#💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #સુરત #અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર 🚨 ચોંકાવનારી ઘટના
સુરતના પુણા વિસ્તારમાં રહેતા એક પરિવારનો 17 વર્ષીય કિશોર ત્રણ વર્ષ પહેલા ઘર છોડીને ગયો હતો અને આજદિન સુધી પરત ફર્યો નથી. હવે આ કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
મળતી માહિતી મુજબ, કિશોરના મિત્રએ તેના ભાઈનો સંપર્ક કરી દાવો કર્યો કે કિશોરની હત્યા કરીને તેની ડેડબોડી જમીનમાં દાટી દેવામાં આવી છે. આ ખુલાસા બાદ પોલીસ છેલ્લા બે મહિનાથી સતત શોધખોળ કરી રહી છે.
પોલીસે જણાવેલી જગ્યાએ અંદાજે 5000 સ્ક્વેર ફૂટ વિસ્તારને પાંચ ફૂટ ઊંડે સુધી ખોદ્યો અને 45 ફૂટ ઊંડો કૂવો પણ ખોદાવ્યો, છતાં ડેડબોડી કે કોઈ અવશેષ મળ્યા નથી. પોલીસે જીપીઆર (Ground Penetrating Radar) ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો, છતાં સફળતા મળી નથી.
પ્રાથમિક તપાસ મુજબ માત્ર મિત્રોમાં થયેલા વિવાદ અને શંકાસ્પદ પરિસ્થિતિઓને આધારે હત્યાની કબૂલાત કરવામાં આવી હતી. પરંતુ પુરાવા ના મળતા મામલો વધુ જટિલ બન્યો છે. હાલમાં પોલીસએ ત્રણેય મિત્ર વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
👉 વધુ અપડેટ માટે ફોલો કરો @ame_surati
#SuratNews #AmeSurati #Friends #Puna #Suspense