#💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #અમે સુરતી #🕉️ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ #સાલાસર બાલાજી મહારાજ ડાયમંડ સિટી સુરત હવે ધાર્મિક પર્યટન ક્ષેત્રે પણ આગવું સ્થાન મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. સુરત-મુંબઈ નેશનલ હાઈવે પર પલસાણા નજીક 41 વીઘા જમીન પર મહાકાલેશ્વર મંદિર અને સાલાસર બાલાજી મંદિરની પ્રતિકૃતિ સાથે ભવ્ય મંદિર સંકુલ બનાવવાની યોજના જાહેર થઈ છે. શ્રી મહાકાલેશ્વર સાલાસર હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા અંદાજે 400 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ 29 એપ્રિલ 2026ના રોજ સંતો-મહંતો અને આગેવાનોની હાજરીમાં શિલાન્યાસ થશે અને વર્ષ 2029 સુધીમાં મંદિર પૂર્ણ કરી ભક્તો માટે ખુલ્લું મુકવાનું લક્ષ્ય છે. મંદિર સંકુલમાં ભક્તો માટે ગેસ્ટ હાઉસ, મેડિટેશન સેન્ટર, ભોજનાલય, વિશાળ જલકુંડ અને 500 ગાયો માટે ગૌશાળાનું નિર્માણ પણ કરવામાં આવશે. આ સાથે સનાતન સંસ્કૃતિના અભ્યાસ માટે આશરે 1000 વિદ્યાર્થીઓ ક્ષમતા ધરાવતી વિશેષ યુનિવર્સિટી બનાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દક્ષિણ ગુજરાત સહિત પશ્ચિમ ભારતના લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ધાર્મિક પર્યટનનું મોટું કેન્દ્ર ઉભું થવાની શક્યતા છે.
#Surat #ReligiousTourism #Palsana #Salasarbalaji #mahakaleshwar
Surat Religious Tourism Project, Palsana Temple Project, Mahakaleshwar Replica Temple Gujarat, Salasar Balaji Temple Replica Surat, 400 Crore Temple Project Gujarat, Religious Tourism Development Surat
Massive Temple Project Near Surat Palsana | Mahakaleshwar & Salasar Balaji Replica | 400 Crore Religious Complex