Failed to fetch language order
#જય સ્વામિનારાયણ
2K Posts • 1M views
c.j. jadav
1K views 14 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           વળી એક સમયને વિષે અષાઢ માસની પૂર્ણમાસીના દિવસે ઘનશ્યામ મહારાજ પોતાના સખાઓ પ્રત્યે બોલ્યા જે, હે મિત્રજનો ! ચાલો, આજે આપણે વિશ્વામિત્રી નદીના સઘળા ઘાટે સ્નાન કરવા જઇએ. એમ કહીને તે સર્વે સખાઓથી વીંટાયા સતા, ચાલ્યા તે પ્રથમ જોગિયા ધરામાં સ્નાન કરીને ત્યાં થકી ચાલ્યા તે નદીના આથમણા કાંઠે થઈને ધારી ઘાટે જતા હતા. ને ત્યાં સ્નાન કરીને ચાલ્યા તે હરૈયા ઘાટે થઇને, કનવા ઘાટે જઈને ત્યાં ખૂબ જ ક્રીડા કરીને ચાલ્યા તે ધોબિયા ઘાટે જતા હતા અને ત્યાં મનછા પુત્રને અજગરે ગળેલો હતો તેના મુખ થકી મુકાવીને, ત્યાં થકી ચાલ્યા તે ગૌઘાટે જઇને ત્યાં કપર્દિના ચોતરા ઉપર કપડાં ઊતારીને જળમાં પ્રવેશ કરતા હતા. તે કેટલીકવાર સુધી જળક્રીડા કરતા હતા. ત્યાં થકી આગળ ચાલ્યા તે ખંતા ઘાટે થઈને લીલવા ઘાટે જતા હતા. અને ત્યાં સ્નાન કરી. કઠવા ઘાટે થઈને વિશ્રામ ઘાટે આવીને ત્યાં વિશ્રામ કરતા સતા, જળમાં સ્નાન કરીને ચાલ્યા તે સિંગાર ઘાટે થઇને પાછા વળ્યા. તે મોતીતરવાડીનું ગામ ભવાનીપુર થઇને, ગામ નરેચાના રાજા સન્માનસંગના કોટમાં જઈને તે કોટના કૂવાના જળનું પાન કરીને પોતાને ઘેર આવતા હતા.                             🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
21 likes
31 shares
c.j. jadav
3K views 26 days ago
🍃🍃🌼🍃🍃 વળી એક સમયે ઉત્તરાયણના દિવસે ધર્મદેવ પોતાના બે પુત્રો સાથે લઇને મોતી તરવાડી સહિત ઠંડા પાણીથી સ્નાન કરવું તે માટે નારાયણ સરોવરમાં સ્નાન કરવા જતા હતા. તે કરીને સર્વે ઘેર આવીને પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે બ્રાહ્મણોને પુણ્યદાન કરતા હતા. આવો સમય જોઇને પૃથ્વીમાતા પોતે ગાયનું સ્વરૂપ ધારણ કરીને ધર્મકુંવરની પ્રસાદી લેવા માટે ત્યાં આવતાં હતાં. ત્યારે પોતે તાંબાના વાસણમાં ઘુઘરી તથા શીરો ભરીને ગાયને મૂક્યો. પછી ઉપર હાથ ફેરવવા લાગ્યા, ત્યારે તે ગાય શ્વાસ મુકીને રૂદન કરવા લાગી. તે પોતે જાણે છે. પરંતુ સર્વે બીજાને જણાવવા સારૂં તે ગાયને પૂછતા હતા જે, હે ગાયમાતા ! તમો કેમ રૂદન કરો છો ? ત્યારે બોલ્યાં જે, હે મહારાજ ! હું તો પૃથ્વી ગાયનું સ્વરૂપ ધારણ કરીને તમોને વિનંતી કરું છું જે, મારી ઉપર ઘણું પાપ થાય છે. હવે તમો પાપ ઉતારો તો બહુ સારૂં. તમારો અવતાર એટલા માટે છે. તમો તો ગૌબ્રાહ્મણ પ્રતિપાલ છો. તો તમોને ન કહું તો બીજા કોને કહું ! એમ વાત કરે છે તે સમયમાં વરૂણદેવ અતિદુઃખના ભર્યા પોતાના સ્થાનક જળમાંથી આવીને હાથ જોડીને વિનંતી પૂર્વક કહેવા લાગ્યા જે, હે મહારાજ! અમારા જીરાભારી તળાવમાં ગામ ઇટોલાના મ્લેચ્છો અસુર શેખકલી તથા શીરસા તથા શેખમોતી તથા શેખદુલાર એ આદિક ઘણાક અસુરો એકત્રિત થઇને માછલાં મારીને કિનારા ઉપર ઢગલો કર્યો છે. તે મારાથી જોઇ શકાતું નથી. તે દુષ્ટો થકી મારી રક્ષા કરો. તેવું સાંભળીને અતિશય આવી ગઇ છે દયા જેમને, એવા ધર્મકુંવર તે બન્નેનું દુઃખ સાંભળીને તે પ્રત્યે બોલ્યા જે, હવે થોડાક દિવસમાં તમારું રક્ષણ કરવા સારૂં મારૂં વનવિચરણ થશે. એમ તમો નિશ્ચય મનમાં જાણો. એવી રીતે આજ્ઞા પામીને ત્યાં થકી બન્ને અદ્રશ્ય થઇને પોતપોતાના સ્થાનકે ગયા. ત્યાર પછી ધર્મકુંવર તત્કાળ પોતે બીજા સ્વરૂપે થઈને ત્યાં થકી ગામ ઇટોલાના જીરાભારી