#જય સ્વામિનારાયણ
2K Posts • 1M views
c.j. jadav
7K views
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           વળી એક સમયે પોતાના સખાઓ સહિત ઘનશ્યામ મહારાજ ગૌઘાટે સ્નાન કરવા ચાલ્યા, તે વચ્ચે ભોયગામના વોકળાની ભેખડ ઉપર ચઢીને બોલ્યા જે, હે વેણીરામ ! આવો, આપણે આ નદીની રેતમાં ધુબકા મારીએ. એમ કહીને સર્વે સખાઓ પાસે ધુળ્યની ઢગલીઓ કરાવીને પ્રથમ પોતે કછોટો વાળીને જે કૂદ્યા તે પચાસ કદમ પડ્યા, વેણીરામ કૂદ્યા તે દશ કદમ છેટે જઈ પડ્યા અને રઘુનંદન તે પાંચ કદમ છેટે પડયા. એવી રીતે ત્યાં ઘણો સમય કુદવાની રમત કરતા સતા વિશ્વામિત્રી નદીમાં જઈને સ્નાન કરવા લાગ્યા. ત્યાં ખુબ જળક્રીડા કરીને, પાછા ત્યાં થકી ચાલ્યા તે ગામ અસનારાના રામસાગર તળાવના કીનારા ઉપર વડના વૃક્ષ નીચે ઘડી એક વિશ્રામ લઈને ચાલ્યા, તે વચમાં ગામ નરેચાના કલ્યાણસાગ૨ તળાવના ચોગાનમાં રેત બહુ દેખીને પોતે ઉભા રહ્યા અને બોલ્યા જે, હે સુખનંદન! આવો, હું પ્રથમ તમારા ખભા ઉપર બેસું અને તમો પચાસ કદમ મને ઉપાડીચાલો. અને પછી તમો મારા ખભા ઉપર બેસો ને હું તમોને પચાસ કદમ ઉપાડી ચાલું. એમ કહીને તેના ખભા ઉપર પોતે બેઠા કે તરત પોતાને વિષે બહુ ભાર જણાવ્યો. તેથી સુખનંદન તો એકદમ ભોંયે બેસી ગયો. એટલે પોતે હસતા થકા છેટે જઈને ઉભા રહ્યા. પછી સુખનંદન ઉભો થઇને બોલ્યો જે, હે ઘનશ્યામ ! તમારામાં ભાર ઓછો હતો. ને મને તો આજે બહુ દેખાયો. ત્યારે માધવચરણ બોલ્યો જે, હે ઘનશ્યામ! આવો, મારા ખભા ઉપર બેસો, હું એકસો કદમ લઇ ચાલું. તેતો હવે નહીં ઉપાડે. એમ કહીને પોતાના ખભા ઉપર બેસાડીને લઈ ચાલ્યો. આવી રીતે એકબીજાના ખભા ઉપર બેસવાની રમત કરતા સત્તા પોતાના ઘરે આવતા હતા.                            🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
48 likes
92 shares
c.j. jadav
3K views
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...               વળી એક દિવસે વશરામ તરવાડી પોતાના મામાના ગામ તરગામ જવાનો વિચાર કરીને ધર્મદેવના ઘરે મળવા આવ્યા.ત્યારે તેમની સાથે ઘનશ્યામ મહારાજ જવા માટે તૈયાર થયા. ત્યારે ભક્તિમાતાએ પોતાના ભાઈને ભલામણ કરીને રૂડાં વસ્ત્ર ઘરેણાં પહેરાવીને સાથે મોકલવા તૈયાર કર્યા. ત્યારે બોલ્યા જે, હે દીદી ! મામાની સાથે જાઉં. તો વસંતા માસીને ગામ લક્ષ્મણપુરમાં ભાઈ માણેકધરને મળવા જઇશ. એમ કહીને મામાની સાથે ચાલ્યા તે ગામ ગાયઘાટે ગયા. ત્યાંથી તરગામ ગયા અને ત્યાં નવ માસ રહીને ત્યાં થકી વશરામ તરવાડી ચાલ્યા તે ગામ લક્ષ્મણપુર ગયા અને ત્યાં વસંતાબેનને ઘેર વશરામ તરવાડી પાંચ દિવસ રહીને માણેકધરભાઈ સહિત ઘનશ્યામ મહારાજને સાથે લઇને ત્યાં થકી ચાલ્યા, તે રામહરીપઢરી થઈને ગામ બરૂઇ ચંદનબહેનના ઘરે