અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
3K Posts • 743K views
c.j. jadav
3K views
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...               વળી એક દિવસે વશરામ તરવાડી પોતાના મામાના ગામ તરગામ જવાનો વિચાર કરીને ધર્મદેવના ઘરે મળવા આવ્યા.ત્યારે તેમની સાથે ઘનશ્યામ મહારાજ જવા માટે તૈયાર થયા. ત્યારે ભક્તિમાતાએ પોતાના ભાઈને ભલામણ કરીને રૂડાં વસ્ત્ર ઘરેણાં પહેરાવીને સાથે મોકલવા તૈયાર કર્યા. ત્યારે બોલ્યા જે, હે દીદી ! મામાની સાથે જાઉં. તો વસંતા માસીને ગામ લક્ષ્મણપુરમાં ભાઈ માણેકધરને મળવા જઇશ. એમ કહીને મામાની સાથે ચાલ્યા તે ગામ ગાયઘાટે ગયા. ત્યાંથી તરગામ ગયા અને ત્યાં નવ માસ રહીને ત્યાં થકી વશરામ તરવાડી ચાલ્યા તે ગામ લક્ષ્મણપુર ગયા અને ત્યાં વસંતાબેનને ઘેર વશરામ તરવાડી પાંચ દિવસ રહીને માણેકધરભાઈ સહિત ઘનશ્યામ મહારાજને સાથે લઇને ત્યાં થકી ચાલ્યા, તે રામહરીપઢરી થઈને ગામ બરૂઇ ચંદનબહેનના ઘરે ગયા. અને ત્યાં ત્રણ દિવસ રહીને ચંદન તથા ભાઈ બસ્તીએ સહિત ઘનશ્યામ પાછા ત્યાં થકી ચાલ્યા તે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે મખોડાઘાટે મેળા ઉપર આવતા હતા. અને ત્યાં મનોરમા નદીમાં સ્નાન કરીને મંદિરમાં ઉતારો કર્યો. તે સમયે છપૈયાપુરથી ધર્મદેવ, ભક્તિમાતા, રામપ્રતાપભાઈ વિગેરે કેટલાક જનો ત્યાં આવ્યા અને એકબીજાને મળતા હતા. અને તે મનોરમા નદીમાં મખોડાઘાટ ઉપર પૂર્વે દશરથ રાજાએ પોતાને પુત્રની આશાથી કેટલાક યજ્ઞો કર્યા હતા. તેથી રામચંદ્રજી ભગવાન પ્રસન્ન થઈને રાજાને વર આપ્યો જે, હું તમારા પુત્રરૂપે થઇશ. તે દિવસથી આરંભીને એ તીર્થને વિષે ચૈત્રમાસની પૂર્ણિમાના દિવસે હજારો માણસોનો મેળો ભરાય છે.અને ત્યાં એક પુનમના દિવસે રીંગણાનું શાક અને બાટીઓ જમવાનું માહાત્મ્ય છે. એમ જાણીને ધર્મદેવ તે તીર્થને વિષે રીંગણાનું શાક અને બાટીઓ કરાવીને સર્વે જનોને જમાડીને પોતે જમતા હતા. ત્યાર પછી ઘનશ્યામ મહારાજ પોતે મંદિરેથી આથમણી બાજુ મોટા પીપળાના વૃક્ષ ઉપર ચડીને ચારે તરફ જોવા લાગ્યા. તે વખતે ઘેલા તરવાડી ભવાની માતાના ચોતરા ઉપર બેઠેલા હતા. તે ઘનશ્યામ મહારાજને પીપળાના વૃક્ષ ઉપર ચડેલા જોઇને બોલ્યા જે, હે ઘનશ્યામ! તમો ઉપર ચડીને શું જુઓ છો? નીચે ઉતરો, પડશો તો વાગશે. ત્યારે બોલ્યા જે, હે મામા! અમો તો કંઇ પડતા નથી. પરંતુ આ સઘળા મેળામાં દૈવી અને આસુરી જીવ જોઇએ છીએ. કારણ કે ઉત્તરાયણના દિવસે પૃથ્વી ગાય રૂપે થઈને અમારી પાસે આવીને રૂદન કરતી સતી બોલી જે, હે ભગવન્ ! તમો તો પ્રત્યક્ષ ધર્મભક્તિના ઘરે પ્રગટ થયા છો અને મારા ઉપર તો અસુરલોક બહુ પાપ કરીને રસાતળ વાળે છે. તે મારાથી