Gujarat Vaani Official
1K views • 8 days ago
ગિરનાર પર્વત પર રોપ-વે સેવા આગામી 3 દિવસ રહેશે બંધ, આ કારણ જવાબદાર
જૂનાગઢના જાણીતા તીર્થધામ અને પ્રવાસન સ્થળ ગિરનાર પર્વત પર આગામી અઠવાડિયામાં ત્રણ દિવસ માટે રોપ-વેની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોજ હજારો ભક્તોની ભીડ રહે છે ત્યારે, મેન્ટેનન્સની કામગીરીને કારણે આ નિર્ણય લેવાયો છે.
આ તારીખોમાં ગિરનાર રોપ-વે બંધ રહેશે?
ગિરનાર રોપ-વેના મેન્ટેનન્સ(જાળવણી)ની કામગીરીને લીધે સાતમી, આઠમી અને નવમી ઑક્ટોબર એમ ત્રણ દિવસ માટે રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ 10મી ઑક્ટોબરથી પ્રવાસીઓ માટે રોપવે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે. આ ત્રણ દિવસ દરમિયાન પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો રોપવેની સુવિધાનો લાભ લઈ શકશે નહીં.
પ્રવાસીઓ માટે ફરી ક્યારે શરૂ થશે?
રોપ-વેની મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ 10 ઓક્ટોબર થી રોપ-વેની સેવા ફરીથી પ્રવાસીઓ માટે કાર્યરત કરી દેવામાં આવશે. જે પ્રવાસીઓ આ સમયગાળા દરમિયાન ગિરનારની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા હોય, તેમને આ તારીખો ધ્યાનમાં લેવા વિનંતી છે. પ્રવાસીઓની સુરક્ષા અને સારી સેવા જળવાઈ રહે તે હેતુથી સમયાંતરે આ પ્રકારની જાળવણીની કામગીરી જરૂરી બને છે. #🔥બ્રેકિંગ ન્યૂઝ #📰 બ્રેકિંગ ન્યુઝ #Gujarat Vaani
6 likes
9 shares