અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા

3K Posts • 757K views
c.j. jadav
2K views 28 days ago
🥀श्री हरि चरित्र-whatsapp🥀: Jay Swaminarayan: 🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...            પછી સુંદરજીભાઇએ પૂછયું જે, હે મહારાજ ! સતયુગ, ત્રેતાયુગ તથા દ્વાપરયુગ એ ત્રણે યુગને વિષે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે સુદર્શન ચક્રને મોકલતા અને તે ચક્રે કરીને ભક્તની રક્ષા કરતા અને કળીયુગને વિષે ચક્ર મુકીને કેમ હવે પોતાના ભક્તની રક્ષા કરતા નથી ? હળાહળ કળિને વિષે ભગવાનનું ભજન કરે છે. તેની ભગવાનને રક્ષા કરવી જોઈએ એ પ્રશ્નો ઉત્તર કરો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તેજ સુદર્શનચક્ર છે અને તે સુદર્શન ચક્રને વિષે દશ હજાર સૂર્યનો પ્રકાશ છે. તે જુઓને જ્ઞાનને વિષે પણ એટલો પ્રકાશ છે. જે જીવના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધારૂં છે. તેને ચંદ્રમા તથા સૂર્ય તથા પ્રલયકાળનું મહાતેજ તે કોઇ ટાળવાને સમર્થ નથી. પણ જ્ઞાન તે અંધારાને ટાળી નાખે છે. તે જુઓને દશ હજાર સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશ છે. અને સુદર્શનચક્ર સતયુગને વિષે તથા ત્રેતાયુગને વિષે ભગવાનના ભક્તની રક્ષા કરતું અને આજ કળિને વિષે તેનું તેજ રક્ષા કરે છે. ત્યારે તમે કહેશો જે, કઇ રીતે રક્ષા કરે છે? તે કહીએ છીએ તે સાંભળો. જ્યારે પ્રભુનો ભક્ત હોય તેના હૃદયમાં કામક્રોધાદિકના ભૂંડા ઘાટ થાય છે. ત્યારે તે ભક્તને એવો વિચાર રહે છે જે, મને ભગવાન મળ્યા છે. અને હું એવા મોટા લાભને મૂકીને ભગવાનનું વચન લોપીને કુમાર્ગે કેમ ચાલું? તેને જ્યારે આવો ભગવાનના નિશ્ચય યુક્ત પોતાના મનમાં વિચાર થાય છે ત્યારે તે ઘાટ ટળી જાય છે. તે પોતે ભક્તજનના શત્રુ તે તો કામક્રોધાદિક છે તે થકી રક્ષા પણ જ્ઞાનરૂપી સુદર્શનચક્ર કરે છે. માટે કળિને વિષે જો ભગવાન સુદર્શન ચક્ર મૂકીને અંબરીષ રાજાની પેઠે રક્ષા ન કરતા હોય તો એનાથી વર્તમાન પડે નહીં અને ભગવાનનું ભજન પણ થાય નહીં અને કામક્રોધાદિક તો એવા જબરા છે જે, શિવબ્રહ્માદિકને પણ ભૂલાવ્યા છે. તો પછી જીવનો તો શો ભાર ? માટે ભગવાન પોતાના ભક્તની જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર મૂકીને સર્વે કાળને વિષે રક્ષા કરતા આવે છે. એવી રીતની ઘણીક વાર્તા કરી તે સાંભળીને સર્વે સંત હરિભક્તને શ્રીજી મહારાજને વિષે પ્રગટ પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો હતો. ત્યાર પછી