સહન થતું નથી. માટે હે મહારાજ! તમે એ સર્વે અસુરનો નાશ કરીને મને પાપમાંથી ઉગારો. હે મામા! તમો તો શું કહો છો ? જે હેઠા પડશો. આવી રીતે પૃથ્વી સાક્ષાત્ ગાય રૂપે થઈને મહારૂદન કરી અમારી આગળ અરજ કરી ગઇ છે. આજે આ મેળામાં ઘણાક અસુર ભેગા થયા છે. અમારી ઇચ્છા થકી માંહોમાંહી મારામારી કરીને પૃથ્વીના ભારરૂપ સર્વે અસુર કપાઈ મરશે તે તમો જુઓ. એમ કહે છે તેટલામાં તો ઘનશ્યામ મહારાજની ઇચ્છાથી ઘાટ ઉપર સ્નાન કરવા ગયા, ત્યારે એક જમાતવાળા કહે જે, પ્રથમ અમો સ્નાન કરીએ અને બીજા કહે અમો પ્રથમ સ્નાન કરીએ. એમ પરસ્પર વાદ કરતાં લડાઇ થઇ તેમાં ઘણાક અસુરો કપાઈ મુવા. એ રીતે પરબારો પૃથ્વીનો ભાર ઉતારીને પોતે નીચે ઉતરી ગયા. તે જોઈને ધર્મદેવ આદિક સર્વે જન મહાત્રાસ પામતા સતા છપૈયાપુરને વિષે આવતા રહ્યા.                         🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
28 likes
65 shares
c.j. jadav
1K views
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           વળી એક સમયને વિષે અષાઢ માસની પૂર્ણમાસીના દિવસે ઘનશ્યામ મહારાજ પોતાના સખાઓ પ્રત્યે બોલ્યા જે, હે મિત્રજનો ! ચાલો, આજે આપણે વિશ્વામિત્રી નદીના સઘળા ઘાટે સ્નાન કરવા જઇએ. એમ કહીને તે સર્વે સખાઓથી વીંટાયા સતા, ચાલ્યા તે પ્રથમ જોગિયા ધરામાં સ્નાન કરીને ત્યાં થકી ચાલ્યા તે નદીના આથમણા કાંઠે થઈને ધારી ઘાટે જતા હતા. ને ત્યાં સ્નાન કરીને ચાલ્યા તે હરૈયા ઘાટે થઇને, કનવા ઘાટે જઈને ત્યાં ખૂબ જ ક્રીડા કરીને ચાલ્યા તે ધોબિયા ઘાટે જતા હતા અને ત્યાં મનછા પુત્રને અજગરે ગળેલો હતો તેના મુખ થકી મુકાવીને, ત્યાં થકી ચાલ્યા તે ગૌઘાટે જઇને ત્યાં કપર્દિના ચોતરા ઉપર કપડાં ઊતારીને જળમાં પ્રવેશ કરતા હતા. તે કેટલીકવાર સુધી જળક્રીડા કરતા હતા. ત્યાં થકી આગળ ચાલ્યા તે ખંતા ઘાટે થઈને લીલવા ઘાટે જતા હતા. અને ત્યાં સ્નાન કરી. કઠવા ઘાટે થઈને વિશ્રામ ઘાટે આવીને ત્યાં વિશ્રામ કરતા સતા, જળમાં સ્નાન કરીને ચાલ્યા તે સિંગાર ઘાટે થઇને પાછા વળ્યા. તે મોતીતરવાડીનું ગામ ભવાનીપુર થઇને, ગામ નરેચાના રાજા સન્માનસંગના કોટમાં જઈને તે કોટના કૂવાના જળનું પાન કરીને પોતાને ઘેર આવતા હતા.                             🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
22 likes
34 shares
c.j. jadav
1K views
