અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા

3K Posts • 757K views
c.j. jadav
829 views 3 days ago
🍃🍃🌼🍃🍃 ચૈત્ર સુદ - ૧૧ એકાદશી કામદા નામથી કહેવાય છે.              શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કથા સંભળાવતાં કહે છે. હે રાજન ? પૂર્વે રાજા દિલીપને વશિષ્ટ ઋષિએ ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીની કથા કહી છે તે કથા કહું છું. સાંભળો આ એકાદશીનું નામ કામદા છે તે અનંત જન્મના પાપોને નષ્ટ કરનારી અને અનંત પુન્યને આપનારી અને અંતે મોક્ષને પણ આપે છે અને આ લોકમાં અપાર દુઃખોથી મુક્તિને આપનારું તે વ્રત છે.          પૂર્વે ભોગવતી નગરીમાં સર્વ સર્પની વસ્તી. તેનો રાજા પુંડરિક નામનો નાગ હતો. તે અતિ સમર્થ હતો તેની સેવામાં કેટલાક દેવો ગંધર્વો ગંધર્વિઓ, અપ્સરાઓના ગણો રહેતા હતા. તે સર્વે સમય પ્રમાણે રાજા પુંડરિકની સેવા કરતા હતા, તે નગરીમાં તેની સેવામાં એક લલિત નામનો ગંધર્વ લલિતા નામની પોતાની પત્નીની સાથે રહેતો હતો. તેનાં મનો એકબીજામાં પરસ્પર આશક્ત રહેતાં હતાં. એક સમયે લલિત એકલો જ રાજા પુંડરિક પાસે ગાયનની સાથે નૃત્ય કરવા લાગ્યો, ત્યારે પોતાની પત્ની સાંભળી આવવાથી તાલ સુરનું ભાન ન રહ્યું અને તાલમાં ભંગ થયો તેથી રાજાએ શાપ આપતાં કહ્યું કે મને રાજી કરવા તું નત્ય કરે છે અને તારી પત્નીને યાદ કરે છે માટે હું તને શાપ આપું છું કે તું ભયંકર રાક્ષસ થઈ જા. એટલે તરત જ તે રાક્ષસ થઇ ગયો. તેની પત્ની તે જોઈને અતિ દુઃખી થઇ ગઇ અને પોતાના પતિને લઇને વનમાં આમ તેમ ભમતી હતી. પતિને દુઃખે દુઃખી રહેતી હતી. એક સમયે ફરતી ફરતી પોતાના પતિને સાથે લઇને વિંધ્યાંચળ પર્વત પર ગઇ. ત્યાં એક આશ્રમ જોયો.         તેમાં એક ઋષ્યશૃંગ નામના મુનિનેજોઈને તેમને પચાંગ પ્રણામ કરીને પગે લાગીને હાથ જોડીને ઊભી રહી ત્યારે મુનિએ પૂછ્યું કે, તું કોણ છે ? ક્યાંથી આવી છો ? ત્યારે તેણીએ સર્વ પોતાનું વૃત્તાંત કહ્યું અને પોતાના પતિદેવને આ ભયંકર રાક્ષસ યોનીથી દયા કરીને છોડાવવા માટે વિનંતી કરી ત્યારે તે મુનિએ પોતાના હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરીને કહ્યું કે તું અતિ શ્રધ્ધાથી ચૈત્ર માસની આવતી એકાદશીનું વ્રત કરીને તેનું પુન્ય તારા પતિને આપ ? તો તેના પુન્યથી રાક્ષસયોની થકી છુટીને દિવ્ય દેહને પામશે તે વચન સાંભળીને વીર ધન્વાની પુત્રી લલિતાએ તે કામદા એકાદશીનું વ્રત અતિ શ્રદ્ધાથી વિધિપૂર્વક જાગરણની સાથે કર્યું અને ત્યારબાદ બારસને દિવસે ઋષિની સાનિધ્યમાં જ હે હાથ જોડીને લલિતાએ કહ્યું કે કામદા એકાદશીનું વ્રત પ્રેમથી કરેલું છે તેનું પુન્ય મારા પતિદેવને આપુંછું. તેણે કરીને પતિ રાક્ષસ યોનીથી મુક્ત થાઓ. આમ લલિતા બોલી કે તેટલામાં જ લલિતનું રાક્ષસનું શરીર છુટી ગયું અને પહેલાંથી પણ અધિક રૂપવાન શરીરવાળો ગંધર્વ થઇ ગયો અને અનંત અપ્સરાઓથી સેવાએલું વિમાન હાજર થયું તે ઉપર પત્ની તેણે સહિત બેસીને અપ્સરાઓએ સેવાએલો થકો સ્વર્ગમાં ગયો ત્યાં અપાર સુખ ભોગવવા લાગ્યો.           આવું આ એકાદશીનું માહાત્મ્ય છે તો આ એકાદશીનું વ્રત ભગવાનના પૂજન સહિત કરેલું હોય તો તે ભગવાનના ધામને અવશ્ય પામે છે. એમાં કોઇ સંશય નથી માટે તે વ્રત અવશ્ય કરવું જ જોઈએ.                      🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #એકાદશી #એકાદશી ની શુભકામના
4 likes
10 shares