બીજે દિવસે ભગવાનજીભાઈને ઘેર જમવા પધાર્યા. ત્યારે રસોઇને થોડીક વાર હતી એટલે ભગવાનજીભાઈએ પોતાની ઓસરીમાં ચાકળો નાખીને તેના ઉપર બિરાજમાન કર્યા, ત્યારે તે સમયે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ ! જનક તે શું અને જાનકી તે શું? અને રઘુનાથજીએ ધનુષ્ય ભાગ્યું તે શું ? ત્યારે અતિ પ્રસન્ન થકા બોલ્યા જે, જનક તે ગુરુને કહીએ. અને જીવ તે જાનકીને અને સમજણ તે ધનુષ્ય છે. માટે તે ગુરુના ઉપદેશથી જીવની સવળી સમજણ થાય તે જીવને ભગવાન વરે. એટલી વાર્તા કરીને જમવા પધાર્યા. તે જમી રહ્યા પછી ભાલને વિષે ચંદનની અર્ચા કરીને કંઠમાં પુષ્પના હાર પહેરાવીને એક ભારે હેમની ઉતરી, કડાં, વેઢ, વીંટી, કંદોરો એવી રીતે ઘરેણાં અંગોઅંગને વિષે ધારણ કરાવી ભગવાનજીભાઈ બોલ્યા જે, હે મહારાજ ! આવી રીતે મેં રામાનંદ સ્વામીને જમાડીને આ સર્વે ઘરેણાં હું પહેરાવવા લાગ્યો, ત્યારે સ્વામીએ પહેર્યાં નહીં અને બોલ્યા જે, આવા ભારે દાગીના અમારાથી હવે ન પહેરાય, અને તેના પહેરનાર થોડાક દિવસમાં અહીં આવશે એટલે તેમને પહેરાવજો.એમ કહીને પાછા મૂકાવ્યા હતા, તે હે મહારાજ ! આજે તમોને પહેરાવ્યાં. એમ કહીને બે હાથ જોડીને વિનંતીપૂર્વક પગે લાગતા હતા. પછી ત્યાં થકી ઉતારે આવીને સાંજની વખતે ગાદી તકીયા ઉપર ઉગમણે મુખારવિંદે બિરાજમાન થયા અને બાજુમાં સર્વે સંત હરિભક્તો બેઠા. તે જ્યારે સૂર્ય અસ્ત પામ્યો તે સમયે શ્રીજી મહારાજની મૂર્તિ સૂર્યના જેવી પ્રકાશેયુક્ત જણાતી હતી. ત્યારે ભગવાનજીભાઇએ જાણ્યું જે, આ મુક્તાનંદ સ્વામીને આવું શ્રીજી મહારાજનું પ્રકાશેયુક્ત દર્શન થતું હશે કે નહીં ? એમ જાણીને મુક્તાનંદ સ્વામીના મુખ સામું જોઇને બોલ્યા જે, હે સ્વામિન્ ! તમોને કંઇ શ્રીજી મહારાજનું ઐશ્વર્ય જણાય છે ? ત્યારે કહે હા જણાય છે. એમ કહીને આનંદ પામતા હતા. ત્યાર પછી બે સંત ગામ કાળાતળાવે રામાનંદ સ્વામીનું બંધાવેલું સદાવ્રત હતું, તે સદાવ્રત અંગે કંઇ કામ હશે તે માટે ત્યાં જવાનો સંકલ્પ ધારીને તૈયાર થઇ આજ્ઞા લીધા સિવાય ચાલવા જાય છે. ત્યારે તે બન્ને સંતના અંતરના ઘાટ જાણીને બોલ્યા જે, ભગવાનને ભગવાન જાણીને કંઈ બીજું કરવાને ઇચ્છવું નહીં અને પોતાને કૃતાર્થ માનીને સહેજે ભજન સ્મરણ થાય તે કરવું. પણ કોઇ વાતનો આગ્રહ મનમાં રાખવો નહીં. જેમ ભગવાનની મરજી હશે તેમ થશે. અને પોતાને મનને જાણ્યે કંઇ કરવું નહીં અને કામાદિક જે મોટા વિકાર છે, તે તો ભગવાન વિના પોતાના બળે ટાળવા જાય તે ઘણો હેરાન થાય. માટે ભગવાનની આજ્ઞાએ કરીને જે જે સાધન કરેતો તે કામાદિક શત્રુનો