ગયા. અને ત્યાં ત્રણ દિવસ રહીને ચંદન તથા ભાઈ બસ્તીએ સહિત ઘનશ્યામ પાછા ત્યાં થકી ચાલ્યા તે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે મખોડાઘાટે મેળા ઉપર આવતા હતા. અને ત્યાં મનોરમા નદીમાં સ્નાન કરીને મંદિરમાં ઉતારો કર્યો. તે સમયે છપૈયાપુરથી ધર્મદેવ, ભક્તિમાતા, રામપ્રતાપભાઈ વિગેરે કેટલાક જનો ત્યાં આવ્યા અને એકબીજાને મળતા હતા. અને તે મનોરમા નદીમાં મખોડાઘાટ ઉપર પૂર્વે દશરથ રાજાએ પોતાને પુત્રની આશાથી કેટલાક યજ્ઞો કર્યા હતા. તેથી રામચંદ્રજી ભગવાન પ્રસન્ન થઈને રાજાને વર આપ્યો જે, હું તમારા પુત્રરૂપે થઇશ. તે દિવસથી આરંભીને એ તીર્થને વિષે ચૈત્રમાસની પૂર્ણિમાના દિવસે હજારો માણસોનો મેળો ભરાય છે.અને ત્યાં એક પુનમના દિવસે રીંગણાનું શાક અને બાટીઓ જમવાનું માહાત્મ્ય છે. એમ જાણીને ધર્મદેવ તે તીર્થને વિષે રીંગણાનું શાક અને બાટીઓ કરાવીને સર્વે જનોને જમાડીને પોતે જમતા હતા. ત્યાર પછી ઘનશ્યામ મહારાજ પોતે મંદિરેથી આથમણી બાજુ મોટા પીપળાના વૃક્ષ ઉપર ચડીને ચારે તરફ જોવા લાગ્યા. તે વખતે ઘેલા તરવાડી ભવાની માતાના ચોતરા ઉપર બેઠેલા હતા. તે ઘનશ્યામ મહારાજને પીપળાના વૃક્ષ ઉપર ચડેલા જોઇને બોલ્યા જે, હે ઘનશ્યામ! તમો ઉપર ચડીને શું જુઓ છો? નીચે ઉતરો, પડશો તો વાગશે. ત્યારે બોલ્યા જે, હે મામા! અમો તો કંઇ પડતા નથી. પરંતુ આ સઘળા મેળામાં દૈવી અને આસુરી જીવ જોઇએ છીએ. કારણ કે ઉત્તરાયણના દિવસે પૃથ્વી ગાય રૂપે થઈને અમારી પાસે આવીને રૂદન કરતી સતી બોલી જે, હે ભગવન્ ! તમો તો પ્રત્યક્ષ ધર્મભક્તિના ઘરે પ્રગટ થયા છો અને મારા ઉપર તો અસુરલોક બહુ પાપ કરીને રસાતળ વાળે છે. તે મારાથી સહન થતું નથી. માટે હે મહારાજ! તમે એ સર્વે અસુરનો નાશ કરીને મને પાપમાંથી ઉગારો. હે મામા! તમો તો શું કહો છો ? જે હેઠા પડશો. આવી રીતે પૃથ્વી સાક્ષાત્ ગાય રૂપે થઈને મહારૂદન કરી અમારી આગળ અરજ કરી ગઇ છે. આજે આ મેળામાં ઘણાક અસુર ભેગા થયા છે. અમારી ઇચ્છા થકી માંહોમાંહી મારામારી કરીને પૃથ્વીના ભારરૂપ સર્વે અસુર કપાઈ મરશે તે તમો જુઓ. એમ કહે છે તેટલામાં તો ઘનશ્યામ મહારાજની ઇચ્છાથી ઘાટ ઉપર સ્નાન કરવા ગયા, ત્યારે એક જમાતવાળા કહે જે, પ્રથમ અમો સ્નાન કરીએ અને બીજા કહે અમો પ્રથમ સ્નાન કરીએ. એમ પરસ્પર વાદ કરતાં લડાઇ થઇ તેમાં ઘણાક અસુરો કપાઈ મુવા. એ રીતે પરબારો પૃથ્વીનો ભાર ઉતારીને પોતે નીચે ઉતરી ગયા. તે જોઈને ધર્મદેવ આદિક સર્વે જન મહાત્રાસ પામતા સતા છપૈયાપુરને વિષે આવતા રહ્યા.                         🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
27 likes
59 shares
c.j. jadav
1K views
