ShareChat
click to see wallet page

કાલિયાવાડી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો નવસારી જિલ્લાના કાલિયાવાડી ગામે પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ સમારંભના અધ્યક્ષ તરીકે નવસારીના માનનીય ધારાસભ્યશ્રી શ્રી રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય મહેમાન તરીકે શ્રી અજયભાઈ દેસાઈ (અધ્યક્ષશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી) હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ફુલચંદભાઈ ભક્તાણી, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી શ્રી હેમંતસિંહ ચૌહાણ, પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળીના પ્રમુખશ્રી શ્રી વિશાલસિંહ રાઠોડ તેમજ મહામંત્રી શ્રી વિજયભાઈ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામના અગ્રણીઓમાં શ્રી પરેશભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી પિયુષભાઈ દેસાઈ, શ્રીમતી અમીષાબેન મોદી, શ્રી મહાદેવભાઈ દેસાઈ, શ્રી કિરણભાઈ દેસાઈ તેમજ દાતાશ્રીઓમાં શ્રી નગીનભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ શાહ અને શ્રી અકબરભાઈ મુલતાની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેન્દ્રશિક્ષકશ્રીઓ (CRC), નવસારી તાલુકાની વિવિધ શાળાના મુખ્ય શિક્ષકો, શિક્ષકો, કાલિયાવાડી શાળાનો સ્ટાફ, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવનિર્મિત શાળા મકાનના લોકાર્પણથી શાળાને આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થઈ છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક તથા સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. #njpssnavsariofficial #khergam|vansda|chikhli|Gandevi|navsari #navsari #નવસારી ન્યૂઝ

494 ने देखा
6 दिन पहले