તત્કાળ નાશ થઈ જાય છે. માટે ભગવાનનું બળ રાખીને તે પ્રગટ ભગવાન જેમ આજ્ઞા કરે તેમ કરવું, પણ ભગવાનને મૂકીને ફક્ત સાધનનું બળ રાખવું નહીં. એમ કહીને વળી બોલ્યા જે, આજ દિવસ પછી સત્સંગમાં ધારણા ધ્યાનનું પ્રકરણ ઘણું થશે અને સત્સંગ પણ વૃદ્ધિને પામશે. એવી રીતની ઘણીક વાત તે બન્ને સંતને કરી. તે સાંભળીને તેમનાં અંતઃકરણ શીતળ થઇ ગયાં.અને વિનંતીપૂર્વક પગે લાગીને પાછા પોતાના આસને જઈને બેસતા હતા.                        🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
19 likes
38 shares
c.j. jadav
528 views 2 hours ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           ત્યારપછી દાદા અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી પોતાને એવો નિયમ હતો જે, દરેક પૂર્ણિમાએ જેતલપુરને વિષે દર્શન કરવા જવું. તે એક દિવસે કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે ગાડી જોડાવીને પોતે નરનારાયણ દેવનાં મંગળા આરતીનાં દર્શન કરીને ગાડીમાં જઈને બેઠા અને હથીયાર બંધ ચાર પાળાને સાથે લઈને તે વચ્ચે કાંકરીયા તળાવમાં સ્નાન કરીને ચાલ્યા, તે ગામ અસલાલી અને જેતલપુરના વચ્ચમાં ગયા, ત્યારે રસ્તામાં પાણીનો રોદો બહુ પડેલો હતો. તે રોદામાં એક જેતલપુરના ગરાસીયાનું ગાડું ડાંગરનું ભરેલું ચાર બળદ સહિત ખૂંચેલું હતું. તે ગરાસીયો ઘણો પ્રયત્ન કરે પણ તે ગાડું બહાર નીકળે નહિ અને જેમ જેમ બળદને હાંકે તેમ તેમ માંહી કાદવમાં વધારે ખુંચતું જાય. તેવું દુઃખ જોઇને તે ગરાસીયો ભાઇની ગાડીના બળદ સારા દેખીને ગાડીને સમીપે જઇને બોલ્યો જે, હે ભાઈ ગાડીવાળા ! આ તમારા બળદ મને થોડીવાર આપો તો આ ગાડું માર્ગ વચ્ચે ખૂંચી ગયું છે તેને હું બહાર કાઢું એટલે તમો સુખેથી જાઓ. અને તમારે જવાનો બીજો માર્ગ નથી. જે તમો જઈ શકો અને સાંજ સુધી અહીંથી જવાશે નહિ. માટે દયા કરીને આપો તો બહુ સારું. ત્યારે ભાઇ ગાડીમાં તકીયાના ઓઠીંગણે બેઠા હતા. તે એ ગરાસીયાનાં અતિ નિર્માનીપણાનાં વચન સાંભળીને પડદો આઘો કરીને બોલ્યા જે, હે કરસન ભગત ! જાઓ. તમો એ ગાડીને બહાર કઢાવો. ત્યારે એમણે કહ્યું જે, હે દાદા ! આખા ગામના માણસ આવીને ખેંચે તો પણ ગાડું નિકળે તેમ નથી. એવું સાંભળીને પોતે ગાડામાંથી નીચે ઉતરીને તે ગાડા પાસે જઈને તે ચાર બળદને ગાડેથી કાઢી દેવરાવીને ગાડાનું ધુસરૂં પોતે એક હાથે ગ્રહણ કરીને તે એમને એમ શ્રીજી મહારાજનું નામ લઇને તે ગાડાને કડેડાટ કરીને બહાર ખેંચી લાવીને એક ખેતરવાર દૂર મૂકી આવતા હતા. તેવું મહા અદ્ભૂત ચરિત્ર જોઇને તે