અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા

2K Posts • 768K views
c.j. jadav
615 views 7 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-48 મુક્તરાજ અબજીબાપાશ્રી ધણો રાજીપો બતાવે. કહે: “આવા મોટા સદ્ગુરુ અહીં દરિયા ઉતરી ઉતરીને શા માટે આવે છે, તો અનેક જીવના ઉદ્ધાર કરવા માટે આવે છે. એમને બીજો સ્વાર્થ નથી. અમે તો એમને જોઈ જોઈને રાજી થઈએ છીએ." સદ્ગુરુઓ કહે: “બાપા ! આપે તો અમને વશ કરી લીધા છે, તેથી જો વર્ષમાં એકાદ મહિનો અહીં ન અવાયું હોય તો સારું નથી લાગતું. તમે અમને પોતાના જાણ્યા છે તે કાંઈ સાધારણ વાત નથી.” વળી બાપાશ્રી કહે: "તમે ને અમે તો એક ગુરુના કહેવાઈએ કેમકે સ.ગુ.શ્રી નિર્ગુણદાસજી સ્વામી તમારા ય ગુરુને અમારા ય ગુરુ.” આમ હેત-મહિમા 'દિન દુના, રાત ચોગુના’ વધતા જ જાય. આવી રીતે અઢાર દિવસ સંતહરિભક્તો બાપાશ્રી પાસે રહ્યા, ને દિવ્ય લાભ લીધો. સંવત ૧૯૬૯માં અસલાલીના સાંખ્યયોગી બાઈ કંકુબાએ અમદાવાદ મંદિરમાં ‘સત્સંગીભૂષણ'ની પારાયણ બેસારી. ન પ્રસંગે સૌ હેતવાળા હરિભક્તોના અતિ આગ્રહને કારણે મુક્તરાજશ્રી અબજીબાપા મૂળી થઈને અમદાવાદ પધાર્યાં. સ.ગુ.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી તો સૌ કોઈને આ મહદ્ પર્વનો લાભ અપાવવા રાહ જોઈને જ બેઠા હતા! ગામે-ગામના હરિભક્તો પારાયણ અને બાપાશ્રીના દર્શનનો લાભલેવા આવ્યા. સદ્ગુરુશ્રીના આસને રોજ રાત્રે સભા થાય ને બાપાશ્રી શ્રીજીમહારાજના અદ્ભુત મહિમાની વાતો કરે ને સંતહરિભક્તોને એ સુખમાં ઝિલાવે, સૌને આનંદના ઓડકાર આવે ! પારાયણની સમાપ્તિ પછી બાપાશ્રી સદ્ગુરુઓને સાથે લઈ ગામેગામ દર્શન દેવા પધાર્યા. રનોડા, ધોળકા, જેતલપુર, અસલાલી, ગામડી, વગેરે ગામોમાં થઈ બારેજડી શેઠ બળદેવભાઈની મૌલમાં પધાર્યા. શેઠ બળદેવભાઈને સ.ગુ.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીનો પ્રથમ પરિચય સં. ૧૯૫૮માં મોરબીમાં થયા પછી સદ્દગુરુશ્રીથી તેઓ એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે તેમના અનન્ય સેવક બની રહેલા. સદ્દગુરુશ્રીના આગ્રહથી બાપાશ્રી ચૈત્ર સુદ પૂનમની સાંજે શેઠ બળદેવભાઈની મીલમાં બારેજડી પધાર્યા, ને શેઠના ઉપર અતિ પ્રસન્ન થયા. બાપાશ્રીને અતિ રાજી થયેલા જાણીને શેઠ બળદેવભાઈએ નમ્ર અરજ કરી: “બાપા! આ સેવકની એક નમ્ર અરજ છે કે વચનામૃતમાં શ્રીજીમહારાજનો જે રહસ્ય અભિપ્રાય છે તે જેમ છે તેમ સૌને બરાબર સમજાય તે રીતે ટીકા સાથે વચનામૃત છપાવવાની જરૂર છે. સદ્દગુરુશ્રીના કહેવાથી જ અમે આપને નમ્ર અરજ કરીએ છીએ કે આપ તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા અહીં મનુષ્યરૂપે દર્શન દો છો, આપ તો શ્રીજીમહારાજના રહસ્યજ્ઞાનના જ્ઞાતા છો, તેથી આપ શ્રીજીમહારાજના વચનામૃતો સમજાવો, ને જે જે ગૂઢ રહસ્ય છે તે સ્કૂટ કરી દો તો તે મુજબ રહસ્યાર્થ ટીકા સહિત વચનામૃત છપાવીએ. તેમાં વચનામૃત અસલ હસ્તલિખિત પ્રત પ્રમાણે જ છપાવીએ.” શેઠ બળદેવભાઈની આ પ્રાર્થના સાંભળી મુક્તરાજ અબજીબાપાશ્રી બહુ પ્રસન્ન થયા. તેમણે કહ્યું: “શેઠ! તમારી વાત જાણી અમે બહુ રાજી થયા છીએ. વચનામૃત ગ્રંથ એ તો અધ્યાત્મશાસ્ત્ર છે. તે તો શ્રીજીમહારાજના મુખકમળના વચન છે ને બહુ ગૂઢ અર્થનાં ભરેલાં છે. પોતાની મેળે જેમ છે તેમ સમજાય નહિ, પણ મોટા અનાદિ મુક્ત હોય તેમનાથી સમજે ત્યારે સમજાય. માટે શ્રીજીમહારાજને જેવા છે તેવા સમજી શકાય તે સારુ ટીકા રચવાની તમે જે વાત કહો છો એ તો આત્યંતિક કલ્યાણનું સદાવ્રત બાંધવાની વાત છે. અમે અનેક જીવોના આત્યંતિક કલ્યાણને અર્થે શ્રીહરિની ઇચ્છાથી જ પધાર્યા છીએ. તમારી અરજી અમે સ્વીકારી છે. સદ્ગુરુશ્રીને હૈયે પણ અનંત જીવોનું કલ્યાણ વસેલું છે. અત્યારની જ નહીં, પણ હવે પછી આવનારી પેઢીઓને પણ શ્રીજીમહારાજના સ્વરૂપની સમજ એનાથી પડશે. સદ્ગુરુશ્રી અને તમે બધા ભેગા મળી તે છપાવવાનું કામ શરૂ કરો. આ કામમાં શ્રીજીમહારાજનો બહુ રાજીપો છે. જરૂરથી આ કામ કરો.” 🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
9 likes
18 shares