#સુરત સમાચાર #📰 5 ડિસેમ્બર ના સમાચાર #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સુરતના પાલ–ઉમરા બ્રિજ પાસે ગઈકાલે મોડી રાત્રે થયેલા અકસ્માત મામલે પાલ પોલીસના ACP શ્રી નું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.
ACPના જણાવ્યા મુજબ પાલ સિગ્નલ પાસે ડૉ. વિરલકાંત ચૌધરીની કાર દ્વારા કેટરિંગનો ટેમ્પો જોરદાર ટક્કર મારવામાં આવ્યો હતો. ટેમ્પોમાં સવાર બે મહિલાઓ અને ટેમ્પો ચાલકને ઈજા પહોંચી હતી, તેમજ ટેમ્પોને ટક્કર લાગતા આગળ ઉભેલી બાઈકો પણ અડફેટે આવી હતી. આ સમગ્ર અકસ્માતમાં કુલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી.
ACPએ વધુમાં જણાવ્યું કે ડૉ. વિરલકાંત ચૌધરી દિવસ દરમિયાન વિવિધ હોસ્પિટલોમાં સર્જરી કરી વેસુ તરફથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગફલતભરી રીતે વાહન હંકારીને સિગ્નલ પર ઉભેલા વાહનોને ટક્કર મારી હતી. ડોક્ટરના બ્લડ સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને વાહનની સ્પીડ સહિતની ટેક્નિકલ વિગતો માટે RTOની મદદ લેવામાં આવશે. ટેમ્પો ચાલક હરિશભાઈની ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
નોંધનીય છે કે આ ઘટનાને લઈને અગાઉ વિવિધ મીડિયામાં પણ અહેવાલો સામે આવ્યા હતા, જેમાં કહેવાય રહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ડૉ. વિરલકાંત ચૌધરી લાંબી સર્જરી પૂર્ણ કરીને ઘરે પરત ફરતા સમયે થાકના કારણે ઝોકું આવતાં અકસ્માત સર્જાયો હોવાનું જણાવાયું હતું. જોકે હાલ પોલીસે સત્તાવાર તપાસ શરૂ કરી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી રહી છે.
Stay tuned for more updates....
#SuratNews #PalUmraBridge #SuratAccident #SuratPolice #BreakingNews
Surat accident | Pal Umra bridge crash | Dr Viral Chaudhary accident | Surat ACP statement | Surat late night accident
ACP Statement On Surat Pal-Umra Bridge Accident | Doctor Car Crash Case Update