આ અગિયારસને પાપમોચીની એકાદશી કહેવામાં આવે છે. સમયનાં કાળ આ દોરમાં જવલ્લે જ કોઈનું મન વિકારિત નહીં હોય, અને મનનાં વિકારને કારણે જ પાપની પોટલી ભરાતી જાય છે. એટલે પાપ પુણ્યની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા થઈ શકે તેમ નથી કે, આ પાપ! અને આ પુન્ય,! કારણ કે દરેકનાં ચરિત્ર કોઈને કોઈ રીતે ખંડિત થયાં છે. સમાજમાં જે કંઈ કર્મ થઈ રહ્યું છે, એ પણ શુદ્ધ આશયથી થતું નથી, ક્યાંક દંભ છે, ક્યાંક છલ છે, તો ક્યાંક પદ પ્રતિષ્ઠાનો મોહ છે, ક્યાંક અહમ છે, તો ક્યાંક દેખાદેખી, કે ઈર્ષા નિંદા છે. આ અસુર વૃત્તિનાં ભાવો, આપણને ક્યારે માનવ માંથી દાનવ બનાવી દે છે, એની ખુદ આપણને પણ ખબર રહેતી નથી.જોકે માનવી વિકૃત આનંદનો આદિ થતો જાય છે. કોઈ પરેશાન થાય, પીડિત થાય, અસહાય જોઈને,કે બેબસી પર એને આનંદ આવે છે. પોતાનું દુઃખ તો માણસ સહન કરી લે છે, પણ અન્યનું સુખ તેનાથી સહન થતું નથી, અને એને કારણે સતત સ્પર્ધા, ઈર્ષા, નિંદા, જેવાં અસુરી ભાવો માનવી પર કબ્જો કરીને બેઠા છે, અને એને કારણે માનવતા વિહિન કર્મ કરતાં પણ અચકાતો નથી, જે બધાં પાપ છે. #🪷પાપમોચિની એકાદશી🪷 #🙏ભગવાન વિષ્ણુ🌺 #🙏રવિવાર ભક્તિ સ્પેશ્યલ🙏 #💐 રવિવાર સ્પેશિયલ 🎉 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