ત્યાંથી ચાલ્યા તે કનકભુવન ગયા. ત્યાં પણ તેવાં ને તેવાં દર્શન થયાં. એવી રીતે કેટલાંક મંદિરોમાં દીઠા. પછી ઉતાવળા પાછા હનુમાનગઢીમાં આવ્યા. ત્યાં તો વળી સભામાં બિરાજેલા જોયા. તે ઐશ્વર્ય જોઈને ઘેર આવ્યા. ત્યાંતો વળી ઓસરીની ઝેર ઉપર પોતાના પિતાની સાથે વાર્તા કરતા જોયા. પછી સમીપે આવીને બોલ્યા જે, હે ઘનશ્યામભાઈ ! તમો કયારના ઘેર આવ્યા છો ? ત્યારે બોલ્યા જે, અમો તો કયારનાય બધાય મંદિરોમાં દર્શન કરીને ઘેર આવ્યા છીએ. અને જેટલી રામાયણની કથા મેં સાંભળી હતી. તેટલી કથા આપણા દાદાને કહી સંભળાવી. તે જો તમે ન માનો તો દાદાને પૂછો. તે સાંભળીને રામપ્રતાપભાઇ મહા આશ્ચર્ય પામી તે વાર્તા પોતાનાં માતુશ્રીને કહેતા હતા.                          🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ
19 likes
16 shares