#જય સ્વામિનારાયણ

1K Posts • 1M views
c.j. jadav
904 views 8 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 87 સદ્દગુરુશ્રી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજની આજ્ઞાથી શ્રી વેદવ્યાસ રચિત 'બ્રહ્મસૂત્ર' ઉપર ભાષ્ય રચ્યું હતું. તે ભાષ્યની મૂળ સંસ્કૃતપ્રત સદ્ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીની પાસેથી સદ્ગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામીને મળી હતી, જેમણે તે મૂળપ્રત સદ્ગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીને આપેલી હતી. તે પુસ્તક અપ્રસિદ્ધ પડી રહ્યું હતું. તેને પ્રકાશિત કરવાનું કાર્ય સદ્ગુરુશ્રીએ હાથમાં લીધું. તે વખતે તેઓશ્રીને લાગ્યું કે સંસ્કૃતનો અભ્યાસ ન કર્યો હોય તેવા જિજ્ઞાસુને પણ આ સાહિત્યનો લાભ મળે તે માટે તે ગ્રંથનો અક્ષરશ: ગુજરાતી અનુવાદ કરાવ્યો હોય તો તેની ઉપયોગિતા ઘણી વધે. આથી વિદ્વાન શાસ્ત્રી ગિરિજાશંકર માયાશંકર મહેતાને રોકીને તે ભાષાંતર કરાવવા માંડ્યું. આ કાર્યમાં સદ્ગુરુશ્રી ધનશ્યામજીવનદાસજી સ્વામીના શિષ્ય શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજીએ તથા અન્ય વિદ્વાનોએ સદ્ગુરુશ્રીની આજ્ઞાથી સેવા આપવા માંડી. સદ્ગુરુશ્રીની પ્રેરણાથી મૂળીના પુરાણી ધર્મકિશોરદાસજી સ્વામી ‘વચનામૃત’ ગ્રંથનું વ્રજભાષામાં ભાષાંતર કરવા માંડયા. રામાયણ ગ્રંથ જેમ વ્રજભાષામાં દોહા-ચોપાઈના કાવ્યરૂપમાં છે તે રીતે વચનામૃતનું રૂપાંતર થવા લાગ્યું. તે કામમાં પાલનપુરના રાજકવિ લાખાજીભાઈના દીકરા કવિરાજ હમીરદાનજી મદદ કરવા મૂળી જઈને રહ્યા. તે કવિશ્રી જ્યાં સુધી આખું પુસ્તક ભાષાંતર થયું, સંશોધિત થયું ને છપાયું ત્યાં સુધી મદદમાં રહ્યા. દરમિયાન, સદ્ગુરુ ઘનશ્યામજીવનદાસજી સ્વામીના શિષ્ય શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજી સ્વામીએ ‘શ્રીજી સંમત વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત સાગર' નામના નવા ગ્રંથનું નિર્માણ કર્યું હતું, તેનું સંશોધન પણ સદ્ગુરુશ્રીએ હાથ ધરાવરાવ્યું. આમ, અનેકવિધ સાહિત્ય પ્રવૃત્તિઓથી સરસપુર મંદિર ધમધમી ઊઠ્યું! હવે વસંતપંચમીનો સમૈયો મૂળીમાં કરી સદ્ગુરુશ્રી પોતાના મંડળે સહિત વિરમગામ પધાર્યા. ત્યાં રહસ્યાર્થ વચનામૃત તથા બાપાશ્રીની વાતોની પારાયણ મંદિરમાં બેઠી. સદ્દગુરુશ્રીના સાંનિધ્યનો હરિભક્તો અનેરો લાભ ઊઠાવે. ગામેગામના હરિભક્તો કથાનો લાભ લેવા આવે. તે વખતે પારાયણના દિવસોમાં એકાદશી આવી. તે માટે આગલે દિવસે રાજગરાનો લોટ અર્ધોમણ તૈયાર કરાવ્યો હતો. આગલા દિવસથી જ હરિભક્તો ઘણા આવ્યા. તેથી સંતોએ સદ્ગુરુશ્રીને કહ્યું : “હજી લોટ વધુ કરાવવો પડશે.” સદ્ગુરુશ્રી કહે : “કાંઇ વધુ કરાવવો નથી; મહારાજ પૂરું કરશે.” ગામના હરિભક્તોને મનમાં મૂંઝવણ થાય કે હવે શું થશે! એકાદશીને દિવસે તો બીજા વધુ હરિભક્તો ગામડેથી આવ્યા. સદ્ગુરુશ્રીને ફરી પૂછ્યું, તો ફરી તે જ કહ્યું : "ચિંતા ન કરો, કાંઈ હરકત નહિ આવે. ” ઘણાં સંત-હરિભક્તો જમ્પા છતાં તેટલા જ લોટનો શીરો સૌને સારી રીતે જમાડ્યા પછી પણ વધ્યો! હરિભક્તો સદ્દગુરુશ્રીનો પ્રતાપ જોઈ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. સદ્દગુરુશ્રી અમદાવાદ પધાર્યા. બ્રહ્મચારી નિર્ગુણાનંદજી રચિત “શ્રી પુરુશોત્તમલીલામૃત સુખસાગર” ગ્રંથ છપાઈ ગયો હતો. બાપાશ્રી ના પરમ કૃપાપાત્ર ભુજના મહેતા ભોગીલાલભાઈ પુરુષોત્તમભાઈએ એ ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. થોડા નાના ટાઈમમાં ડબલ ક્રાઉન સાઈઝના કાગળ ઉપર છપાવતા ૬૭૨ પાન થયા હતા. શ્રીજીમહારાજની કચ્છલીલાનું હેતભર્યું પુસ્તક પ્રસિદ્ધ કરાવી અનેકને શ્રીજીને વિષે હેત પ્રેરવાનું કાર્ય થયું જાણી સદ્દગુરુશ્રી પ્રસન્ન થયા. 🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ
17 likes
10 shares