ShareChat
click to see wallet page

ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ. પી. વિરાણી સાહેબની બદલી નિમિત્તે તેમને લાગણીસભર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ દ્વારા વિરાણી સાહેબને શાલ ઓઢાડી અને ફૂલછોડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આદરપૂર્ણ વાતાવરણમાં વિરાણી સાહેબના કાર્યકાળને યાદ કરી તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ તેમના નવા સ્થળે સફળ કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. #નવસારી ન્યૂઝ #njpssnavsariofficial #navsari #khergam|vansda|chikhli|Gandevi|navsari

529 ने देखा
2 दिन पहले