ભાવનગર
159 Posts • 1M views
Sanjay ᗪesai
44K views
બગદાણામાં કોળી યુવાન પર થયેલા હુમલામાં આખરે મુખ્ય સૂત્રધાર જયરાજ આહિરને એસઆઇટીએ ગઈ કાલે ધરપકડ કરી હતી.અને આજે ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે મહુવાની કોર્ટમાં રજૂ કર્યો હતો.મહુવાની અદાલતે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.૨૬ દિવસ પહેલા બગદાણામાં નવનીતભાઈ બાલધીયા નામના યુવાન પર આઠ ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો.અને નવનીતભાઈને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે બગદાણા ખાતે ફરિયાદમાં માત્ર આઠ અજાણ્યા શખ્સોનો ઉલ્લેખ કરી ફરિયાદ નોંધી લેવામાં આવી હતી ત્યાર વિવાદનો વંટોળ ઉઠતા બગદાણાના પીઆઇને હટાવી મહુવાના પીઆઈ ને તપાસ આપવામાં આવી પરતુ મહુવાના પીઆઈ પણ કુલડીમાં ગોળ ભાંગતા હોય તેમ તપાસ ચલાવતા હોય આગેવાનોની રજૂઆતના પગલે સરકારે એસઆઈટીની રચના કરી હતી.એસઆઇટીએ તપાસ સાંભળતા આંઠ ઉપરાંત પાંચ શખ્સોની ધરપકડ કરી સઘન પૂછપરછ અને નિવેદનો નોંધ્યા હતા.તદુપ્રાણ નવનીતભાઈનું વિશેષ નિવેદન નોંધ્યું હતું.અને આખરે મુખ્ય સૂત્રધાર જયરાજ આહિરને ૧૪ માં આરોપી તરીકે ધરપકડ કરી હતી.આજે એસઆઇટી જયરાજ આહિરને પોલીસ કાફલા સાથે મહુવાની અદાલતમાં રજૂ કર્યો હતો.જોકે એસઆઇટીએ રિમાન્ડની માંગણી કરી ન હોય કોર્ટે જયરાજને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. #આજના સમાચાર #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #ભાવનગર #🎼🎶🎹🎤 માયાભાઈ આહિર
450 likes
199 shares
Ame Surati
807 views
#📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #ભાવનગર #ભાવનગર #ભાવનગર ન્યૂઝ #અમે સુરતી ફાયર ઓફિસર પ્રદ્યુમ્ન સિંહ કહે છે કે, "ભાવનગરના કાલુભાર રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગ્યા બાદ લગભગ 19-20 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગે હોસ્પિટલો આવેલી છે. આગ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પેથોલોજી લેબમાં શરૂ થઈ અને પછી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ. પાંચ ફાયર ફાઇટર અને 50 થી વધુ સ્ટાફ આગ ઓલવવામાં સામેલ હતા." હોસ્પિટલના કાંચ તોડી નવજાત શિશુઓ સહિત 19 જેટલાં લોકોને બહાર કઢાયા. લોકોએ પ્રશાસન તેમજ ફાયરની ટીમની ત્વરિત કામગીરીની પ્રશંસા કરી. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #bhavnagar #fire #rescue #kalubhar
9 likes
9 shares