𝗦𝗔𝗡𝗝𝗔𝗬 𝗗𝗘𝗦𝗔𝗜
3K views • 16 days ago •
#🐍ગોગા મહારાજના ચમત્કારી મંદિરો🛕 , કડી તાલુકાના કાહવા(કાસ્વા) ગામ કાશીધામ તરીકે પ્રચલીત થયુ છે. કાહવા ગામમાં ધર્મધજા અને રબારી/માલધારી સમાજના આસ્થા કેન્દ્ર સમા ગોગા મહારાજના મંદિરે નાગપાંચમીનો લોક મેળો યોજાય છે. જેમાં ગોગા મહારાજના મંદિરે કચ્છ-કાઠીયાવાડથી ભરવાડ સમાજ, રબારી સમાજ સહિત દરેક સમાજના મોટી સંખ્યામાં હજારો ભક્તજનો દર્શનાર્થે ઉમટી પડયા હતા. ફુલ ચઢાવી આરતી વંદના કરી ગોગા મહારાજના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા. કાહવાના ભુવાજી રાજાભાઇએ નાગપાંચમીના દિવસે પધારેલ ભક્તજનોને સમાજમાં પડેલા અમુક રુઢીચુસ્ત કુરીવાજો દુર કરી સમાજમાં શિક્ષણની જ્યોત જગાવવા અને આજના આધુનિક યુગમાં કદમથી કદમ મિલાવી દરેક સમાજના ઉત્કર્ષ કરવા માટે દર્શનાર્થે પધારેલા ભક્તોને પ્રેરણા આપી. કાસ્વામાં નવચેતન વિધાલય અને જયરામબાપા છાત્રાલય મંદિર દ્વારા ચલાવવામાં આવી રહયું છે.રાજસ્થાનમાં સાણદરી બાઇતું રોડ પર આવેલા દંડાલી ષામે ષોષાવાડી અન્નક્ષેત્ર ચાલે છે.જયાં યાત્રાળુઓ માટે તમામ સુવિધા મફતમાં પુરી પડાય છે. કાહવામાં નાગપાંચમી લોક મેળામાં કડી તાલુકા સહિત દુર દુથી ભક્તજનો દર્શનાર્થે પધારતા પાંચ કિલોમીટર સુધીની લાઇનો લાગી હતી.જેના પગલે વિડજ ગામથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહનો બંધ કરાયા હતા.આ લોક મેળામાં 2.5 લાખથી વધારે ભક્તો ઉમટી પડયા હતા.જેના પગલે ચારે તરફ માનવ મહેરામણ ઉભરાયું હતુ. ગોગા મહારજના મંદિર ટ્રસ્ટ દ્વારા કાહવા ગામે બાળકોના અભ્યાસ અર્થે નવચેતન વિધાલય, રહેવા માટે જયરામબાપા છાયાલય સહિત 365 દિવસ અન્નક્ષેત્ર ચલાવાય છે.કડીના કાહવા(કસ્વા) તરીકે પ્રચલિત 700 વર્ષ જુના પૌરાણિક ગોગા મહારજના મંદિરે પેઢીઓથી સેવા પુજા કરવામાં આવે છે. કાશી તરીકે પ્રચલિત આસ્થાનું કેન્દ્ર બનેલા મંદિરે સમગ્ર ગુજરાત સહિત દેશમાંથી લાખ્ખોની સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવે છે.
#🐍નાગપાંચમ સ્ટેટ્સ📲 #🐍નાગપાંચમની શુભકામનાઓ🔱 #🐍 ગોગા સરકાર #🕉 ઓમ નમઃ શિવાય 🔱
30 shares