ગરાસીયા સહિત સર્વે પાળા ચકિત થઇ ગયા. ત્યારે તે ગરાસીયે પૂછ્યું જે, હે ભાઇ ! તમો આ સમર્થ મૂર્તિ કોણ છો ? ત્યારે કુબેરસિંહ બોલ્યા જે, આતો સ્વામિનારાયણના મોટા ભાઇ છે તે જેતલપુર દર્શન કરવા જાય છે. તે સાંભળીને બોલ્યો જે, અહો !! એ સ્વામિનારાયણ તો સાક્ષાત્ પોતે ભગવાન હતા. તેમણે અમારા જેતલપુરમાં ઘણાક યજ્ઞો કરીને લાખો બ્રાહ્મણોને જમાડીને દક્ષિણાઓ આપી, અનંત પરચાઓ આપ્યા છે. અને તેમના મોટાભાઇ પણ મહા પ્રતાપી છે. એમ કહીને બે હાથ જોડીને પોતાનું ગાડું ભાઇની પાસે બહાર કઢાવ્યું, એ રૂપી પોતાનો અપરાધ ક્ષમા કરાવીને, ચરણાવિંદમાં પોતાનું મસ્તક મૂકીને ગદ્ગદ્ કંઠે થઇને પગે લાગતો હતો. ત્યારપછી જાલમ મોટાએ જણાવ્યું જે, બહુ મોડું થઈ જશે અને શ્રીઠાકોરજીનાં દર્શન પણ નહિ થાય, એમ જાણીને ઉતાવળા થઇ ગાડીની ચારે બાજુ કપડાંનો પડદો હતો તેને આઘો કરી, જ્યાં બારીનું કમાડ ઉઘાડડ્યું ત્યાં તો અંદર ગાડીમાં દાદા એકરૂપે બેઠેલા છે અને વળી એકરૂપે બહાર ઉભેલા જોયા એટલે તત્કાળ કુબેરસિંહને તે વાત કહેવા જાય છે. ત્યાં તો તે ગાડીમાં તે દાદાની મૂર્તિ હતી તે અદૃશ્ય થઇ ગઇ. તેવું ચરિત્ર જોઇને આનંદ પામતા સતા દાદાને ગાડીમાં બેસારીને ત્યાં થકી ચાલ્યા તે મંદિરમાં જઈને તે વાત જાલમ મોટા એ આનંદાનંદ સ્વામીને કહીં, ત્યારે સ્વામી એમ બોલ્યા જે, હે જાલમ મોટા ! એ તો મુક્ત, દેવ, ઋષિ એ સર્વેનાં બે રૂપ હોય તે ભગવાનની ઇચ્છાથી કોઈકને દેખાય. એમ કહીને દાદા તો બળદેવજીનો અવતાર છે. તેની જાલમ મોટાને ખબર પડી અને તેમની પ્રશંસા કરતા હતા. તે સાંભળીને ચકિત થઇ ગયા અને ભાઈનો મહિમા સમજીને મન, કર્મ, વચનથી સેવા કરવાનો નિયમ રાખતા હતા.                           🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
6 likes
13 shares
c.j. jadav
837 views 4 days ago
🍃🍃🌼🍃🍃 ચૈત્ર સુદ - ૧૧ એકાદશી કામદા નામથી કહેવાય છે.              શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કથા સંભળાવતાં કહે છે. હે રાજન ? પૂર્વે રાજા દિલીપને વશિષ્ટ ઋષિએ ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીની કથા કહી છે તે કથા કહું છું. સાંભળો આ એકાદશીનું નામ કામદા છે તે અનંત જન્મના પાપોને નષ્ટ કરનારી અને અનંત પુન્યને આપનારી અને અંતે મોક્ષને પણ આપે છે અને આ લોકમાં અપાર દુઃખોથી મુક્તિને આપનારું તે વ્રત છે.          