🍃🍃🌼🍃🍃 🥀પોષ વદી - ૧૧  ષટીતલા એકાદશી.             દાલભ્ય ઋષિ પૂછે છે :- હે બ્રહ્મન ? આ લોકમાં કેટલાક જીવો પાપી હોવા છતાંય નરકમાં જતા નથી. તેમનું એવું શું પુણ્ય હશે ? થોડું જ દાન કરવાથી ઘણું પુણ્ય મળે તેનો ઉપાય જણાવો.              પૌલસત્ય મુનિ કહે છે હે ભાગ્યવાન ? તમે બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. આનો ઉત્તર અતિ દુર્લભ છે. બ્રહ્માદિક દેવોએ પણ જે વાત નથી કરી તે તમને કહું છું. પોષ માસમાં પુષ્ય નક્ષત્ર હોય ત્યારે સ્નાન કરીને પવિત્ર થવું. કામ - ક્રોધ આદિક સર્વે દોષોનો ત્યાગ કરીને ભગવાન નારાયણ નું સ્મરણ કરવું. ગાયનું  છાણ લઈને તેમાં તલ - કપાસ નાખીને તેના પિંડીયા વાળવા. પછી પોષવદ પક્ષમાં મુલ નક્ષત્ર હોય ત્યારે 108 આહુતિઓનો હોમ કરવો. પછી ષટીતલા એકાદશીના દિવસે સ્નાન કરી પવિત્ર થઈ ને નારાયણની પૂજા કરી ને ઉપવાસ કરવો. રાત્રીએ હોમ કરીને જાગરણ કરવું. બીજે દિવસે શ્રી હરિનું પૂજન કરીને ખીચડીનું નૈવેધ ધરવું. પછી કેળા - નાળિયેર - બીજોરું ધરાવવા. તે કાંઈ ન મળે તો સોપારીનો અર્ધ્ય આપવો. પછી બ્રાહ્મણની પૂજા કરીને જળના ઘડામાં દ્રવ્ય નાખીને દાન આપવું અને પગરખા આપવા.               ધનવાન હોય તેણે ગાય અને તલ પાત્ર દાનમાં આપવું. સ્નાનમાં અને ભોજનમાં ધોળા તલ લેવા. દાનમાં કાળા તલ વાપરવા. તલથી સ્નાન કરવું. શરીરે તલ ચોપડવા. તલનો હોમ કરવો. તલ સહિત જળ પીવું. તલ ખાવા અને તલનું દાન કરવું. તલના આ છ પ્રકાર પાપોનો નાશ કરનારા  છે.             પૌલસ્ત્ય મુનિ કહે છે હે નારદ ? એક કથા સાંભળો. મૃત્યુલોકમાં એક બ્રાહ્મણ સ્ત્રી હતી. તે વ્રત ઉપવાસ ખૂબ જ કરતી. બ્રાહ્મણોને અને કુમારીકાઓને નિત્યે દાન આપતી. પરંતુ દેવો અને ગરીબોને  અન્નથી તૃપ્ત કર્યા નહિ. તે સ્વર્ગમાં આવી પણ તેના નિવાસ્થાનમાં કાંઇ હતું નહીં. ત્યારે તે કહેવા લાગી કે મેં ઘણા જપ - તપ વ્રત વગેરે કર્યાં પણ મને અહીં કાંઈ સુખ મળ્યું નહિ. મેં કહ્યું તને દેવાંગનાઓ આનો ઉપાય બતાવશે. પછી દેવાંગનાઓ તેના નિવાસસ્થાને ગઈ. તેને ષટિતલા એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. તે બ્રાહ્મણ સ્ત્રીએ વિધિ પૂર્વક આ વ્રત કર્યું. તેથી તેને ધન - ધાન્ય - સોનું - રુપુ વગેરે ખૂબ જ ઐશ્વર્ય પ્રાપ્ત થયું.            હે નારદ ? જે કોઈ આ ષટીતલા એકાદશીનું વ્રત કરે છે , ઉપવાસ કરે છે , પોતાની શક્તિ પ્રમાણે તલ અને વસ્ત્રનું દાન કરે છે તેની પાસે દારિદ્રય - દુઃખ અને દુર્ભાગ્ય આવતું નથી. જે વિધિ પૂર્વક તલનું દાન આપે છે  તે મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે.             આવી રીતે ભવિષ્યપુરાણમાં  ષટીતલા એકાદશી નું મહાત્મ્ય જણાવ્યું છે.                   🍃🍃🌼🍃🍃 #એકાદશી #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ
8 likes
13 shares