તળાવ ઉપર જઈને જુએ છે તો, મહા દુષ્ટનું કર્મ જે, માછલાં મારેલાં તે જોઈને પોતાના મનમાં સંકલ્પ કર્યો જે, આ સર્વે માછલાં સજીવન થઈને પાણીમાં જાઓ. તેવા સંકલ્પની સાથે જ સર્વે માછલાંના ઢગલા ઉછળીને ધડો ધડ પાણીમાં પડતાં હતાં. તે જોઇને તે સર્વે અસુર પરસ્પર બોલવા લાગ્યા જે, અલ્યા ! તેં મારાં માછલાં કેમ પાણીમાં નાખી દીધાં? એમ એકબીજાને કહેતાં પરસ્પર મારામારી થઇ, તેથી સર્વે મરણ પામ્યા. એવી રીતનું પરબારૂં કામ કરાવીને પોતે ઘેર આવી બે સ્વરૂપે હતા તે એક રૂપે થઈ ગયા.                         🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર
30 likes
81 shares
c.j. jadav
1K views 16 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરિત્ર....           વળી એક સમયે રામપ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજને સાથે લઈને અયોધ્યાપુરી જતાં વચમાં મખોડા ઘાટે આવ્યા. ત્યારે તે ગામ ઉથલપાથલ થવાથી ત્યાં મોટું એક વૈરાગીનું મંદિર થતું હતું. ત્યારે મંદિરનો પાયો ખોદતાં મોટી સુવર્ણની તોપ પ્રથમ દશરથ રાજાના વખતની નીકળી. તે વાતની અયોધ્યાના રાજા દર્શનસંગને જાણ થઇ એટલે તે તોપ લેવા માટે પોતાના નોકરોને બોલાવીને કહ્યું જે, તમારે વસ્તુ જોઇએ તે લઇ જાઓ. પરંતુ તે તોપ અહીં લાવો, નહિ તો તમારી કલમ કપાઈ જશે. તેવું સાંભળીને એક મોટું લોખંડનું ગાડું લીધું અને દશ જોડી બળદ લીધા અને પચાસ માણસોને પંદર દિવસની ખર્ચી લઇને તે સર્વે મખોડા ઘાટે આવીને તે તોપને ગાડા ઉપર ચડાવવા સારૂં મહેનત કરતા હતા. તેને જોઈને ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, હે ભાઈ ! આ સર્વે ભેગાથઈ ને શું કરે છે ? ત્યારે તે વાતનો નિશ્ચય કરવા ભાઇએ સિપાઇઓને પૂછી જોયું. ત્યારે પોતાનું વૃતાન્ત કહી બતાવ્યું. તે સાંભળીને ઘનશ્યામ મહારાજને દયા આવી ગઈ. અને વળી તે સિપાઇને વેષે કેટલાક બ્રાહ્મણ હતા તે સર્વે એમ બોલ્યા જે, અમારી લાજ તો ભગવાન રામચંદ્રજી રાખે તો રહે. એમ કહેતા સતા ઉદાસ થઇ ગયા. તે જોઈને શ્રીહરિ બોલ્યા જે, હે ભાઈ! તમો કહેતા હો તો આ તોપને હું ગાડા ઉપર ચઢાવી દઉં. તેવું સાંભળીને મહા આનંદ પામતા સતા કહેવા લાગ્યા જે, હે ભાઈ ! એમ જો થાય તો અમો સર્વે મદદમાં રહીએ. ત્યારે કહ્યું જે તમો સર્વે દૂર જાઓ. એમ કહે છે તેટલામાં તો તેમાંથી બે ચાર સિપાઈ બોલી ઉઠ્યા જે, અરે ભાઇઓ ! તમારું તે હૈયું ફૂટી ગયું છે કે શું ? આપણે આવા જુવાન જોધા જેવા પચાસ, આદમી કેટલાક દિવસથી મથામણ કરીએ છીએ અને આ નાનું બાળ શું આ તોપને ચઢાવી શક્શે ? તેવું સાંભળીને શ્રીહરિ તત્કાળ પોતે સર્વે જનોને પોતાનું ચતુર્ભુજ રામચંદ્રજી રૂપે દર્શન આપતા હતા અને તત્કાળ તોપને એક હાથથી ઉપાડીને ગાડામાં મૂકી દેતા હતા. આવી રીતનું મહા અદ્ભૂત ઐશ્વર્ય જોઈને તે સર્વેજન બોલ્યા જે, અહો, ભાઈઓ આતો સાક્ષાત્ આપણા ઇષ્ટદેવ શ્રીરામચંદ્રજી આપણી સહાય કરવા આવ્યા છે. એમ જાણીને સર્વે જનો વિનંતીપૂર્વક પગે લાગતા હતા. એટલામાં તો પોતે ઘનશ્યામરૂપે થઈને રામપ્રતાપભાઈને સાથે લઇને અયોધ્યાપુરી ગયા. અને તે તોપવાળા તો મહા પ્રયત્ને તોપને સરયૂ-ગંગાના કિનારે લાવ્યા અને વહાણમાં ચડાવવા નીચે ઉતારી કે તુરત સર્વેના દેખતાં રેતીમાં ઉતરી ગઈ. તેનો ફરીથી કયાંય પત્તો લાગ્યો નહીં. તે જોઈને સર્વે લોકો વિસ્મય પામ્યા.                         🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
7 likes
16 shares