પૂર્વે ભોગવતી નગરીમાં સર્વ સર્પની વસ્તી. તેનો રાજા પુંડરિક નામનો નાગ હતો. તે અતિ સમર્થ હતો તેની સેવામાં કેટલાક દેવો ગંધર્વો ગંધર્વિઓ, અપ્સરાઓના ગણો રહેતા હતા. તે સર્વે સમય પ્રમાણે રાજા પુંડરિકની સેવા કરતા હતા, તે નગરીમાં તેની સેવામાં એક લલિત નામનો ગંધર્વ લલિતા નામની પોતાની પત્નીની સાથે રહેતો હતો. તેનાં મનો એકબીજામાં પરસ્પર આશક્ત રહેતાં હતાં. એક સમયે લલિત એકલો જ રાજા પુંડરિક પાસે ગાયનની સાથે નૃત્ય કરવા લાગ્યો, ત્યારે પોતાની પત્ની સાંભળી આવવાથી તાલ સુરનું ભાન ન રહ્યું અને તાલમાં ભંગ થયો તેથી રાજાએ શાપ આપતાં કહ્યું કે મને રાજી કરવા તું નત્ય કરે છે અને તારી પત્નીને યાદ કરે છે માટે હું તને શાપ આપું છું કે તું ભયંકર રાક્ષસ થઈ જા. એટલે તરત જ તે રાક્ષસ થઇ ગયો. તેની પત્ની તે જોઈને અતિ દુઃખી થઇ ગઇ અને પોતાના પતિને લઇને વનમાં આમ તેમ ભમતી હતી. પતિને દુઃખે દુઃખી રહેતી હતી. એક સમયે ફરતી ફરતી પોતાના પતિને સાથે લઇને વિંધ્યાંચળ પર્વત પર ગઇ. ત્યાં એક આશ્રમ જોયો.         તેમાં એક ઋષ્યશૃંગ નામના મુનિનેજોઈને તેમને પચાંગ પ્રણામ કરીને પગે લાગીને હાથ જોડીને ઊભી રહી ત્યારે મુનિએ પૂછ્યું કે, તું કોણ છે ? ક્યાંથી આવી છો ? ત્યારે તેણીએ સર્વ પોતાનું વૃત્તાંત કહ્યું અને પોતાના પતિદેવને આ ભયંકર રાક્ષસ યોનીથી દયા કરીને છોડાવવા માટે વિનંતી કરી ત્યારે તે મુનિએ પોતાના હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરીને કહ્યું કે તું અતિ શ્રધ્ધાથી ચૈત્ર માસની આવતી એકાદશીનું વ્રત કરીને તેનું પુન્ય તારા પતિને આપ ? તો તેના પુન્યથી રાક્ષસયોની થકી છુટીને દિવ્ય દેહને પામશે તે વચન સાંભળીને વીર ધન્વાની પુત્રી લલિતાએ તે કામદા એકાદશીનું વ્રત અતિ શ્રદ્ધાથી વિધિપૂર્વક જાગરણની સાથે કર્યું અને ત્યારબાદ બારસને દિવસે ઋષિની સાનિધ્યમાં જ હે હાથ જોડીને લલિતાએ કહ્યું કે કામદા એકાદશીનું વ્રત પ્રેમથી કરેલું છે તેનું પુન્ય મારા પતિદેવને આપુંછું. તેણે કરીને પતિ રાક્ષસ યોનીથી મુક્ત થાઓ. આમ લલિતા બોલી કે તેટલામાં જ લલિતનું રાક્ષસનું શરીર છુટી ગયું અને પહેલાંથી પણ અધિક રૂપવાન શરીરવાળો ગંધર્વ થઇ ગયો અને અનંત અપ્સરાઓથી સેવાએલું વિમાન હાજર થયું તે ઉપર પત્ની તેણે સહિત બેસીને અપ્સરાઓએ સેવાએલો થકો સ્વર્ગમાં ગયો ત્યાં અપાર સુખ ભોગવવા લાગ્યો.           આવું આ એકાદશીનું માહાત્મ્ય છે તો આ એકાદશીનું વ્રત ભગવાનના પૂજન સહિત કરેલું હોય તો તે ભગવાનના ધામને અવશ્ય પામે છે. એમાં કોઇ સંશય નથી માટે તે વ્રત અવશ્ય કરવું જ જોઈએ.                      🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #એકાદશી #એકાદશી ની શુભકામના
4 likes
10 shares