#😔જળાભિષેક દરમિયાન 7 મહિલાનાં મોત🛕, શ્રાવણ સોમવારે બિહારના લખીસરાયના અશોક ધામ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 7 મહિલાઓના મોત થયા છે. 23 લોકો ઘાયલ હોવાનું જણાવાયું છે. 3 લોકોની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ ઘટના અશોકધામ સ્ટેશનથી મંદિર જવાના રસ્તા પર બની હતી.
લખીસરાયના ડીએમ શૈલેન્દ્ર કુમારે જણાવ્યું કે, પુરુષોની લાઇન તરફ એક થાંભલો પડી ગયો. ત્યારબાદ એવી અફવા ફેલાઈ કે લોકો પર વીજળીની ચાલુ લાઇનનો તાર પડ્યો છે, જ્યારે તે માત્ર એક કેબલ વાયર (ડિશ/ઇન્ટરનેટનો તાર) હતો. પુરુષો તરફથી ભીડનું દબાણ મહિલાઓની લાઇન પર આવ્યું, જેના કારણે તેઓ એકબીજા પર પડી ગઈ.
ચાર મૃતકોની ઓળખ થઈ છે. તેમાં લખીસરાયના મધુબાલા દેવી, મનમાલા દેવી, હેમલતા દેવી અને મુંગેરના રિંકુ દેવી છે.
સીએમ સમ્રાટ ચૌધરીએ મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.
#🔥 બિગ અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #😨માર્ગ-અકસ્માતના ખતરનાક વીડિયો
776 views • 2 hours ago • Made with AI