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર....          નિલકંઠ વર્ણી આગળ ચાલ્યા, તે કેટલાક દિવસે એક મોટો પર્વત આવ્યો તે પર્વતની તળેટીમાં છેટે એક મોટો વટવૃક્ષ દેખાયો. તે કેવો હતો, ઘણી લાંબી શાખાઓવાળો અને ફરતાં ચારે બાજુ વિસ્તારવાળો, ઘણાં પત્ર હોવાથી ઘાટી છાયાવાળો મહા રમણીય હતો. એના ઉપર હજારો પક્ષી રહેતાં હતાં, તેથી શબ્દાયમાન છે ચારે દિશાઓ જેની, એવા વૃક્ષ નીચે આવીને શ્રીનીલકંઠ બ્રહ્મચારી મૃગચર્મ પાથરીને ઉપર પોતાનું આસન કરીને બિરાજ્યા. તે સમયે પોતાની ઇચ્છાથી હનુમાનજી આવ્યા અને નમસ્કાર કરીને સમીપે બેસતા હતા. બાલાજોગી તો પોતે થાકના કારણે સૂઇ ગયા. એટલે તે પવનસુત ચરણની સેવા કરવા લાગ્યા. તે સમયે વૃક્ષમાં રહેતાં હજારો ભૂતપ્રેતાદિક જે સર્વે પોતાનો ભક્ષ્ય કરવા ગયેલાં હતાં તેમાં તેમનો અધિપતિ જે મહા કાળભૈરવ તેને સહિત ત્યાં આવ્યાં, ભયંકર વેષવાળાંતે સર્વે ભૂત આવીને વડની ચારે તરફ ઘેરો ઘાલતાં હતાં. તે ભૈરવ તો પોતાનું ઘણું બળ દેખાડીને મહા ઘોર ભયંકર શબ્દ કરવા લાગ્યો. તેને સાંભળીને પવનસુત પોતે ઉભા થઇ, સામા જઈને પોતાના પૂંછડે બાંધીને જોરથી તેના મસ્તક ઉપર એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો કે, તત્કાળ ત્રાસ પામી ગયો અને પોતાની ગરદનમાં મસ્તક ઉતરી ગયું. ત્યારે તે ઉઠીને પ્રાર્થના કરવા લાગ્યો ને બોલ્યો જે, હે મરુત્સુત ! ફરીથી હું કોઇ દિવસ આવું કામ નહીં કરું. એવું સાંભળીને તત્કાળ તેને મૂકી દીધો એટલે તેને જોઇને બીજાં હજારો ભૂત તેની સહાયમાં ઉભેલાં હતાં. તે ત્રાસ પામીને નાસી ગયાં. પછી બાલાજોગી ત્યાં સુખેથી રાત્રિ પસાર કરીને સવારના પહોરમાં સ્નાન કરીને નિત્યવિધિ કરવા બેઠા. તે સમયે હનુમાનજીએ કંદમૂળ આપ્યું તેનું ઠાકોરજીને નૈવેદ્ય કરીને પોતે જમતા હતા. ત્યારપછી હનુમાનજી રજા માગીને અદ્રશ્ય થઇ ગયા. પછી ત્યાંથી ચાલતાં ચાલતાં મહા ઘોર વન આવ્યું, તેમાં કોઇ જગ્યાએ જળ તથા ફળ કંઈ પણ મળ્યું નહીં, એવી રીતે અઢી માસ વિત્યાબાદ વનથી બહાર નિસરીને ચાલ્યા, તે સમયે રસ્તામાં પડી ગયા. એટલે એક ઘડી ત્યાં બેસીને શાંતિ થયા પછી ત્યાંથી ચાલ્યા, તે એક પર્વતની તળેટીમાં કૂવો આવ્યો, ત્યારે ત્યાં સ્નાન કરીને ઠાકોરજીને સ્નાન કરાવવા લાગ્યા, ત્યારે ઠાકોરજી ઘણુંક જળ પીવા લાગ્યા. તે જોઈને પોતે વિચાર કર્યો જે, આટલી બધી તૃષા લાગી છે માટે ભુખ્યા પણ ઘણા હશે, એમ સંકલ્પ કરે છે તેટલામાં શિવજી અને પાર્વતી પોઠીયા ઉપર બેસીને ત્યાં આવ્યાં અને વિનંતિપૂર્વક નમસ્કાર કરીને પોતાની પાસેથી સાથવો અને મીઠું આપતાં હતાં. તેને બાલાજોગી શ્રીઠાકોરજીને જમાડીને પોતે જમતા હતા. જમીને જળપાન કરીને શિવજીની સ્તુતિ કરી ત્યારે શિવજી બોલ્યા જે, હે બાલાજોગી ! અમોને સંભારશો તે સમયે અમો આવીશું. ત્યાર પછી રજા માગીને અદ્રશ્ય થઈ ગયા. પછી પોતે એક ઘડી વિશ્રામ કરતા હતા.                       🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ
15 likes
19 shares