મારુ અમદાવાદ
105 Posts • 399K views
Sanjay ᗪesai
3K views
અમદાવાદ (Ahmedabad) શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્યસ્ત એવા ગોતા બ્રિજ (Gota Bridge) પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક AMTS બસ (AMTS bus) ના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા રોડ પર જઈ રહેલા ત્રણ જેટલા વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક સ્કૂલ વાન પણ અડફેટે આવી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ખાસ કરીને સ્કૂલ વાન સાથે બસ અથડાતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ અકસ્માતમાં અંદાજે 5 થી 6 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બેફામ બસ ચલાવતા ડ્રાઈવર પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને બસ ચાલકને પકડી પાડ્યો હતો અને તેને પોલીસના હવાલે કર્યો હતો.AMTS બસ અકસ્માતની ઘટનાની સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે, પુરપાટ ઝડપે આવી રહેલી એક AMTS બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા રોડ પર જઈ રહેલા ત્રણ જેટલા વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક સ્કૂલ વાન પણ અડફેટે આવી જાય છે. #અમદાવાદ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🔥 બિગ અપડેટ્સ #😨માર્ગ-અકસ્માતના ખતરનાક વીડિયો #📽 CCTV વીડિયો
25 likes
24 shares
Sanjay ᗪesai
105K views
#😱કોંગ્રેસ નેતાના ભત્રીજાનો ખૂની ખેલ, અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ગઈકાલે(21 જાન્યુઆરી)મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા તે સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ હતી. ગોળી વાગવાની ઘટના બનતા તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા. જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી.દંપતી કાલે જમવા માટે એક સબંધીના ઘરે ગયા હતા, જમીને ઘરે પરત આવ્યા ત્યારબાદ આ બનાવ બન્યો હતો. બનાવ સમયે ઘરમાં યશરાજના 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા. આ મામલે વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે NRI ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફ્લેટના રહીશો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. ઉલ્લેખનીય છે કે, મૃતક ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ 2માંથી વર્ગ 1 થયા હતા.મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી હોવાનો 108માં કોલ કર્યો હતો 108 ઈમરજન્સી સેવાના જણાવ્યા મુજબ રાતે 11.45 વાગ્યા આસપાસ 108માં કોલ મળ્યો હતો. જેથી તાત્કાલિક 5 મિનિટમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી છે એવો કોલ 108માં કર્યો હતો. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાને તપાસતા તેઓ મૃત હતા. જેથી પેરામેડિકલ સ્ટાફ બહાર ડોક્ટર સાથે ફોન પર વાત કરતા હતા, ત્યારે પતિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. જેથી 108 સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.પત્નીના મોતના આઘાતમાં પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગોળી વાગવાની ઘટના બનતા તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી ત્યારે ફ્લેટ મળતો ન હોવાથી નીચે લેવા માટે પણ ગયા હતા. ઘટના બની ત્યારે તેમના માતા પણ ફ્લેટમાં હાજર હતા. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા. જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી છે.માતા અને 108ની ટીમ સામે આત્મહત્યા કરી અનેક વખત વાહન ફૂલ સ્પીડમાં ચલાવતા હોવાથી શક્તિસિંહ ગોહિલે ઠપકો પણ આપ્યો હતો. કોઈપણ પ્રકારનો ઝઘડો બંને વચ્ચે નહોતો. બંને પરિવાર ખૂબ ખુશ હતા. પત્નીના મોતનો આઘાત લાગતા તેમણે પોતે પણ પોતાને ગોળી મારી લીધી હતી. પોતાની માતા અને 108ની ટીમ સામે આત્મહત્યા કરી હતી. જે દરમિયાન 108ની ટીમે બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.બંનેએ માનતા રાખી હોવાથી બીજના દર્શન કરવા ગયા હતા યશરાજસિંહ ગોહિલના નજીકના લોકોના જણાવ્યા અનુસાર બે દિવસ પહેલા જ યશરાજસિંહ અને તેમની પત્ની બંને સોલા પાસે આવેલા રણુજા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. માનતા રાખી હોવાથી તે પૂરી કરવા માટે બંને જણા બીજના દિવસે દર્શન કરવા માટે ગયા હતા. પાસપોર્ટ માટેની પ્રક્રિયા પણ ચાલી રહી હતી અને નજીકના દિવસોમાં જ વિદેશ જવાના હતા. યશરાજસિંહને ગાડી અને બંદૂકનો ખૂબ શોખ હતો. જો કે, કોઈપણ પ્રકારનું વ્યસન નહોતું.બનાવ બનતા આસપાસના લોકો ભેગા થયા હતા. પોલીસને જાણ કરતા ઝોન 1 ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સમગ્ર બનાવમાં દંપતીનું મોત થયું છે. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. #આજના સમાચાર #🔥 બિગ અપડેટ્સ #તાજા સમાચાર #અમદાવાદ
836 likes
3 comments 966 shares